30 પણ જો સભામાં જેઓ બેઠા છે તેઓમાંથી કોયને કાય પરગટ થાય, તો પેલાએ બોલવાનું બંધ કરવું.
વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે ભેગા થાવ છો તઈ તમારામાંથી કોય ગીત ગાય છે, તો કોય આગમવાણી કેય છે, કોય સંદેશો આપે છે, કોય બીજી ભાષા બોલે છે, કોય એનો અરથ હંમજાવે છે. આ બધુય મંડળીની ઉન્નતી હાટુ થાવુ જોયી.
આગમભાખીયાઓમાંથી બે કા ત્રણ બોલે, અને ઈ જરૂરી છે કે, બીજા હાંભળે અને પારખે કે, જે વાતો કેવામાં આવી છે, ઈ હાસી છે! કે, નય!
ઈ હાટુ તમે બધાય આગમવાણી કરી હકો છો, પણ એક પછી એક, જેથી બધાય શીખી હકે અને પ્રોત્સાહન મેળવે.
વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વસે આવીને હું બીજી ભાષાઓ બોલું પણ જો આગમવાણી, જ્ઞાન, ઉપદેશ કે, શિક્ષણ આપું નય, તો એનાથી તમને કાય લાભ નથી.