Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 8:3 - કોલી નવો કરાર

3 પણ જો કોય પરમેશ્વરને પ્રેમ કરે છે, તો ઈ હાટુ પરમેશ્વર ઈ માણસને ઓળખે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 8:3
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી હું તેઓને સોખું કય દેય કે, “હું તમને ઓળખતો નથી, ઓ પાપ કરવાવાળાઓ તમે મારી પાહેથી આઘા જાવ.”


હારો સરાવનારો હું છું અને પોતાના ઘેટાને ઓળખું છું અને મારા પોતાના ઘેટા મને ઓળખે છે એવી જ રીતે બાપ મને ઓળખે છે અને હું બાપને ઓળખું છું, અને હું મારા ઘેટાઓની હાટુ મારો જીવ આપું છું


ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”


પરમેશ્વરે પોતાના ઈ લોકોને નથી નકારા, જેને એણે પેલાથી ગમાડી લીધા, તમે જાણો છો કે, એલિયા આગમભાખીયાની વિષે શાસ્ત્ર શું કેતા હતાં કે, ઈ ઈઝરાયલ દેશના લોકો પરમેશ્વરની વિરુધ ફરિયાદ કરે છે.


કેમ કે, હજી આપડે આભલામાં જાખું-જાખું જોયી છયી, પણ તઈ નજરો નજર જોહું; હજી હું ઓછુ જાણું છું, પણ તયી જેમ પરમેશ્વર મને જાણે છે એમ હું પુરે પુરૂ જાણય.


પવિત્ર આત્માનો આજ અરથ છે જઈ તેઓ કેય છે, નો કોયે કોયદી જોયું છે, અને નો કોયદી કોયે હાંભળ્યું છે, અને નો કોયદી કોયે ઈ ભલી વસ્તુઓના વિષે હમજયો છે, જે પરમેશ્વરે ઈ લોકોની હાટુ તૈયાર કરી છે જે એને પ્રેમ કરે છે.


હવે જેથી કે, તમારે પરમેશ્વરની હારે એક સબંધ છે, એણે આપણને પોતાના બાળકોની જેમ અપનાવ્યા છે. તો પછી તમે નબળા અને કંગાળ બીજા શિક્ષણોના ચાકર બનવા હાટુ કેમ જાવ છો? શું તમારે બીજીવાર તેઓના જ ચાકર બનવાની ઈચ્છા છે?


તો પણ પરમેશ્વરનાં લોકો એક મજબુત બનાવેલા ઘરના પાયાની જેમ છે, એની ઉપર આ વચનની મહોર લગાડેલી છે કે, “પરભુ જાણે છે કે એના લોકો કોણ છે” અને ઈ પણ લખેલુ છે કે, “જો કોય પણ પરભુનુ ભજન કરે છે ઈ ભુંડુ કરવાનું છોડી દેય.”


આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.


તમે ઈસુને પ્રેમ કરો છો, જો કે તમે એને કોયદી જોયો નથી, જેમ કે, તમે એને હવે નથી જોય હકતા, તોય તમે એની ઉપર વિશ્વાસ કરો છો. અને એવા આનંદથી રાજી થાવ છો. જેને તમે કદાસ જ દેખાડી હકો.


અમે પરમેશ્વરને અને એક-બીજાને પ્રેમ કરી છયી, કારણ કે પેલા પરમેશ્વરે આપણને પ્રેમ કરયો.


હે વાલા મિત્રો, આપડે એક-બીજા ઉપર પ્રેમ રાખી કેમ કે, પ્રેમ પરમેશ્વર તરફથી છે અને જે બીજાને પ્રેમ કરે છે, ઈ પરમેશ્વરનાં સંતાન છે અને પરમેશ્વરને ઓળખે છે.


હું જાણું છું કે, તારું શહેર શેતાનના કબજામાં છે, છતાય તે મારી ઉપરનાં વિશ્વાસને મજબુતીથી પકડી રાખ્યો છે અને તે મારા શિક્ષણને છોડયું નથી, ન્યા હુધી કે તોય પણ નય જઈ બોવ વખત પેલા આંતિપાસની હત્યા કરવામા આવી હતી. ઈ મારા વચનનો પરચાર કરવામા વિશ્વાસ લાયક હતો, ઈ હાટુ એને તારા શહેરમાં મારી નાખવામા આવ્યો જે શેતાનના કબજામા છે.


હું જાણું છું કે તમે એક-બીજાને પ્રેમ કરો છો, અને તમે મારી ઉપર મજબુતીથી વિશ્વાસ કરો છો, હું જાણું છું કે, તમે કેવી રીતે એકબીજાની મદદ કરી છે, અને તમારી સહન કરવાની શક્તિને પણ જાણું છું, હું જાણું છું કે, તમે મને અને બીજાઓને કેવી રીતે પ્રેમ કરયો છે. મારી ઉપર ભરોસો કરયો, મારી અને બીજાની સેવા કરી અને ધીરજથી મુશીબતોને સહન કરી.


હું જાણું છું કે, તને હેરાન કરવામા આવ્યો છે અને તુ ગરીબ છો. પણ આત્મિક બાબતોમાં તુ બોવ ધનવાન છો, હું ઈ લોકોની વિષે જાણું છું જે દાવો કરે છે કે, તેઓ યહુદી લોકો છે, પણ ઈ છે નય. તેઓ તારા વિષે ભુંડી વાતો બોલે છે, પણ ખરેખર તેઓ ઈ ટોળાના સભ્ય છે જે શેતાનનો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ