Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 5:5 - કોલી નવો કરાર

5 જે માણસ પાપ કરે છે એને બારે કાઢી મેલો, ઈ માણસને શેતાનની તાકાતમાં પાછા મોકલી દયો, ઈ હાટુ કે, પસ્તાવો કરે છે તો પાછો ફરીને આયશે અને ન્યાયના દિવસે એની આત્મા તારણ પામી હકે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 5:5
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુએ એને કીધુ કે, “અરે શેતાન આઘો જા કારણ કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, તુ પરભુ તારા પરમેશ્વરને જ પરણામ કર, અને ખાલી એની જ સેવા કર.”


સિમોન! સિમોન! હાંભળ! જેમ કોક દ્વારા ઘઉંને સાળવામાં આવે છે, એમ તારું પરીક્ષણ કરવા હાટુ શેતાને માગણી કરી છે. અને પરમેશ્વર એને ઈ કરવાની રજા આપી છે.


કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.


પરમેશ્વર તમને છેલ્લે હુધી વિશ્વાસમાં મજબુત કરશે કે, જઈ તમે ઈ દિવસે દોષ વગરના માલુમ પડો જઈ આપડા પરભુ ઈસુ મસીહ ફરીથી જગતમાં પાછા આયશે.


પણ જઈ પરભુ આપણને આજ રીતે સજા આપે છે, તો ઈ આપણને સુધારી રયા છે, જેથી ન્યાયના દિવસે આપણને જગતના બીજા લોકોની હારે સજા નય ભોગવી પડે.


જે લોકો વિશ્વાસી નથી એની નિંદા કરવી આપડી જવાબદારી નથી, પરમેશ્વર અવિશ્વાસી લોકોનો ન્યાય કરશે પણ જેવું શાસ્ત્ર કેય છે અનૈતિક માણસને પોતાના સમુહની હારે જોડાવાની રજાનો આપે.


અને જઈ તમે પુરી રીતેથી મસીહની આજ્ઞાનું પાલન કરશો, તઈ જે આજ્ઞાનું પાલન નય કરે એને આપડે સજા આપવા હાટુ તૈયાર છયી.


ઈ હાટુ જેથી પરમેશ્વરે મને ઉતમ વાતો દેખાડી છે એની ઉપર હું અભિમાની નો બની જાવું, ઈ હાટુ મારા દેહમાં દુખાવો દેવામાં આવ્યો છે, શેતાનનો એક દૂત મને મારે અને અભિમાન કરવાથી મને છેટા રાખે.


ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.


મને આ વાતનો ભરોસો છે કે, પરમેશ્વરે તમારામા જે હારા કામો શરુ કરયા છે, ઈજ એને ઈસુ મસીહના પાછા આવવાના દિવસ હુધી પુરા કરશે.


તેઓમાંથી હુમનાયસ અને એલેકઝાન્ડર છે. મે તેઓને મંડળીમાંથી બારે કાઢી મુક્યા છે, અને તેઓને શેતાનના કબજામાં હોપી દીધા છે, જેથી તેઓ શીખે કે, પરમેશ્વરની નિંદા કરવી નય.


પરભુ ન્યાયના દિવસે ઓનેસિફરસના ઉપર પોતાની મહાન દયા દેખાડે, અને એફેસસ શહેરમાં જેઓએ મારી હાટુ જે જે સેવા કરી છે, એને પણ તુ હારી રીતેથી ઓળખ છો.


એવી રીતે વ્યવહાર કરો કે, જઈ તમે ઈ દિવસની વાટ જોય રયા છો, જે પરમેશ્વરે ગમાડયો છે, જઈ મસીહ પાછો આયશે, અને એના જલ્દી આવવા હાટુ પોતાના તરફથી પુરી કોશિશ કરો. ઈ દિવસે પરમેશ્વર આભને આગથી નાશ કરી દેહે, ઈ આગની ગરમીથી આભમાં જે કાય છે, ઈ ઓગળી જાહે.


જો કોય સાથી વિશ્વાસીને એવા પાપ કરતો જોવે, જેનું પરિણામ મરણ નથી થાતું, તો ઈ એની હાટુ પ્રાર્થના કરે અને પરમેશ્વર એને અનંતજીવન આપશે. આ ઈ લોકોની હાટુ, જેઓએ એવા પાપ કરયા છે, જેનું પરિણામ મરણ નથી થાતું, પણ પાપ એવુ પણ હોય છે જેનું પરિણામ મરણ છે, અને ઈ વિષે હું વિનવણી કરવા હાટુ નથી કેતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ