Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 5:9 - કોલી નવો કરાર

9 ઈ હાટુ કે, આપણે જો દેહમાં હોયી કે, પરમેશ્વરની હારે હોયી, આપડે એને રાજી કરવા ઈચ્છી છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 5:9
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.


પણ દરેક બિનયહુદી લોકો એની બીક રાખે છે અને પરમેશ્વરની ઈચ્છાની પરમાણે કામ કરે છે, એને માંને છે.


જે કોય આ રીતેથી મસીહની સેવા કરે છે, ઈ પરમેશ્વરને અપનાવવા લાયક છે અને લોકોની નજરમાં હારું છે.


કેમ કે, જો આપડે જીવતા છયી, તો પરભુની હાટુ જીવી છયી, અને જો મરી છયી, તો પરભુની હાટુ મરી છયી, પાછા મરી કે, જીવી આપડે પરભુના જ છયી.


પણ મારા મનનો ઉમંગ આ છે કે, હારા હમાસારનો પરચાર એવા વિસ્તારમાં થાય, પણ જ્યાં ઈસુ મસીહના વિષે અત્યાર હુધી હાંભળવામાં આવ્યું નથી, હું ઈ ઘર બનાવનાર કડિયાના જેવો છું, જે કોય બીજાના પાયા ઉપર બાંધકામ નથી કરતો.


ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી.


ઈ હાટુ આપડે સદાય હિમંતવાન છયી અને એવું જાણી છયી કે, જ્યાં હુધી આપડે દેહમાં રેયી છયી, ન્યા હુધી આપડે સ્વર્ગીય ઘરમાં નથી જય હકતા, જ્યાં પરભુ રેય છે.


ઈ હાટુ આપડે હિમંતવાન છયી, અને જઈ આપડે મરી જાહુ તઈ આ દેહિક જીવનને છોડીને પરભુની હારે રેવાનું વધારે ગમશે.


એણે આપણને પોતાના વાલા દીકરા દ્વારા આશીર્વાદ મોફત આપ્યા છે. પરમેશ્વરે ઈ મહિમાવંત કૃપાની હાટુ આપણે એનુ ભજન કરી.


અને અમે ઈ પ્રાર્થના કરી છયી કે, જેથી તમે આ રીતે જીવન જીવો જે રીતે પરભુના લોકોને જીવવું જોયી, અને તમે દરેક વાતોમાં પરભુને રાજી કરશો, અને તમે એક ધારા દરેક પરકારના હારા કામ કરશો, અને તમે સદાયને હાટુ હારા કામો કરશો અને પરમેશ્વરની વિષે વધારેને વધારે જાણતા જાહો.


આને પુરું કરવા હાટુ ઈ પરાક્રમી તાકાતથી જે મસીહ આપે છે, અને જે મારામાં કામ કરે છે, હું મેનત કરું છું અને ઝઝુમું છું.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.


અને જેમ અમે તમને હંમજાવ્યું છે, એમ જ શાંતિથી રયો, અને બીજાના કામમા માથું નો મારવું, પણ પોતે કમાવાની કોશિશ કરો.


આપડે ઈ જીવનને પામવા હાટુ મેનત કરી અને દુખ સહન કરી છયી કેમ કે, આપડે જીવતા પરમેશ્વર ઉપર આશા રાખી છયી, જે બધાય લોકો ખાસ કરીને વિશ્વાસીઓનો તારનાર છે.


આ કારણે જઈ આપણને એવુ રાજ્ય મળે છે, જે ધરુજાવી નય હકાય, ઈ હાટુ પરમેશ્વર રાજી હોય આ રીતેથી આપડે એનું ભજન માનથી અને બીકથી કરી.


ઈ હાટુ આપડે ઈ આરામની જગ્યામાં આવવા હાટુ જેટલી થય હકે એટલી કોશિશ કરવી જોયી, એવું નો થાય કે, કોય એની જેમ પરમેશ્વરની આજ્ઞા માનવાનો નકાર કરી દેય અને સજા ભોગવે.


એટલે હે વાલાઓ, જો તમે ઈ દિવસની વાટ જોવો છો, જઈ પરમેશ્વર જગતનો ન્યાય કરશે. તો તમારે પુરેપુરી કોશિશ કરવી જોયી, જેથી ઈ તમને શુદ્ધ અને નિરદોષ અને એક-બીજાની હારે શાંતિમાં રાખી હકે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ