Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 6:8 - કોલી નવો કરાર

8 અમને માન મળ્યું, અને અમારી નિંદા હોતન થય; અપમાન થયુ, અને અમારા વખાણ હોતન થ્યા. અમને ખોટા ગણવામાં આવ્યાં છતાય અમે હાસુ બોલી છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 6:8
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચેલો પોતાના ગુરુ જેવો અને ચાકર પોતાના માલિક જેવો બની જાય એટલું ઘણુંય છે; જો ઘરધણીને તેઓ બાલઝબુલ શેતાન કીધો છે, તો એના ઘરનાં લોકોને એનાથી કેટલું વધારે તેઓ એમ જ કેહે!


પછી તેઓએ પોતાના ચેલાઓને હેરોદ રાજાને માનવાવાળાઓ સહિત એની પાહે મોકલીને કેવડાવું કે, “ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસા છો, તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, અને તમે કોયની પરવા કરતાં નથી કેમ કે, તમે માણસો વસ્સે પક્ષપાત કરતાં નથી,


ઓ ધણી, અમને યાદ છે કે, ઈ ઠગ જઈ જીવતો હતો, તઈ ઈ કેતો હતો કે, મારા મોતના ત્રણ દિવસ પછી હું પાછો જીવતો થાય.


અને તેઓએ આવીને એને કીધુ કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસુ બોલો છો. અને તમે કોયની પરવા કરતાં નથી કે, લોકો તમારી વિષે શું વિસારે છે કેમ કે, તમે માણસો વસે પક્ષપાત કરતાં નથી, પણ તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, તો હવે અમને બતાવો કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?


અને લોકોમા એના વિષે બોવ ઘુસપુસ વાતુ થય, કેટલાક લોકો કેતા હતાં કે, “ઈ હારો માણસ છે,” અને થોડાક માણસ કેતા હતા કે, “નય, ઈ લોકોને ભરમાવે છે.”


તેઓએ કીધું કે, “હો સિપાયના અધિકારી કર્નેલ્યસે અમને મોકલ્યા છે જે ન્યાયી અને પરમેશ્વરની બીક રાખનારો અને બધીય યહુદી જાતિ એને બોવ માન આપે છે, એને એક પવિત્ર સ્વર્ગદુતથી આજ્ઞા મળી છે કે, તને પોતાના ઘરે બોલાવીને પરમેશ્વરનું વચન હાંભળે.”


અને જયને એની પાહે માફી માંગી, અને બારે લય જયને વિનવણી કરી કે, શહેરની બારે વયા જાવ.


તઈ ન્યા અનાન્યા નામનો ચેલો હતો ઈ મુસાના નિયમ પરમાણે હાલનારો માણસ હતો, જે ન્યા રેનારા બધાય યહુદી લોકોમા આબરૂવાળો હતો.


કેમ કે, અમે ઈ માણસને અશાંતિ ફેલાવનારો અને જગતની હારે યહુદી લોકોમા ભેદભાવ કરનારો, અને આ એક ટોળાનો આગેવાન પણ છે, જેણે નાઝરેથનો ઈસુ કેવામાં આવે છે.


પણ તારો વિસાર શું છે? ઈ અમે તારાથી હાંભળવા માંગી છયી, કેમ કે અમે જાણી છયી કે, દરેક જગ્યાએ આ પરભુના મારગની વિરોધમાં લોકો વાતો કરે છે.”


તઈ એણે પિતર અને યોહાનને ધમકાવીને છોડી મુક્યા. કેમ કે લોકોના કારણે એને દંડ દેવાનો મોકો નો મળ્યો, ઈ હાટુ કે ઈ ઘટના બની હતી ઈ હાટુ બધાય લોકો પરમેશ્વરનાં વખાણ કરતાં હતા.


પણ જેણે ઈસુ ઉપર હજી વિશ્વાસ નોતો કરયો તેઓની વિશ્વાસી ટોળામાં જોડાવાની હિંમત નોતી થાતી, તોય લોકો એના વખાણ કરતાં હતા.


ઈ હાટુ ઈ ભાઈઓ, તમારામાથી હાત માણસ; કે જે પવિત્ર આત્માથી અને બુદ્ધિથી ભરપૂર હોય, એને ગમાડી લ્યો કે, અમે તેઓને ઈ કામ હાટુ ઠરાવી.


અને અમારી નિંદા કરનારા કેટલાક લોકો અમારી વિષે કેય છે કે, તેઓનું બોલવું એવું છે કે, હારું થાય ઈ હાટુ આપડે દૃષ્ટતા કરતાં રેયી, આવું હુકામ નો કરી? તેઓને થયેલી સજા લાયક છે.


પણ જેમ પરમેશ્વર વિશ્વાસુ છે, એમ તમારા પ્રત્યે મારી વાતમાં હા કે ના નોતું.


મારે પોતે શરમાયને કેવું પડે છે કે, આપડે આ બધાયની હરખામણીમાં બોવ જ નિર્બળ હતા. પણ જો કોય વાતોમાં અભિમાન કરે છે, તો હું પણ કરય, આ હું મુરખાયની જેમ વાતો કરું છું.


પણ હારું ઈ કે, ખરેખર મેં તમારી ઉપર બોજ નથી નાખ્યો, પણ બીજા લોકો વિસારે છે કે, મેં સાલાકીથી ખોટુ બોલીને તમને ફસાવ્યા છે.


પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.


કેમ કે, જે અમારું શિક્ષણ અમે તમને હંભળાવ્યુ છે, એમા કોય ભરમાવવાની વાત, કા કોય ખોટો ઈરાદો, અને દગાની કોય વાત નથી.


અને મંડળીને છોડીને બીજા લોકોમા પણ એનુ માન હોવું જોયી, જેથી લોકો એને ખરાબ કયને બદનામ કરી હકે નય અને નતો ઈ શેતાનની જાળ મા ફસાય.


આપડે ઈ જીવનને પામવા હાટુ મેનત કરી અને દુખ સહન કરી છયી કેમ કે, આપડે જીવતા પરમેશ્વર ઉપર આશા રાખી છયી, જે બધાય લોકો ખાસ કરીને વિશ્વાસીઓનો તારનાર છે.


ઈ હાટુ આપડે પણ એને ભેટ કરવા માંડવાની બારે જયને એવી જ નિંદા સહન કરી, જેમ એણે સહન કરયુ.


જો કે, મસીહના નામને કારણે તમારુ અપમાન થાય, તો તમે આશીર્વાદિત છો કેમ કે, મહિમાનો અને પરમેશ્વરનો આત્મા તમારા ઉપર રેય છે.


મંડળીમાં દરેક માણસ કેય છે કે, દેમેત્રીયસ એક હારો માણસ છે કેમ કે, ઈ હાસી રીતે જીવે છે, અને અમે પણ કેયી છયી કે, ઈ હારો માણસ છે અને તુ જાણશો કે, અમારી સાક્ષી હાસી છે.


સાવધાન રેજે, જે શેતાનની સભાના છે, જે કેય છે કે, અમે યહુદી લોકો છયી, પણ તેઓ યહુદી નથી, ઈ ખોટુ બોલે છે હું તેઓની પાહે એવુ કરાવય, કે ઈ આવીને તારા પગ આગળ નમશે, અને મે તારા ઉપર પ્રેમ રાખ્યો છે એવુ ઈ જાણશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ