Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 14:6 - કોલી નવો કરાર

6 વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વસે આવીને હું બીજી ભાષાઓ બોલું પણ જો આગમવાણી, જ્ઞાન, ઉપદેશ કે, શિક્ષણ આપું નય, તો એનાથી તમને કાય લાભ નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 14:6
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ વેળાએ ઈસુએ કીધું કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું કેમ કે, જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે.”


ઈસુએ એને જવાબ દીધો કે, “સિમોન યુનાનાં દીકરા, તુ આશીર્વાદિત છે: કેમ કે, કોય માણસે નય, પણ મારા બાપે જે સ્વર્ગમાં છે, એણે આ વાત તારી ઉપર પરગટ કરી છે.”


એક માણસને શું લાભ જો ઈ આખા જગતને મેળવે પણ પરમેશ્વર હારેનું અનંતજીવન ખોય નાખે? પોતાના જીવનના બદલે માણસને આપવા જેવું કાય જ નથી.


અને તેઓ ગમાડેલા ચેલાઓ શિક્ષણ મેળવવામાં અને પરભુ ભોજનમાં અને પ્રાર્થના કરવામા લાગેલા રયા.


પણ મારા ભાઈઓ અને બહેનો, હું પોતે પણ તમારા વિષે પાકુ જાણું છું કે, તમે પણ પોતે જ ભલાયથી ભરેલા અને તમે પુરી રીતે જાણો છો કે, તમારે શું કરવુ જોયી અને એક-બીજાને પ્રોત્સાહિત પણ કરી હકો છો.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને વિનવણી કરું છું કે, જે લોકોના કારણે બીજા લોકોનો વિશ્વાસ મટી જાય છે, કે ખોટી વાતો ઉપર વિશ્વાસ કરે છે, એનાથી સાવધાન રયો અને એનાથી આઘા રયો.


પરમેશ્વરનો આભાર માનો કેમ કે, તમે એક વખતે પાપના ગુલામ હતાં, પણ હવે તમને આપવામાં આવેલુ શિક્ષણ તમે પુરા હૃદયથી સ્વીકારયું છે.


એક-બીજાને પ્રેમ કરવાની દરેક વખતે કોશિશ કરો, અને આત્મિક વરદાનોને ઉત્સાહથી મેળવવાની ઈચ્છા રાખો, ખાસ કરીને આયા, પરમેશ્વરનાં સંદેશાને જાહેર કરો.


જો કે, સંગીતના બધાય સાધનનોમાથી એક હરખો સુર વગડે તો પછી વાંહળી કે તબુરો વગડે છે, એની કોયને કેમ ખબર પડે?


પણ જો હું બોલવામાં પૂર્ણ નથી પણ મસીહ અને હારા હમાસાર વિષે મને જ્ઞાન છે, આ જ્ઞાનના વિષે મેં જે શિખવાડયું છે તે બધીય બાબતોમાં સોખવટ કરી છે.


અભિમાન કરવાથી કાય ફાયદો નથી, તો પણ અભિમાન કરવુ પડે છે. પણ પરભુએ મને જે દર્શન અને પ્રકટીકરણ આપ્યુ છે એના વિષે સરસા કરય.


ઈ હાટુ જેથી પરમેશ્વરે મને ઉતમ વાતો દેખાડી છે એની ઉપર હું અભિમાની નો બની જાવું, ઈ હાટુ મારા દેહમાં દુખાવો દેવામાં આવ્યો છે, શેતાનનો એક દૂત મને મારે અને અભિમાન કરવાથી મને છેટા રાખે.


હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર, આપણા પરભુ ઈસુ મસીહના મહિમામય બાપ, તમને આત્મા દેય, જે તમને હમજદાર બનાવી દેહે અને પરમેશ્વરને તમારી ઉપર પરગટ કરશે, જેથી તમે એને ઓળખી હકો.


એના વિષે જઈ તમે વાસશો કે, મેં શું લખ્યું છે, તમે મસીહના વિષે આ યોજના સોખી રીતે હમજી જાહો.


અને આપડામાંથી જેટલા વિશ્વાસમા મજબુત છે, તેઓ આવું વલણ રાખે અને જો કોય પણ વાતમાં તમારુ બીજુ કાય વલણ હોય તો પરમેશ્વર એને પણ તમારી હામે કરી દેહે.


આ વાતો વિશ્વાસી લોકોને વારા ઘડીયે કયને યાદ દેવડાવ, અને પરમેશ્વરની હામે સેતવણી દે કે, તેઓ શબ્દોના અરથની વિષે વાદ-વિવાદ નો કરે, એવુ કરવાથી કોય લાભ નય થાય, પણ હાંભળનારા લોકોનો વિશ્વાસ બગડી જાય છે.


પણ હે તિમોથી, મારું શીખવવુ, મારી સાલ-સાલગત, મારા મનની ઈચ્છાઓ, મારો વિશ્વાસ, મારું સહન કરવું, મારો પ્રેમ, મારી ધીરજ, મારી સતાવણી, અને મારું દુખ ભોગવવાની વિષે તું હારી રીતે જાણ છો.


આખુ શાસ્ત્ર ઈ વચન છે જેને પરમેશ્વરે ઈ લોકોના વિસારોમા નાખ્યુ જેને એણે લખ્યું. વળી ઈ ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલને સુધારવા, અને હાસુ જીવન જીવવા શિક્ષણ આપે છે.


તુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરવા હાટુ તૈયાર રે, જો પરીસ્થિતિ હારી હોય કે, ખરાબ હોય, પણ તારે લોકોને આ બતાવું જોયી કે, તેઓએ શું ખોટુ કરયુ છે, અને તેઓના પાપ હાટુ ધમકાવ, પણ જેમ તુ તેઓને પુરી રીતે ધીરજની હારે શિખવાડ છો, એમ તેઓને પ્રોત્સાહન પણ આપ.


આ વાત હાસી છે. અને હું આ ઈચ્છું છું કે, આ વાતો ખાસ ભાર મુકીને શીખવાડ, ઈ હાટુ કે, જેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો છે, તેઓ હારા કામો કરવા હાટુ પોતાનો વખત આપવા હાટુ ધ્યાન આપે, બધાય હાટુ આ શિક્ષણ હારું અને લાભકારક છે.


અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.


કેમ કે, તમે પરમેશ્વરનાં સ્વભાવમાં ભાગીદાર થાવા હાટુ છો, તમારે સદાય મસીહ ઉપર વિશ્વાસ કરવાનો કઠણ પ્રયત્ન કરવો જોયી, જે બીજાઓની હાટુ હારુ છે અને તમારે એવા લોકો પણ બનવું જોયી જે હમજદારીથી વ્યવહાર કરવાનું જાણે છે.


એની બદલે એવી રીતે જીવો કે, તમે આપડા પરભુ અને તારનાર ઈસુ મસીહની તમારા પ્રત્યે કૃપાના કામોને વધારેમાં વધારે અનુભવ કરતાં રયો, અને તમે એને વધારે હારી રીતે જાણો. હું પ્રાર્થના કરું છું કે, દરેક ઈસુ મસીહનુ સન્માન હવે અને સદાય હાટુ કરે! આમીન.


ઈ લોકો જેઓ હાસા શિક્ષણથી ભટકી જાય છે, અને મસીહના શિક્ષણનુ પાલન નથી કરતાં, ઈ પરમેશ્વરની હારે સંગતીમાં નથી. પણ જે કોય મસીહના શિક્ષણનું વારંવાર પાલન કરયુ છે. ઈ પરમેશ્વર બાપની હારે અને એનો દીકરો, ઈસુ મસીહની હારે સંગતીમાં છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ