પાઉલ અને એના સાથી શહેર-શહેર જાતા હતા ઈ નિયમોને, જે યરુશાલેમ શહેરમાં ગમાડેલા ચેલાઓ અને વડવાઓએ ઠરાવ્યા હતાં, એનુ પાલન કરવા હાટુ, વિશ્વાસી લોકોને પુગાડવામાં આવતાં હતા.
પણ ઈ બિનયહુદીઓ વિષે જેઓએ વિશ્વાસ કરયો છે, આપડે આ ઠરાવને લખી મોકલ્યો છે કે, તેઓ ઈ નીવેદ નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પીતા અને છીનાળવા નો કરતાં, અને આવા કામોથી આઘા રેજો.
ઈ હાટુ કે, બીજી જાતી જેની પાહે મુસાનો નિયમશાસ્ત્ર નથી ઈ વગર નિયમશાસ્ત્રે પરમેશ્વર દ્વારા દંડ પામશે અને યહુદી, જેઓની પાહે મુસાનો નિયમશાસ્ત્ર છે, એનો દંડ નિયમશાસ્ત્ર પરમાણે થાહે.
ફરીથી જઈ બીજી જાતિના લોકો જેઓની પાહે નિયમશાસ્ત્ર નથી, તઈ લોકો સામાન્ય રીતેથી મૂસાના નિયમશાસ્ત્રને મેળવેલા કામોમાંથી થોડાક કામો કરે છે. તો મૂસાના નિયમશાસ્ત્ર તેઓની પાહે નો હોવા છતાં પણ તેઓ સાબિત કરે છે કે, તેઓની પાહે તેઓના પોતાના મનમા એક નિયમશાસ્ત્ર છે.
હવે આવનાર દિવસોમાં હું ઈઝરાયલ દેશના લોકો હારે આ કરાર કરય એવું પરભુએ કીધું કે, હું મારા નિયમો એમન મનમાં મુકય, અને ઈ તેઓના હ્રદય ઉપર લખય હું તેઓનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.