Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 11:20 - કોલી નવો કરાર

20 જઈ તમે એક જગ્યામાં આપડા પરભુ ઈસુ મસીહના મોતને યાદ કરવા ભેગા થાવ છો તો ઈ પરભુ ભોજન નથી જેની પાહે ખાય રયા છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 11:20
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તેઓ ગમાડેલા ચેલાઓ શિક્ષણ મેળવવામાં અને પરભુ ભોજનમાં અને પ્રાર્થના કરવામા લાગેલા રયા.


ઈ દરોજ એક મનના થયને મંદિરમાં ભેગા થતા હતાં, અને ઘરે ઘરે પરભુ ભોજન લેતા અને ઉદાર મનથી રાજી થયને હારે હળી મળીને ખાતા.


હવે પછી જે બાબત વિષે હું કેવા જય રયો છું, હું તમારા વખાણ નથી કરતો કેમ કે, તમારું મંડળીઓમાં ભેગા થાવાથી ભલાય નય, પણ નુકશાન થાય છે.


શું તમને લાગે છે કે, પક્ષ પડવાથી બીજાને ખબર પડી જાહે કે, તમારામાંથી કોયની પાહે પરમેશ્વરની મંજુરી છે? નય. હરાહર નય!


કેમ કે, ખાતી વખતે તમારામાંનો દરેક પોત પોતાનું ખાવાનું ખાય લેય છે; કોય ભૂખો રેય છે, તો કોય છાકટો બને છે,


જેમ કેટલાક કરે છે એમ આપણે ભેગા થાવાનું પડતું નો મુકી. એને બદલે, પરભુનો દિવસ નજીક આવતો જોયી એમ આપણે એકબીજાને વધુને વધુ પ્રોત્સાહન આપીએ.


તેઓ એના ખોટા કામ લાયક ફળ મેળવશે, તેઓ ભર બોપરે ભુંડા સુખભોગમાં પડયા રેવાનુ ગમાડે છે. તેઓ તમારી વસે એક કલંક અને દાગ છે. તેઓ દગો દેવામાં ખુશી મનાવે છે, જઈ ઈ તમારા પ્રીતિ ભોજનમાં તમારી હારે ખાય-પીવે છે.


જઈ આ લોકો પરભુના પ્રેમને યાદ કરતાં તમારી હારે પ્રીતિ ભોજનમાં ખાય-પીવે છે, તો ઈ ભયાનક ભેખડોની જેવા હોય છે, જે દરિયાની નીસે હતાયેલી હોય છે, ઈ એવા શરમ વગરના ભરવાડોની જેમ છે, જે પોતાની જ સીંતા કરે છે. ઈ એવા વાદળાઓની જેવા છે. જે જમીન ઉપર વરહા વગર ગાજે છે, ઈ એવા શિયાળાની મોસમના ઝાડની જેવા છે, જે બેય રીતે મરેલા હોય છે કેમ કે, ઈ કોય ફળ નથી આપતા અને મુળીયેથી ઉખડી જાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ