Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 4:5 - કોલી નવો કરાર

5 ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 4:5
48 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ એનાથી તમે બીતા નય કેમ કે, કોય પણ એવી વસ્તુ નથી, જે હતાડેલી રેહે, અને કોય પણ એવી વસ્તુ નથી જે હતાડી હકી. પણ બધુય ઉઘાડું કરાહે.


તઈ માણસના દીકરાની નિશાની આભમાં દેખાહે અને તઈ પૃથ્વી ઉપરનાં બધાય કુળો હોગ કરશે. માણસના દીકરાને બધાય પરાક્રમો અને મોટી મહિમા સહીત તેઓ આભના વાદળા ઉપર આવતો જોહે.


આશીર્વાદિત છે ઈ ચાકર જેને ઘરનો માલીક પાછો આવીને કામ કરતાં જોવે છે.


તઈ એના માલિકે એને કીધું કે, “શાબાશ હારા અને વિશ્વાસુ ચાકર! તું થોડીક સંપતીમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હું તને ઘણી મિલકત ઉપર અધિકારી ઠેરાવય. તું તારા માલિકનાં આનંદમાં ભાગીદાર થા.”


એના માલિકે એને કીધું કે, “શાબાશ હારા અને વિશ્વાસુ ચાકર! તું થોડીક સંપતીમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હું તને ઘણી મિલકત ઉપર અધિકારી ઠેરાવય. તું તારા માલિકનાં આનંદમાં ભાગીદાર થા.”


કોયનો ન્યાય કરવો નય, જેથી તમારો પણ ન્યાય કરવામા આવે નય, કોયને ગુનેગાર ઠરાવવો નય, તો કોય તમને ગુનેગાર ઠરાયશે નય, માફ કરો એટલે તમને માફ કરાહે.


ઈસુએ એને કીધું કે, જો મારી ઈચ્છા હોય કે, મારા પાછા આવવા લગી આ જીવતો રેય, તો એનાથી તારે કાય મતલબ નથી? “તુ મારી પાછળ આય.”


એથી ઈ વાત ભાઈઓ અને બેનોમાં ફેલાય ગય કે, ઈ બીજો ચેલો નય મરે, તો પણ ઈસુએ એના વિષે આ કીધું કે ઈ નય મરે, પણ એમ કીધુ હતું કે, જો મારી ઈચ્છા હોય કે, “મારા પાછા આવવા લગી આ જીવતો રય, તો એનાથી તારે શું કામ?”


તમે મારી ઉપર વિશ્વાસ નથી કરી હક્તા, કેમ કે તમે એકબીજાથી વખાણ કરવાની આશા રાખો છો, પણ જે વખાણ ખાલી પરમેશ્વરથી મળે છે, એને પામવાની કોશિશ નો કરો.


કોયના ચાકરનો ન્યાય કરવાનો તને ક્યો અધિકાર છે? એને સાલું રાખવો કે એને કાઢી મુકવો ઈ બાબત એના શેઠને જોવાની છે, પરભુ એમ કરવાને શક્તિમાન છે, હાટુ ઈ ટકી રેહે.


ક્દાસ તમે એવુ વિસારો છો કે, તમે એવા લોકોની ઉપર ગુનો લગાડી હકતા હોવ, પણ તુ જે બીજાની ઉપર ગુનો લગાડ છો, તુ કોય બહાનુ કાઢી હકય નય કેમ કે, જે વાતોમાં તુ બીજા ઉપર ગુનો લગાડ છો, ઈજ વાતમાં પોતાની જાતને પણ ગુનેગાર ઠેરાવ છો, ઈ હાટુ કે, તુ જે ગુનો લગાડ છો, પોતે ઈજ કામ કર છો.


આ ઈ દિવસે થાહે જઈ પરમેશ્વર ન્યાય કરશે, ઈ હારા હમાસાર જેનો હું પરચાર કરું છું એની પરમાણે ઈસુ મસીહ દ્વારા માણસોની ખાનગી વાતોનો ન્યાય કરશે.


એક હાસો યહુદી ઈ છે જેનુ હૃદય પરમેશ્વરની હારે હાસુ છે. અને હાસી સુન્‍નત ખાલી શાસ્ત્રનું પાલન કરવુ ઈ નથી પણ ઈ હૃદયનું બદલાણ છે જે પરમેશ્વરની આત્મા દ્વારા ઉત્પન થાય છે. આવો માણસ લોકોથી નય, પણ પરમેશ્વર તરફથી પ્રશંસા પામે છે.


જેઓએ હારા કામમા સ્થિર રયને મહિમા, અને આદર અને અમરપણું ગોતે છે, તેઓને પરમેશ્વર અનંતકાળનું જીવન આપશે.


અને આ હાટુથી, પરમેશ્વરની આત્માએ તમને તેઓ બધાય વિષે લાયકાત આપે છે જેની તમારે જરૂર છે, જઈ કે, તમે આપડા પરભુ ઈસુ મસીહને પાછા આવવાની વાટ જોવો છો.


પણ જો કોય વિવાદ કરવા માગે, તો ઈ જાણે કે, નય આપડી વસે અને નય પરમેશ્વરની મંડળીમાં એની સિવાય અમારી પાહે એવો કોય રીવાજ નથી.


કેમ કે, જેટલીવાર તમે આ રોટલી ખાવ છો અને આ પ્યાલામાંથી પીઓ છો એટલીવાર તમે પરભુના આવતાં હુંધી એના મોતને પરગટ કરો છો.


પણ દરેક પોતપોતાના લાયક પરમાણે; મસીહ પેલું ફળ, જે મોતમાંથી જીવતું કરવામાં આવ્યું છે, પછી જઈ ઈ આયશે તઈ જેઓ મસીહના છે તેઓને જીવતા કરવામાં આયશે.


પણ જઈ મસીહ ફરીથી પાછા આયશે, તો આગ દરેક માણસના કામોની પરીક્ષા કરશે. પણ કોય માણસના કામોનો કોય મુલ્ય છે તો ઈ આગ દેખાડશે.


જો કોય માણસને પાયા ઉપર જે કામો કરયા છે, તો એને એનું ઈનામ પ્રાપ્ત થાહે.


હરેક માણસ પરમેશ્વરે એને હોપેલુ કામ જે રીતે કરશે ઈ પરમાણે એને બદલો મળશે.


કેમ કે જે પોતાની વાહ-વાહ કરે છે, ઈ નય, પણ જેની વાહ-વાહ પરભુ કરે છે, ઈ માન્ય થાય છે.


તમે આ નો હમજો કે, હું મારા પત્રો દ્વારા તમને બીક દેખાડવા માગું છું


પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.


કેમ કે, દરેકે દેહથી જે કરયુ છે, હારું કે ભુંડુ હોય, ઈ પરમાણે બદલો મેળવવા હાટુ આપણને બધાયને મસીહનાં ન્યાયાશન હામે હાજર થાવુ પડશે.


કેમ કે, તમે જાણો છો કે, જેમ એક સોર રાતે આવે છે જઈ આપડે આશા નથી રાખતા. એમ જ પરભુ ઈસુના પાછા આવવાના દિવસ પણ થાહે.


પરમેશ્વર દરેક લોકોના વિષે જાણે છે, અને જે કાય પણ આપડે આપડા જીવનભર કરયુ છે, ઈ દરેક કામનો હિસાબ આપવો પડશે, જેની હામે બધીય વસ્તુઓ ખુલી અને પરગટ છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક-બીજાની નિંદા કરવી નય, જે પોતાના વિશ્વાસી ભાઈની નિંદા કરે છે કા પોતાના વિશ્વાસી ભાઈ ઉપર આરોપ લગાડે છે, ઈ નિયમની નિંદા કરે છે, અને નિયમની ઉપર નિંદા લગાડે છે. જો તુ નિયમશાસ્ત્રની નિંદા કરે છે તો તુ નિયમશાસ્ત્ર ઉપર હાલનારો નથી પણ એની ઉપર એવો આરોપ લગાડે છે જેમ કે, તુ નિયમશાસ્ત્રનો ન્યાય કરનાર છો.


ઈ હાટુ કે, હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરભુને બીજીવાર આવવાના હુધી ધીરજ રાખો, જેમ ખેડૂતો જમીન ઉપર એક કિંમતી ફળની આશા રાખે છે, અને તેઓ ધીરજથી પેલા અને છેલ્લા વરસાદ હુધી રાહ જોવે છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક બીજાઓ ઉપર આરોપ નો લગાડવો જેથી તમારી ઉપર પણ આરોપ નો લગાડવામાં આવે. અને ન્યાય કરનારો બોવ પાહે છે જોવો આવવાને તૈયાર છે.


આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.


જઈ ઈસુ મસીહ જે આપડો મુખ્ય સરાવનાર છે, ઈ પાછો આયશે, તઈ તમને ઈ એક સુંદર મુગટ આપશે, જે કોય દિ પોતાની સમક ગુમાવશે નય.


એવી રીતે વ્યવહાર કરો કે, જઈ તમે ઈ દિવસની વાટ જોય રયા છો, જે પરમેશ્વરે ગમાડયો છે, જઈ મસીહ પાછો આયશે, અને એના જલ્દી આવવા હાટુ પોતાના તરફથી પુરી કોશિશ કરો. ઈ દિવસે પરમેશ્વર આભને આગથી નાશ કરી દેહે, ઈ આગની ગરમીથી આભમાં જે કાય છે, ઈ ઓગળી જાહે.


તેઓ કેહે કે, “એનો પાછા આવવાનો વાયદો ક્યા છે? કેમ કે, જઈથી અમારા બાપ-દાદાઓ મરી ગયા, બધુય સૃષ્ટિની શરૂઆતમાં જેમ હતું એમનું એમ જ છે.”


આદમથી આવનાર સાતમો માણસ હનોખે આ અન્યાયી લોકોના વિષે આગમવાણી કરી હતી. એણે કીધું કે, “હાંભળો! પરભુ પાક્કું પોતાના નો ગણી હકાય એટલા પવિત્ર સ્વર્ગદુતોની હારે આયશે.


જોવો, મસીહ વાદળની હારે આવનાર છે, દરેક માણસ એને જોહે, જે લોકો એના મોત હાટુ જવાબદાર હતાં, તેઓ પણ જઈ એને આવતાં જોહે, તઈ પૃથ્વીના બધાય લોકો એને જોહે અને જોર-જોરથી રોહે, આમીન.


અને મે મરેલા લોકોને ઈ રાજગાદી હામે ઉભેલા જોયા એટલે ઈ જે મહત્વના છે અને મહત્વ વગરના છે ઈ લોકો જે દરિયામાં ડૂબીને મરયા હતાં અને કબરોના બધાય મરેલા લોકો, અને ઈ બધાય લોકો અધોલોક જગ્યાએ હતાં ઈ બધાય ઈ રાજગાદી હામે ઉભા હતાં, ઈ સોપડી ખોલવામાં આવી જેમાં ઈ લોકોના નામ લખેલા હતાં, જેની પાહે ઈ જીવન હતું જેનો કોય અંત નથી. ઈ સોપડી પણ ખોલવામાં આવી જેમાં લોકોએ જે કાય કરયુ હતું ઈ લખવામાં આવ્યું હતું અને દરેકે જે કાય કરયુ હતું ઈ પરમાણે એનો ન્યાય કરવામા આવ્યો, જે ઈ સોપડીમા લખવામાં આવ્યું હતું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ