જ્યાં હુંધી તુ તારા ફરીયાદી હારે અધિકારીની નજીક જઈ રયો છે, તો મારગમાં જ એની હારે સમાધાન કરવાની કોશિશ કરી લે, જો તુ એનો ઉકેલ નય લીયાવે તો તારે ન્યાયધીશ પાહે કોરાટે જાવું પડશે, અને ઈ તને અધિકારીઓને હોપે અને સિપાયો તને જેલખાનામાં નાખી દેહે.
હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે જાણી લ્યો કે, મે ઘણીય બધીવાર તમારી પાહે આવવાની ઈચ્છા રાખી કે, જેમ મે બિનયહુદીઓ વસે મસીહની હાટુ ચેલા બનાવ્યા, એવી જ રીતે તમારામા પણ બને, પણ હજી હુધી રોકાય ગયો.
પણ હવે, આ વિસ્તારમાં મે જે લોકોએ મસીહના વિષે નથી હાંભળ્યું, તેઓએ પણ હારા હમાસાર હંભળાવાનું કામ પુરું કરી દીધુ છે અને ઘણાય વરહથી મને તમારી પાહે આવવાની ઈચ્છા છે.
કેમ કે, તમારાથી હું આઘો છું, તો પણ હું તમારા વિષે વિચારતો રવ છું, અને હું ઈ જોયને બોવ રાજી છું કે, તમે એક હારે થયને એમ જ જીવો છો જેમ તમારે જીવવું જોયી અને મસીહમા તમારો વિશ્વાસ મજબુત છે.
પણ હમણાં જ તિમોથી તમારી પાહેથી અમારી પાહે પાછો આવીને તમારો વિશ્વાસ અને પ્રેમની સંદેશો હંભળાવી. અને આ વાત પણ કીધી કે, તમે સદાય પ્રેમથી અમને યાદ કરો છો, અને અમને જોવાની ઈચ્છા રાખો છો, જેમ અમે પણ તમને જોવાની આશા રાખી છયી.