અને આ ખાલી પૃથ્વી જ નય કે, જે નિહાકા નાખી રય છે પણ આપડે હોતન જેમાં થાનારી મહિમાના પેલાથી સ્વાદ સાખવાના રૂપમાં પવિત્ર આત્માનો વાસ છે અમે પણ, ઈ વખતની વાટ જોય રયા છયી જઈ અમને પોતાના બાળકો બનાવવા હાટુ પરમેશ્વર ઉપાડી લેહે અને અમારા દેહને બધીય દૃષ્તાથી છુટકારો કરાયશે.
જોવ, હું તમને ભેદની વાતો કવ છું કે. આપડામાંથી કેટલાક વિશ્વાસીઓ મરી હકશે નય, પણ બધુય બદલાય જાહે. ઈ અસાનક બનશે, એટલી જલ્દી જેમ કે, કોય પોતાની આંખુ પટપટાવે છે. જઈ છેલ્લું રણશિગડું વાગશે, તો જે લોકો મરી ગયા છે તેઓ કાયમ જીવન જીવવા હાટુ ફરીથી જીવતા કરવામાં આયશે અને આપણે જીવી છયી, આપડા દેહનું બદલાણ થાહે.