મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.
પરમેશ્વરે “એને બધાયનો અધિકારી” બનાવ્યો. એનો સોખ્ખો અરથ ઈ છે કે, એના અધિકાર નીસે મુકાણુ નો હોય એવું કાય નથી. પણ અત્યારે આપડે એને બધાય ઉપર રાજ કરતો જોતા નથી.