19 કેમ કે, જો આપડે દુખ સહન કરી છયી તોય પણ આપડી કોય ભૂલ નો હોય, પણ આપડે ખાલી ઈ હાટુ સહન કરી છયી કેમ કે, આપડે પરમેશ્વરનાં વિષે વિસારી છયી, તો પરમેશ્વર આપડીથી રાજી થાય છે.
પણ હું જે છું ઈ પરમેશ્વરની કૃપાથી છું; મારી ઉપર એની જે કૃપા છે ઈ કારણ વગર થય નથી, પણ તેઓ બધાય કરતાં મેં વધારે મેનત કરી; મેં તો નય પણ પરમેશ્વરની જે કૃપા મારી ઉપર છે ઈ દ્વારા હતી.
કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.
આ કારણથી હું આયા જેલખાનામાં પણ દુખ સહન કરું છું, પણ હું શરમાતો નથી કેમ કે, હું મસીહને ઓળખું છું જેની ઉપર મે વિશ્વાસ કરયો છે, અને મને પાકી ખાતરી છે કે, એના પાછા આવવાના વખત હુધી ઈ એની રખેવાળી કરશે જે એણે મને આપ્યુ છે.
જો તેઓને શાસ્ત્ર સિદ્ધ બનાવી દેય છે, તો બલિદાન કરવાનું બંધ કરી દીધું હોત. અને જો ભજનકરનારા હાસીન એના પાપોથી શુદ્ધ થય જાત તો એક જ વાર શુદ્ધ થય ગયા પછી તેઓને ફરીથી પાપ કરવાની ઈચ્છા નો થાત.
પરમેશ્વર પાક્કી રીતે ખુશ નય થાય જો તમે કાય ખોટુ કરો છો અને પછી ઈ તમને એની લીધે મારે છે. પણ જો તમે એવુ જ કરો છો જે હારું છે અને તોય તમે પીડા ભોગવો છો, તો તમે હારા કામ કરવા હાટુ પીડા ભોગવો છો. જો તમે એને સહન કરો છો, તો પરમેશ્વર તમારા વખાણ કરશે.