Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 પિતરનો પત્ર 2:24 - કોલી નવો કરાર

24 એણે પોતે પોતાના દેહમાં આપડા પાપોની હાટુ સજા ભોગવી, જઈ ઈ વધસ્થંભ ઉપર મરી ગયો, જેથી આપડે પાપ કરવાનું છોડીને હાસી રીતે જીવવાનું શરુ કરી. કેમ કે, તેઓએ એને મરણતોલ કરી દીધો પરમેશ્વરે તમને હાજા કરયા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 પિતરનો પત્ર 2:24
50 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી એણે તેઓની હાટુ બારાબાસને છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્થંભે જડવા હાટુ રોમન સિપાયોને હોપ્યો.


હું તમને જણાવું છું કે, તમારે યહુદી નિયમના શિક્ષકોને અને ફરોશી ટોળાના લોકોના નિયમ કરતાં, પરમેશ્વરને જેની જરૂર છે ઈ હાટુ કાક વધારે હારુ કરનારા થાવુ જોયી નકર તમે સ્વર્ગના રાજ્યમાં નય ઘરી હકો.


એવી રીતે જે યશાયા આગમભાખયા વડે કીધુ હતું ઈ પુરૂ થાય “એણે પોતે આપણા દુખ લીધા અને આપણા રોગોને છેટાં કરી દીધા.”


તઈ પિલાતે ટોળાને રાજી કરવાની ઈચ્છાથી, બારાબાસને તેઓની હાટુ છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્થંભે જડવા હાટુ રોમના સિપાયોને હોપ્યો.


“પરભુનો આત્મા મારા ઉપર છે, કેમ કે, ગરીબો આગળ હારા હમાસાર પરગટ કરવા હારું એણે મારો અભિષેક કરયો છે, અને બન્દીવાનોને છુટકરો અને આંધળાઓને આખું આપવાનું જાહેર કરવા, દુખી લોકોને છોડાવવા,


બીજે દિવસે યોહાન પોતાની પાહે ઈસુને આવતો જોયને કેય છે કે, જુવો પરમેશ્વરનાં ઘેટાનું બસ્સુ પોતે બલી થયને જગતનું પાપ આઘુ કરે છે.


પછી પિલાતે સિપાયો દ્વારા ઈસુને આઘો લય જયને કોરડા મરાવ્યા.


પણ દરેક બિનયહુદી લોકો એની બીક રાખે છે અને પરમેશ્વરની ઈચ્છાની પરમાણે કામ કરે છે, એને માંને છે.


અને અમે ઈ બધાય કામના સાક્ષી છયી, જે એણે યહુદીયા પરદેસ અને યરુશાલેમ શહેરમાં કરયા હતાં, અને યહુદી લોકોએ એને વધસ્થંભે ઉપર સડાવીને મારી નાખ્યો.


જઈ તેઓએ ઈ બધુય કરયુ જે પવિત્ર શાસ્ત્રમા એના વિષે લખેલુ છે, તેઓએ ઈસુને વધસ્થંભ ઉપરથી ઉતારીને કબરમાં મુક્યો.


આપડા વડવાના પરમેશ્વરે ઈસુને મરણમાંથી પાછો જીવતો કરી દીધો છે, જેને તમે વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો.


એવી રીતે તમે પણ પોતાના પાપની તાકાતને મરેલી હમજો, પણ પરમેશ્વરની હાટુ મસીહ ઈસુમાં તમે પરમેશ્વરની સેવા કરવા હાટુ જીવો છો.


અને તમારા દેહના અંગોને અન્યાયની વસ્તુ થાવા હાટુ પાપને નો હોપો, પણ મરણમાંથી જીવતા થયેલા જેવા તમે પોતાને પરમેશ્વરને હોપો અને તમારા દેહના અંગોને ન્યાયીપણાની વસ્તુ થાવા હાટુ પરમેશ્વરને હોપો.


તમે જાણો છો કે, આજ્ઞા પાળવા હાટુ તમે પસંદગી કરી હકો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો એના સેવક તમે છો; ગમે તો મરણને અરથે પાપના, અને ન્યાયીપણાને અરથે આજ્ઞા પાલન.


નય! કઈયેય નય! આપડે પાપની હાટુ મરી ગયા છયી અને એટલે આપડે પાપીલા કામ કરવાનું સાલું નો રાખવું જોયી.


પણ હવે પાપથી મુક્ત થયને અને પરમેશ્વરનાં સેવક બનીને હવે તમે એવા કામો કરો છો જે પવિત્રતાની બાજુ લય જાય છે, અને એનો અંત અનંતકાળનું જીવન મળે છે


કેમ કે, જે મરણ પામેલો છે ઈ ન્યાયી ઠરીને પાપમાંથી છુટો થયો છે.


પણ આપડે ઈ નિયમશાસ્ત્રના હાટુ મરી ગયા જેણે એકવાર આપણને બાંધી લીધા હતા. હવે નિયમશાસ્ત્રથી એવી રીતે છૂટી ગયા, કે હવે આપડે પરમેશ્વરની સેવા જુની રીતે લખેલ નિયમશાસ્ત્રને માનવાથી નથી કરતાં પણ આત્મામાં રેવા દ્વારા નવી રીતેથી કરી છયી.


મે તમને ઈ બધાયથી ખાસ સંદેશો કીધો જે મને મળ્યો હતો. જે સંદેશો આ છે કે, શાસ્ત્રવચનો પરમાણે મસીહ આપડા પાપો હાટુ મરી ગયો.


ઈ હાટુ પરભુ શાસ્ત્ર દ્વારા કેય છે કે, “જે લોકો પરમેશ્વરની જેમ નથી કરતાં એમાંથી બારે નીકળો અને જુદા રયો, અને અશુદ્ધ વસ્તુને નો અડો, તો હું તમને અપનાવય,


પણ મસીહે આપણને ઈ હરાપથી બસાવ્યા છે, જે શાસ્ત્ર લાવે છે. જઈ વધસ્થંભ ઉપર મસીહનું મોત થયુ, તો એણે આપડા પાપોની હાટુ પોતાની ઉપર હરાપને લય લીધા. કેમ કે, શસ્ત્રમાં લખ્યું છે કે, “જે કોય પણ વધસ્થંભ ઉપર મરી જાય તે હરાપિત છે.”


કેમ કે, જો કોય માણસ અજવાળામાં છે, તો તેઓનું આસરણ હારુ ન્યાયી અને હાસુ હોય છે અને એની ઉપર ભરોસો કરી હકાય છે.


અને પરમેશ્વરની મહિમા અને મોટાય હાટુ ઈ ન્યાયીપણાની રીતે આપડા જીવનનો વ્યવહાર કરો જે ઈસુ મસીહ દ્વારા થાય છે.


આ એવુ હતું કે, જેમ પરમેશ્વરે આપડા પાપોના લેખ પત્રને મટાડી દીધા જેમાં વિધિના નિયમોના કારણે આપડી વિરોધમાં હતાં અને જઈ મસીહ વધસ્થંભ ઉપર સડાવવામાં આવ્યો તઈ એણે એના લખાણ દસ્તાવેજને પુરી રીતે મટાડી દીધું.


કેમ કે, તમારો પાપીલો સ્વભાવ મસીહની હારે મરી ગયો છે, એટલે હવે તમને આ જગતના નિયમોને માનવાની જરૂર નથી. તો પછી તમે કેમ અત્યારે આ નિયમોનું પાલન કરો છો, જેમ કે, અત્યારે પણ જગત તમારી ઉપર રાજ કરે છે?


કેમ કે, આ એવુ છે, જેમ કે, જઈ મસીહ મરયો તઈ તમે પણ મરી ગયા, અને હવે તમારુ નવું જીવન મસીહની હારે પરમેશ્વરમાં હંતાડેલુ છે.


અને ઈ હાટુ આપડે ઈસુ મસીહના દેહને એક જ વાર બલિદાન સડાવવાથી સદાયની હાટુ પવિત્ર કરવામાં આવે છે.


આ જ કારણથી જઈ મસીહ જગતમાં આવવાના હતા તઈ એણે પરમેશ્વરને કીધું કે, “તમે બલિદાનો અને અર્પણો ઈચ્છતા નથી, પણ તમે મારી હાટુ દેહ તૈયાર કરયુ છે.


તમારા પગોને હાલવા હાટુ મારગ સીધા કરો તઈ જે તમારી જેમ કરે છે ઈ ભલે નબળો અને લંગડો હોય, તોય ઠોકર ખાહે નય અને પડસેય નય પણ હાજો થાહે.


કેમ કે, ઈસુની જેવા પ્રમુખ યાજકની આપડે જરૂર હતી, ઈ પવિત્ર, દોષ વગરના, પાપીઓથી નોખા છે, અને જેઓ સ્વર્ગમાંથી ઉસા કરવામાં આવ્યા છે.


એમ જ મસીહે ઘણાયના પાપો માથે લેવા હાટુ એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ એની વાટ જોય છે તેઓના સબંધમાં તારણના અરથે ઈ બીજી વખત પાપ વગર પરગટ થાહે.


ઈ હાટુ કે, તમે અંદરો અંદર એક-બીજાની હામે પોતપોતાના પાપોને કબુલ કરો, અને એક-બીજા હાટુ પ્રાર્થના કરો, જેનાથી તમે હાજા થય જાવ. ન્યાયી માણસની પ્રાર્થનાની અસર બોવ વધારે થાય છે.


કેમ કે, તમે જાણો છો કે, મસીહ ન્યાયી છે, તો આ પણ જાણો છો કે, જો કોય ન્યાયપણાનું કામ કરે છે, તો તેઓ પરમેશ્વરનાં સંતાન છે.


હે વાલા બાળકો, કોય તમને છેતરી નો જાય, જે ન્યાયપણાનું કામ કરે છે, ઈ જ મસીહની જેમ ન્યાયી છે.


નદી ઈ શહેરના મારગની વસોવસ વહે છે અને પાણીના કોય પણ કાઠા ઉપર જીવન આપનાર ઝાડવાઓ જોય હકાય છે, આ ઝાડવામાં બાર પરકારના ફળ લાગે છે, અને દરેક મયને ઈ જુદા પરકારનું ફળ દેતુ હતુ, અને એના પાંદડા એવી દવા છે; જે પૃથ્વીના રાજ્યના દરેક જાતિના લોકોના ઘાવને હાજા કરી હકે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ