Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 યોહાન 3:10 - કોલી નવો કરાર

10 એનાથી જ પરમેશ્વરનાં સંતાનો અને શેતાનના સંતાનો ઓળકહી હકાય છે, જે લોકો ન્યાયી કામો કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, અને તેઓ જે પોતાના વાલા વિશ્વાસી ભાઈ અને બહેનની ઉપર પ્રેમ રાખે છે ઈ પરમેશ્વર તરફથી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 યોહાન 3:10
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

ખેતર જગતના લોકો છે, હારા બી પરમેશ્વરનાં રાજ્યના લોકો છે, પણ લુણીના બી શેતાનના લોકો છે.


પણ તમે તમારા દુશ્મનો ઉપર પ્રેમ રાખો, અને તેઓનું હારું કરો, પાછુ મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરમપ્રધાન પરમેશ્વરનાં દીકરા થાહો; કેમ કે ભલા અને પાપી લોકો ઉપર તેઓ દયાળુ છે.


પણ જેટલાઓએ એનો સ્વીકાર કરયો, તેઓને એણે પરમેશ્વરનાં સંતાન થાવાનો અધિકાર આપ્યો, તેઓ જેઓએ એની ઉપર વિશ્વાસ રાખ્યો છે.


અને ખાલી યહુદી જાતિના લોકો હાટુ નય, પણ ઈ પરમેશ્વરનાં બધાય લોકોની હાટુ પણ મરશે, જે આ જગતમાં વેરાયેલા છે, જેથી તેઓ ભેગા કરી હકે.


તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.


જે પરમેશ્વરનાં છે, ઈ પરમેશ્વરની વાતો હાંભળે છે, પણ તમે નથી હાંભળતા કેમ કે, તમે પરમેશ્વરનાં નથી.”


“હે શેતાનના દીકરા, તુ જે કાય હાસુ છે એનો તુ વેરી છો, ખરાબ કાવતરા અને ભૂંડાયથી ભરેલો છો, તુ સદાય પરમેશ્વરની હાસી વાતોને ખોટમાં બદલવાની કોશિશ કરે છે.


એક-બીજા ઉપર પ્રેમ રાખવો એની સિવાય બીજુ કોય દેણું નો કરો, કેમ કે, જે કોય બીજા ઉપર પ્રેમ રાખે છે, એણે નિયમનું પુરે-પુરું પાલન કરયુ છે.


તમે પરમેશ્વરનાં વાલા બાળકો છો, એટલે તમારો વ્યવહાર એના સ્વભાવ પરમાણે હોય.


અને આ બધીય બાબતોને હરખી બનાવનાર પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે એને તમે પેરી લ્યો.


તમને આજ્ઞા આપવાનો હેતુ આ છે કે, તમે એકબીજાની હારે સોખા મન, હારા વિસાર અને કપટ વગરના વિશ્વાસથી પ્રેમ કરો.


કેમ કે, તમે જાણો છો કે, મસીહ ન્યાયી છે, તો આ પણ જાણો છો કે, જો કોય ન્યાયપણાનું કામ કરે છે, તો તેઓ પરમેશ્વરનાં સંતાન છે.


જોવો, પરમેશ્વર બાપે આપડી ઉપર બોવ પ્રેમ કરયો છે કે, આપડે એના સંતાન કેવાય, અને ખરેખર આપડે પરમેશ્વરનાં સંતાન પણ છયી. પણ જગતના લોકો ઈ નથી જાણતા કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી કેમ કે, તેવો પરમેશ્વર બાપને નથી ઓળખતા.


હે વાલા મિત્રો, હવે આપડે પરમેશ્વરનાં સંતાનો છયી, અને ભવિષ્યમાં આપડે કેવા થાહુ ઈ હજી પરગટ થયુ નથી, પણ આપડે જાણી છયી છે કે જઈ ઈસુ મસીહ ફરીથી આયશે તઈ આપડે પણ મસીહની જેવા થાહુ કેમ કે, આપડે એને એમ જ જોહુ, જેવા ઈ છે.


પરમેશ્વરથી આપણને ઈ આજ્ઞા મળી છે કે, જે કોય પરમેશ્વરથી પ્રેમ રાખે છે, એને પોતાના વિશ્વાસી ભાઈથી પણ પ્રેમ રાખવો જોયી.


આપડે પરમેશ્વરનાં છયી. જે પરમેશ્વરને ઓળખે છે, ઈ આપડુ હાંભળે છે, જે પરમેશ્વરને નથી ઓળખતા ઈ આપડુ નથી હાંભળતા, ઈ જ રીતે આપડી આત્મા જે હાસુ બોલે છે અને દગાની આત્માને ઓળખી લયે છે.


જે બીજાઓને પ્રેમ નથી કરતાં ઈ પરમેશ્વરને નથી ઓળખતા કેમ કે, પરમેશ્વર પ્રેમ છે;


આપડે જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી, અને આખુ જગત શેતાનના કબજામાં છે.


જઈ આપડે પરમેશ્વરથી પ્રેમ રાખી છયી, અને એની આજ્ઞાઓને પાળી છયી, તો એનાથી જ આપડે આ જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાનોથી પ્રેમ રાખી છયી.


હે વાલા મિત્રો ઈ લોકોની નકલ નો કરો જે ખરાબ કામો કરે છે, પણ ઈ લોકો જેવા બનો જેઓ ભલું કામ કરે છે, જો કોય હારું કામ કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, પણ જો કોય ખરાબ કામ કરે છે ઈ પરમેશ્વરને નથી ઓળખતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ