આ રીતે યહુદીયા, ગાલીલ અને સમરૂન પરદેશની મંડળીઓમાં શાંતિ મળી, અને મંડળીના લોકો વિશ્વાસમાં વધારે મજબુત થાતા ગયા, અને તેઓએ પરભુની બીક રાખી અને પવિત્ર આત્માની મદદથી શાંતિ મેળવી, અને ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.
કેમ કે મેં તેઓની હામે તમારી વિષે અભિમાન કરયુ હતું, તો મને એની હાટુ શરમાવું નો પડયું અને સદાય આપડે તમે જે કીધું ઈ હાસુ જ હતું. ઈ જ રીતેથી તિતસની હામે આપડે અભિમાન કરયુ છે ઈ પણ હાસુ થયુ છે.