Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 થેસ્સાલોનિકીઓને પત્ર 3:16 - કોલી નવો કરાર

16 હવે પરભુ જે શાંતિ દેનારો છે, પોતે જ તમને સદાય અને દરેક પરકારથી શાંતિ આપે, અને પરભુ સદાય તમારી બધાયની હારે રેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 થેસ્સાલોનિકીઓને પત્ર 3:16
40 ပူးပေါင်းရင်းမြစ်များ  

“જોવ, એક કુવારી ગર્ભવતી થાહે અને ઈ દીકરાને જનમ દેહે, અને એનુ નામ ઈમ્માનુએલ રાખવામાં આયશે” જેનો અરથ ઈ છે કે, પરમેશ્વર આપડી હારે છે.


અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”


“બધાયથી ઉચે સ્વર્ગમા પરમેશ્વરને મહિમા થાઓ અને પૃથ્વી ઉપર ઈ લોકોમા શાંતિ થાઓ જેઓથી ઈ રાજી છે.”


હું તમને શાંતિ આપું છું, જે શાંતિ મારી પાહે છે, આ ઈ શાંતિ નથી જે જગતના લોકો તમને દેય છે. તમે મનમા દુખી નો થાવ અને બીવોમાં .


હું ઈ વાત તમને ઈ હાટુ કવ છું કે, તમને મારા કારણે શાંતિ મળે. જગતમાં તમને દુખ થાય છે, પણ હિમંત રાખો, કેમ કે મે આ જગતના દુખો ઉપર જીત મેળવી છે.”


હુ તમને ગમાડેલા બધાય લોકોને લખું છું, જે રોમ શહેરમાં રેય છે, જેને પરમેશ્વર પ્રેમ કરે છે, એના પોતાના પવિત્ર લોકો થાવા હાટુ બોલાવામાં આવ્યા. આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય.


હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર, શાંતિ દેનાર તમારી બધાયની હારે રેય. આમીન.


શાંતિનો પરમેશ્વર જલ્દીથી શેતાનની તાકાતને નાશ કરીને એને તમારી આધીન કરી દેહે. આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી ઉપર થાતી રેય.


કેમ કે, પરમેશ્વર અવ્યવસ્થાના નથી, મેળ કરાવવા અને શાંતિનો પરમેશ્વર છે, આજ નિયમ પરમેશ્વરનાં લોકોની દરેક મંડળીઓમાં પાલન કરવામાં આવે છે.


છેલ્લે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, રાજી રયો, સિદ્ધ બનતા જાવો, અને મારી સલાહને હાંભળો, એક જ મન રાખો, મેળ રાખો અને પ્રેમ અને શાંતિનો દાતાર પરમેશ્વર તમારી હારે રેહે.


હું આપડા બાપ પરમેશ્વરને અને પરભુ ઈસુ મસીહને પ્રાર્થના કરું છું કે, ઈ ભાઈઓને વિશ્વાસ અને શાંતિ આપે. તેઓ એવું કરે કે, જેથી તમે એક-બીજાને પ્રેમ કરો અને મસીહ ઉપર સદાય વિશ્વાસ કરતાં રયો.


અમે પ્રાર્થના કરી છયી કે, આપડા પરમેશ્વર બાપ અને આપડા પરભુ ઈસુ મસીહ, અમને તમારી પાહે આવીને મળવા હાટુ મોકો આપે.


હવે શાંતિનો પરમેશ્વર પોતે તમને પુરી રીતે પવિત્ર કરે આપડા પરભુ ઈસુ મસીહના પાછા આવતાં હુંધી તમારો આત્મા અને પ્રાણ અને દેહ પુરેપુરી રીતેથી નિરદોષ રાખવામાં આવે.


હું પ્રાર્થના કરું છું કે, આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી બધાયની ઉપર થાતી રેય. આમીન.


હું પ્રાર્થના કરું છું કે, પરભુ તારી હારે રેય, અને એની કૃપા તમારા બધાય ઉપર થાતી રેય. આમીન.


હું પ્રાર્થના કરું છું કે, પરભુ ઈસુ મસીહની કૃપા તમારી ઉપર બનેલી રેહે. આમીન.


હવે શાંતિ આપનાર પરમેશ્વર, જે આપડા ઘેટાના મોટા રખેવાર આપડા પરભુ ઈસુને સદાય કરારના લોહીથી મરેલાઓમાંથી પાછા જીવતા કરયા,


અને ઈબ્રાહિમે એને આ દરેક વસ્તુઓનો દસમો ભાગ આપ્યો જે એણે યુદ્ધમાંથી મેળવું હતું. બધાયની પેલા “મેલ્ખીસેદેકના” નામનો અરથ છે “ન્યાયપણાનો રાજા” અને પછી “શાલેમનો રાજાનો અરથ છે શાંતિનો રાજા.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ