પછી જે પત્ર મેં તમને લખ્યો હતો, ઈ નો તો તેઓની કારણે લખ્યો, જેણે અન્યાય કરયો, અને નો તેઓની કારણે જેની ઉપર અન્યાય કરવામાં આવ્યો, પણ ઈ હાટુ કે, તમારો અમારી પ્રત્યે લગાવ, ઈ પરમેશ્વરની હામે તમારી ઉપર પરગટ થય જાય.
જો કોય મને તિતસના વિષે પૂછે, તો ઈ તમારી મદદ કરવામાં મારા ભાગીદાર છે, અને જો સાથી વિશ્વાસી ભાઈઓની વિષે પૂછે, તો તેઓ મંડળીના લોકો દ્વારા મોકલેલા અને જે કાય તેઓ કરે છે તેઓની દ્વારા મસીહ હાટુ માન મેળવે છે.
કેમ કે, પરમેશ્વરે પોતાની ઈચ્છા પુરી કરવાના હેતુથી એના મનમા આવા વિસાર નાખશે, જ્યાં હુધી પરમેશ્વરનાં વચન પુરા નો થય જાય, ન્યા હુધી તેઓ પોતાનુ રાજ્ય હિંસક પશુને આપી દેહે.