Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથીને પત્ર 1:15 - કોલી નવો કરાર

15 આ વાત હાસી અને બધાય પરકારથી માનવા લાયક છે કે, ઈસુ મસીહ પાપી લોકોનો બસાવ કરવા હાટુ જગતમાં આવ્યો, જેમાં બધાયમાંથી મોટો પાપી હું છું

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથીને પત્ર 1:15
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

તે દીકરો જણશે અને તું એનુ નામ ઈસુ પાડજે કારણ કે, ઈ એના લોકોને એના પાપોથી બસાયશે.”


સાવધાન રયો કે, આ નાનાઓમાંથી એકને પણ તમે નો વખોડો; કેમ કે, હું તમને કવ છું કે, સ્વર્ગમાં તેઓના સ્વર્ગદુત મારા સ્વર્ગમાંના બાપનું મોઢું સદાય જોય છે.


કેમ કે, હું માણસનો દીકરો ખોવાયેલા માણસોને ગોતવા આવ્યો છું.


જેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો છું.”


ઈ હાટુ તમે જાયને આનો અરથ શીખીલ્યો કે, હું બલિદાન નય, પણ દયા ઈચ્છુ છું; કેમ કે, હું ન્યાયીઓને નય પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”


ઈસુએ આ હાંભળીને તેઓને કીધુ કે, જે હાજો છે એને વૈદની જરૂર નથી પણ જેઓ માંદા છે તેઓને ખપ છે, હું જેઓ પોતાને ન્યાયી માંને તેઓને હાટુ નય પણ જેઓ જાણે છે કે, હું ઈ પાપીઓને બોલાવવા આવ્યો છું.


પછી ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ કચકચ કરતાં કેવા મંડયા કે, “જોવ, આ માણસ પાપીઓની હારે મળે છે, અને તેઓની હારે ખાવાનું પણ ખાય છે.”


કેમ કે, હું, માણસનો દીકરો ખોવાયેલા માણસોને ગોતવા, અને તેઓને અનંતકાળના દંડથી બસાવવા હાટુ આવ્યો છું.”


હું ન્યાયીઓને નય, પણ પાપીઓને પસ્તાવા હાટુ બોલાવવા આવ્યો છું.”


પણ જેટલાઓએ એનો સ્વીકાર કરયો, તેઓને એણે પરમેશ્વરનાં સંતાન થાવાનો અધિકાર આપ્યો, તેઓ જેઓએ એની ઉપર વિશ્વાસ રાખ્યો છે.


બીજે દિવસે યોહાન પોતાની પાહે ઈસુને આવતો જોયને કેય છે કે, જુવો પરમેશ્વરનાં ઘેટાનું બસ્સુ પોતે બલી થયને જગતનું પાપ આઘુ કરે છે.


જો કોય મારી વાતો હાંભળીને એને નો માંને, તો હું એનો ન્યાય નથી કરતો, કેમ કે હું જગતના લોકોનો ન્યાય કરવા નય, પણ જગતના લોકોને બસાવા હાટુ આવ્યો છું,


જે કોય દીકરા ઉપર વિશ્વાસ કરે છે એને અનંતકાળનું જીવન છે, પણ જે કોય દીકરાની ઈચ્છા મુજબ નથી હાલતું તેઓ જીવન નય જોહે, પણ પરમેશ્વરનો કોપ તેઓની ઉપર રેહે.


પછી ગમાડેલા ચેલાઓ અને વિશ્વાસી ભાઈઓને જે યહુદીયા પરદેશમા હતાં, તેઓએ હાંભળ્યું કે બિનયહુદી જાતિના લોકોએ પણ પરમેશ્વરનાં વચનને માની લીધા છે.


આ બધુય હાંભળીને બધાય યહુદી વિશ્વાસી સુપ થય ગયા, અને પરમેશ્વરનાં વખાણ કરીને કેવા માંડયા કે, “તઈ પરમેશ્વરે બિનયહુદી જાતિના લોકોને પણ પોતાના પાપ કરવાનું બંધ કરીને અનંતજીવન પામવાનો મોકો દીધો છે.”


પરમેશ્વરે પોતાના ચેલાઓને મરેલામાંથી પાછા જીવાડીને બધાયની પેલા તમારી પાહે મોકલ્યો કે, તમારામાથી દરેકને એના ખરાબ કામોમાંથી છોડાવીને આશીર્વાદ આપે.


જેથી કોય પણ રીતે મારા સાથી યહુદીઓમાંથી ઈર્ષા કરાવીને તેઓમાંથી કોય એકનુ તારણ કરાવી હકુ.


કેમ કે, જઈ આપડે નબળા હતાં, તો મસીહ ઠરાવેલા વખતે અન્યાયીઓ હાટુ મરયો.


કેમ કે, હું ગમાડેલા ચેલાઓમાં બધાયથી ઓછો મહત્વનો છું, જે ગમાડેલો ચેલો કેવાને લાયક પણ નથી કેમ કે, મેં પરમેશ્વરની મંડળીમાં વિશ્વાસીઓને સતાવ્યા હતા.


હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.


હું પેલા નિંદા કરનારો અને વિશ્વાસી લોકોને સતાવનારો અને તેઓનું નુકશાન કરનારો હતો, તો પણ મારી ઉપર પરમેશ્વરની દયા થય કેમ કે, મે આ બધુય હંમજા વગર, અને જઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ નો કરતો હતો તઈ ઈ બધાય કામો કરતો હતો.


અને તારે મસીહ ઉપર વિશ્વાસમા બનેલું રેવું જોયી અને સોખુ મન હોવું જોયી, કેમ કે કેટલાક લોકોએ પોતાના સોખા મનનો ત્યાગ કરી દીધો છે અને એનુ પરિણામ ઈ થયુ કે, તેઓ હવે મસીહ ઈસુમાં વિશ્વાસ નથી કરતા. જેવી રીતે એક વહાણ ભટકાયને નાશ થય જાય છે.


જો કોય આગેવાન બનવા માગે છે, ઈ ભલાયના કામો કરવાની ઈચ્છા રાખે છે, આ વાત હાસી છે.


આ વાત હાસી છે, અને દરેક પરકારે એનો સ્વીકાર કરવાને લાયક છે.


બધાય લોકોને જીવન આપનાર પરમેશ્વરની હામે, અને ઈસુ મસીહની હામે, જેણે પોંતિયસ પિલાત રાજ્યપાલની હામે હાસુ કબુલ કરયુ હતું, હું તને આ આજ્ઞા આપું છું,


આ વાત હાસી છે કે, જો આપડે ઈસુ મસીહની હારે મરી ગયા છયી, તો આપડે એની હારે જીવતા પણ થાહુ.


આ વાત હાસી છે. અને હું આ ઈચ્છું છું કે, આ વાતો ખાસ ભાર મુકીને શીખવાડ, ઈ હાટુ કે, જેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો છે, તેઓ હારા કામો કરવા હાટુ પોતાનો વખત આપવા હાટુ ધ્યાન આપે, બધાય હાટુ આ શિક્ષણ હારું અને લાભકારક છે.


ઈ હાટુ જેઓ ઈસુ દ્વારા પરમેશ્વરની પાહે આવે છે, તેઓનું પુરે પુરૂ તારણ કરવા હાટુ ઈ શક્તિશાળી છે કેમ કે, ઈ હરેકની હાટુ વિનવણી કરવા સદાય જીવતા રેય છે.


અને તમે જાણો છો કે, ઈસુ મસીહ ઈ હાટુ આવ્યો કે, આપડા પાપોની સજા લય જાહે, અને એમા કોય પાપ નથી.


જે કોય પાપ કરવાનું ચાલુ રાખે છે, ઈ શેતાન તરફથી છે કેમ કે, શેતાન પેલાથી જ પાપ કરતો આવ્યો છે. પરમેશ્વરનો દીકરો ઈ હાટુ આવ્યો કે, શેતાનના કામોનો નાશ કરે.


અને ઈ સાક્ષી આ છે કે, પરમેશ્વરે આપણને અનંતકાળનું જીવન આપ્યુ છે, અને ઈ જીવન એના દીકરામાં છે.


તઈ પરમેશ્વર જે રાજગાદી ઉપર બેઠો હતો, એણે કીધું કે, “આ હાંભળો! હું હવે બધુય નવું બનાવી રયો છું!” એણે મને કીધું કે, “આ વાતુ લખી લે! જે મે તને કીધી છે કેમ કે, તુ વિશ્વાસ કરી હકશો, કે, હું ખરેખર એને કરય.”


સ્વર્ગદુતે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે તમને દેખાડી છે ઈ હાસી છે, અને ઈ એને ખરેખર પુરી કરશે. પરભુ પરમેશ્વર જે આગમભાખીયાઓને પ્રેરણા આપે છે, પોતાના સ્વર્ગદુત ઈ લોકો જે એની સેવા કરે છે, ઈ બનાવોને દેખાડવા હાટુ મોકલ્યો જે જલ્દી જ થાવી જોયી.”


અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ