Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 6:16 - કોલી નવો કરાર

16 પરમેશ્વરનાં મંદિરમાં મૂર્તિઓ હાટુ કોય જગ્યા નથી, કેમ કે આપણે જીવતા પરમેશ્વરનું મંદિર છયી, જેવું પરમેશ્વરે શાસ્ત્રમાં કીધું છે કે, “હું મારા લોકોમાં મારૂ ઘર બનાવય, અને એની હારે રેય, અને હું એનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 6:16
60 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ સિમોન પિતરે જવાબ આપતા કીધુ કે, “તમે મસીહ, જીવતા પરમેશ્વરનાં દીકરા છો.”


કોય પણ માણસ એક વખતે બે ધણીની ચાકરી કરી હકતો નથી કેમ કે, જો ઈ એવું કરે તો ઈ એકને અણગમો કરશે, અને બીજા ઉપર પ્રેમ રાખશે, નકર ઈ કોય એકનાં પક્ષનો થાહે, ને બીજાને તરછોડશે, તઈ તમે પરમેશ્વરની અને મિલકતની બેયની સેવા કરી હકતા નથી.


ઈસુએ તેઓને એક દાખલો પણ કીધો કે, “નવા લુગડાનું થીગડુ ફાડીને કોય માણસના જુના લુગડાને નવા થીગડાથી હાધતું નથી, જો હાધે તો ઈ નવું હોતન ફાડી નાખશે, અને પાછા નવા લુગડામાંથી લીધેલુ થીગડુ જુના લુગડા હારે મળતું નથી.


ઈસુએ એને જવાબ દીધો કે, જે કોય મને પ્રેમ કરે છે, તો ઈ મારા વચનોને માંને છે, અને મારો બાપ એને પ્રેમ કરે છે, અને આપડે એની પાહે જાહુ અને એની હારે રેહું.


જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીય છે, ઈ મારામાં રેય છે અને હું એનામા રવ છું


અને જો પરમેશ્વરનો આત્મા જેણે ઈસુને મરણમાંથી જીવાડ્યો, તમારામા વસેલો છે, તો એણે મસીહને મરણમાંથી જીવતો કરયો ઈ તમારા મોત પામનાર દેહને પણ પોતાની આત્મા દ્વારા જે તમારામા રેય છે ઈ જીવાડશે.


પણ જઈ પરમેશ્વરનો આત્મા તમારામા રેય છે, તો તમે પાપીલા સ્વભાવના કાબુમાં નથી, પણ આત્માના કાબુમાં છો, પણ જો કોયનામાં મસીહનો આત્મા નથી તો ઈ મસીહનો નથી.


વળી જે જગ્યાએ તેઓને કેવામાં આવ્યું હતુ કે, “તમે મારી પ્રજા નથી.” ઈ જ જગ્યાએ, “તેઓ જીવતા પરમેશ્વરનાં દીકરાઓ કેવાહે.”


તમે પરભુના પ્યાલા અને મેલી આત્માના પ્યાલા, બેમાંથી પીય નથી હકતા. તમે પરભુની મેજ અને મેલી આત્માની મેજ, બેયના સહભાગી નથી બની હક્તા.


તમે જરૂર જાણો છો કે, તમારુ દેહ મંદિર છે જેમાં પવિત્ર આત્મા રેય છે, જે તમારામાં વસેલો છે અને તમને પરમેશ્વર તરફથી મળ્યું છે, તમે પરમેશ્વરનાં છો.


એક હારે આપણે એનુ ઘર છયી, જે ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓના પાયા ઉપર બનેલું છે અને એનો ખૂણાનો પાણો પોતે મસીહ ઈસુ છે.


ઈસુની હારે સબંધને લીધે બીજાઓની હારે તમે પણ ઈ ઘરમાં રયા છો; ઈ ઘરમાં પરમેશ્વર પોતાના આત્માની વસોવસ છે.


જેથી મસીહ તમારા હૃદયમાં રેય જઈ તમે એની ઉપર ભરોસો કરશો. હું પ્રાર્થના કરું છું કે પરમેશ્વર અને એકબીજા હાટુ તમારો પ્રેમ તમને મજબુત બનાવશે અને તમને પડવાથી બસાયશે.


પણ જો મને આવવામાં વાર લાગે તો તું જાણી લે કે, પરમેશ્વરના ઘરમાં કેવું વરતન રાખવું જોયી, પરમેશ્વરનુ ઘર તો જીવતા પરમેશ્વરની મંડળી છે ઈ તો હાસનો સ્થંભ અને આધાર છે.


અને આપડામાં રેવાવાળો પવિત્ર આત્માના સામર્થથી આ હારા હમાસારની રખેવાળી કર, જે પરમેશ્વરે તને હોપા છે.


મસીહ એક દીકરાની જેમ પરમેશ્વરનાં પરિવારમાં વિશ્વાસુ છે અને ઈ પરિવાર આપડે પોતે જો આપડે પોતાની હિંમત અને આશા છોડતા નથી તો એમાંથી આપડે પણ છયી.


હવે આવનાર દિવસોમાં હું ઈઝરાયલ દેશના લોકો હારે આ કરાર કરય એવું પરભુએ કીધું કે, હું મારા નિયમો એમન મનમાં મુકય, અને ઈ તેઓના હ્રદય ઉપર લખય હું તેઓનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.


આપડે શાસ્ત્રમા વાસી છયી કે, “જે આત્માને પરમેશ્વરે આપડી અંદર વસાવ્યો છે ઈ આત્માને ઈર્ષાપુર્વક આશા રાખે છે.” આ હાસુ છે અને તમને એમા શંકા નો હોવી જોયી.


પરમેશ્વરને ક્યારેય કોયે નથી જોયા, પણ જો આપડે એક-બીજાથી પ્રેમ રાખે, તો પરમેશ્વરનો પ્રેમ આપડામાં બનેલો રેય છે, અને એનો પ્રેમ આપડામા પુરો થાય છે.


જે કોય આ સ્વીકાર કરે છે કે, ઈસુ પરમેશ્વરનો દીકરો છે, તો પરમેશ્વર એનામા અને ઈ પરમેશ્વરમાં વાસ કરે છે.


એણે મને ઈ હોતન કીધું કે, એફેસસ શહેરની મંડળીના સ્વર્ગદુતને આ સંદેશો લખ કે, હું ઈ જ છું; જે પોતાના જમણા હાથમાં હાત તારા રાખું છું, અને જે હોનાની હાત દીવીઓની વસે હાલું છું હું તમને આ કવ છું


પછી મે એક અવાજ હાંભળ્યો જે પરમેશ્વરની રાજગાદીથી જોરથી બોલવાનો હતો, એણે કીધું કે, જોવો હવેથી પરમેશ્વર માણસજાતની હારે રેહે અને તેઓ એના લોકો હશે, અને પરમેશ્વર પોતે પવિત્રજગ્યામાં એની હારે રેહે અને તેઓને પોતાના લોકોની જેમ અપનાયશે અને તેઓ એને પોતાના પરમેશ્વરનાં રૂપમાં અપનાવશે.


જે વિજય પામશે, ઈ જ મારીથી આ બધાય આશીર્વાદોને મેળવશે અને હું એનો પરમેશ્વર થાય અને ઈ મારો દીકરો હશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ