જેથી પાઉલ અને બાર્નાબાસ ન્યા બોવ લાંબા વખત હુધી રોકાણા, તેઓ બીક વગર પરચાર કરતાં રયા કેમ કે, તેઓ પરમેશ્વર ઉપર નિર્ભર હતાં, એના દ્વારા સમત્કાર અને અદભુત કામો કરીને જાહેર કરતાં હતા કે, આ કૃપાની વિષે સાક્ષી હાસી હતી.
પણ બાર્નાબાસે ગમાડેલા ચેલાઓની પાહે એને લય જયને તેઓને કીધું કે, એણે કેવી રીતે દમસ્કસ શહેરમાં જાતી વખતે રસ્તામાં પરભુ ઈસુને જોયો, અને પરભુએ એની હારે વાતુ કરી, પછી દમસ્કસ શહેરમાં એને કેવી રીતે હિંમંત કરીને ઈસુના વિષે પરસાર કરયો.
પણ એના સિવાય, જો હું વિશ્વાસીઓની એક મંડળીમાં છું, હું એનો ઉપયોગ નય કરી હકુ કેમ કે, ઈ મારી હાટુ હારું છે અને પાસ શબ્દ કવ જે એવા કે, હંમજાય અને શીખવુ કા બીજાને માર્ગદર્શન આપું, એના બદલે મારી ભાષાના બોલ હજારો હોય પણ હંમજી નથી હકાતા.
અને પરભુમાં જે ભાઈઓ અને બહેનો છે, તેઓમાંથી ઘણાય બધાય મારા જેલખાનામાં હોવાને કારણે એટલા હિમંતવાન થય ગયા છે કે, કોય પણ બીક રાખ્યા વગર પરમેશ્વરનું વચન પરચાર કરે છે.
મારી બોવ ઈચ્છા અને આશા આ છે કે, હું કોય વાતોમાં આબરૂ વગરનો નો થાવ, પણ મને ઈસુ મસીહ વિષે બોલવાની હિંમત થાય, જેમ કે, મે પેલાના દિવસોમાં કરયુ હતું. ભલે હું જીવતો રવ કે, મરી જાવ, પણ હું મારા પુરા જીવનથી ઈસુ મસીહને માન આપતો રેય.
અને તમે પોતે જાણો છો કે, તમારી પાહે આવ્યા પેલા ફિલિપ્પી શહેરમાં દુખ અને અપમાન વેઠયા તો પણ અમને પરમેશ્વરે એવી હિંમત આપી કે, ઘણાય બધાય વિરોધ અમારી હામે થયા તો પણ પરમેશ્વરનાં હારા હમાસાર તમને હભળાવી.