અઠવાડિયાને પેલે દિવસે એટલે રવિવારની હાંજે બધાય ચેલાઓ ભેગા થયા હતાં. કમાડે તાળા હતાં કેમ કે, ઈ યહુદી લોકોથી બીતા હતા. પછી ઈસુ તેઓની વસે આવ્યો અને ઉભો રયો, ઈસુએ કીધું કે, “પરમેશ્વર તમને શાંતિ આપે!”
હું આપડા બાપ પરમેશ્વરને અને પરભુ ઈસુ મસીહને પ્રાર્થના કરું છું કે, ઈ ભાઈઓને વિશ્વાસ અને શાંતિ આપે. તેઓ એવું કરે કે, જેથી તમે એક-બીજાને પ્રેમ કરો અને મસીહ ઉપર સદાય વિશ્વાસ કરતાં રયો.
એકબીજાને ગાલ ઉપર એક સુમ્બન હારે સલામ કરો, એમ બતાવવા હાટુ કે, તમે એક-બીજાને પ્રેમ કરો છો. હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને બધાયને જે મસીહમા ભળી ગયા છો શાંતિ આપે. આમ, આમીન.
અને ઘણીય બધી વાતો છે જે હું તમને બતાવવા માગું છું, પણ હું એને આ રીતે એક પત્રમાં લખવા નથી માગતો. પણ મારી આશા છે કે, હું તમારી પાહે આવુ, અને મોઢામોઢ વાત કરું અને ફરીથી આપડે એક હારે બોવ રાજી થાયી.