જ્યાં હુંધી તુ તારા ફરીયાદી હારે અધિકારીની નજીક જઈ રયો છે, તો મારગમાં જ એની હારે સમાધાન કરવાની કોશિશ કરી લે, જો તુ એનો ઉકેલ નય લીયાવે તો તારે ન્યાયધીશ પાહે કોરાટે જાવું પડશે, અને ઈ તને અધિકારીઓને હોપે અને સિપાયો તને જેલખાનામાં નાખી દેહે.
જે શિક્ષણ બોવ બધાય લોકોને મારા દ્વારા શીખવાડતી વખતે તે હાંભળુ છે, ઈ જ શિક્ષણ તુ બીજા વિશ્વાસી લોકોને શીખવાડ જે વિશ્વાસુ છે, જેથી તેઓ પણ બીજા લોકોને શીખવાડી હકે.
વિશ્વાસના લીધે જ આદમના દીકરા હાબેલે પોતાના મોટા ભાઈ કાઈન કરતાં સડીયાતું બલિદાન પરમેશ્વરને સડાવ્યુ અને એના બલિદાનને પરમેશ્વરે અપનાવીને એને ન્યાયી જાહેર કરયો. કેમ કે પરમેશ્વર હાબેલના બલિદાનથી રાજી થ્યો હતો અને એનું મોત થય ગ્યું છે, તો પણ આપડે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખવા હજીય પણ એનાથી શિખી છયી.