પણ જે બાય માથે ઓઢા વગર પ્રાર્થના કરે કા પરમેશ્વરનાં હુકમોને મંડળીમાં જાહેર કરે છે, એનો અરથ છે કે, ઈ પોતાના ધણીનું અપમાન કરે છે જે એની હાટુ માથું છે કેમ કે, એની અને એક એવી બાયુની વસે કાય ફરક નથી જેનું માથું શરમાવવા હાટુ થયને ટકો કરાવ્યો છે.
અને પોતાની જાત ઉપર કાબુ રાખનારી, પોતાના ધણીને પ્રત્યે વિશ્વાસુ, ઘરબાર હંભાળનારી, બીજાની પ્રત્યે દયાળુ હોય, અને પોતાના ધણીઓની વાતોને માનનારી હોય, જેથી કોય પણ પરમેશ્વરનાં વચન વિષે નિંદા કરે નય.