તો શું આપડે નિયમશાસ્ત્રને વિશ્વાસ દ્વારા અરથ વગરનો ઠરાવી છયી? નય! કઈયેય નય! કેમ કે, જઈ આપડે વિશ્વાસ કરી છયી તો અમે દેખાડી છયી કે, આપડે ઈ હમજી છયી કે, પરમેશ્વરે નિયમશાસ્ત્ર કેમ આપ્યું.
તો શું નિયમશાસ્ત્ર જે હારું હતું, મારા મોતનુ કારણ બન્યું છે? નય! કોયદી નય! પણ આ પાપ હતું જેણે એવુ કરયુ. પાપે ઈ જ નિયમશાસ્ત્રનો જે હારું હતું ઉપયોગ કરયો અને મારી હાટુ મોત લયને આવ્યું. આવી રીતે પાપે દેખાડયુ કે, ઈ ખરેખર શું છે, અને આજ્ઞાએ દેખાડ્યું કે, પાપ પુરી રીતે ખરાબ છે.
તો આપડે શું કેયી? શું નિયમ પાપ છે, નય! કઈયેય નય! પણ નિયમ દ્વારા હું પાપને જાણી હક્યો, મે જાણ્યું કે, “લાલસ કરાવી પાપ છે કેમ કે, શાસ્ત્રમાં લખેલ છે કે, લાલસ કરવી નય” તો હું આ નો જાણી હક્યો હોત કે, લાલસ કરવી ખોટુ છે.
તમે કય હકો છો, ખાવાનું આપડા પેટ હાટુ છે, અને આપણુ પેટ ખાવા હાટુ છે. ઈ હાસુ છે પણ પરમેશ્વર આપડા દેહ અને ખાવાનું બેયને નાશ કરી નાખશે. આપડુ દેહ પરભુનું છે. ઈ હાટુ આપડે પોતાના દેહનો ઉપયોગ ઈ કામોની હાટુ કરવો જોયી જે પરભુ ઈચ્છે છે.
કેમ કે, આપડે શાસ્ત્રનું પાલન કરવાને બદલે, મસીહ ઉપર ભરોસો કરવા દ્વારા પરમેશ્વરની હારે હાસા ઠરાવવામાં આવે છે થોડાક યહુદી આપણને પાપી માને છે તો શું એનો અરથ ઈ છે કે, મસીહ આપડાથી પાપ કરાવે છે? નય! કઈયેય નય.
શું એનો અરથ આ છે કે, શાસ્ત્ર જે કેય છે ઈ એના વિરુધ છે જેનો વાયદો પરમેશ્વરે કરયો છે. નય! કોયદી નય! કેમ કે, જો કોય આવો નિયમ છે; જે માણસોને પરમેશ્વરની હામે હાસો ઠરાવી હકે, તો ઈ ન્યાયીપણાનું પાલન કરીને અનંતજીવન મેળવી હકે છે.
આ માણસ મસીહ ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધુ છે જે દેહનું માથું છે અને જે પરકારે માથું દેહની આગેવાની કરે છે, એવી જ રીતે મસીહ પણ પોતાના બધાય લોકોની આગેવાની કરે છે જેથી ઈ એક હારે રેય, જેમ દેહના હાધા અને શ્વાસ લેનારા અંગો દેહને એક હારે રાખે છે અને વધે છે જેમ પરમેશ્વર ઈચ્છે છે.