હવે હું થોડાક વિશ્વાસીઓથી વાત કરી રયો છું જે લોકોએ એવા લોકોથી લગન કરયા છે જે વિશ્વાસી નથી, જે કોય સાથી વિશ્વાસીની બાયડી વિશ્વાસી હોય નય, ઈ બાય એની હારે જીવન જીવવા હાટુ રાજી છે. તો ધણીને પોતાની બાયડીને છુટાછેડા આપવા નય.
હવે કુવારીઓના વિષે મને પરભુ તરફથી કોય આજ્ઞા મળી નથી, પણ કેમ કે હું પરમેશ્વરની દયાના કારણે પરમેશ્વરનાં વિશ્વાસુ લોકોમાંથી એક છું, હું પોતાની સલાહ આપું છું જે વિશ્વાસ લાયક છે.