પણ જો તું લગન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી છોકરી લગન કરે તો ઈ પાપ કરતી નથી; જો કે લગન કરવાથી જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડશે પણ હું તમારી ઉપર દયા રાખીને તમારો બસાવ કરવા માગું છું.
જે લોકો રોવે છે કા લોકો રાજી છે કા જે લોકો પોતાની હાટુ વસ્તુ વેસાતી લેય છે તેઓને આ બધી વસ્તુઓના વિષે વધારે સીંતા નો કરવી જોયી કેમ કે, આ બધીય વાતુંથી તમે પરભુની સેવા કરવાનું ભુલી જાહો.
અમે જાણી છયી કે, આ હાસુ છે કેમ કે, જેવું આગમભાખીયા યશાયાએ લખ્યું, “બધાય લોકો ખડની જેમ નાશ થાય જાહે. અને બધાય લોકો પાહે જે મહાનતા છે ઈ સદાય હાટુ નય રેય. જેમ ફુલ ખડમાં જાજો વખત હુધી ટકતું નથી. ખડ કરમાય જાય છે અને ફૂલ ખરી જાય છે.”