10 અને કેમ કે, સ્વર્ગદુતો જોય રયા છે, ઈ હાટુથી, દરેક બાયને માથે ઓઢવું જોયી, એમ દેખાડવા હાટુ કે, ઈ અધિકારીને આધીન છે.
સાવધાન રયો કે, આ નાનાઓમાંથી એકને પણ તમે નો વખોડો; કેમ કે, હું તમને કવ છું કે, સ્વર્ગમાં તેઓના સ્વર્ગદુત મારા સ્વર્ગમાંના બાપનું મોઢું સદાય જોય છે.
તો પણ પરભુમાં નય તો બાય વગર માણસના અને નય તો માણસ વગર બાય સ્વતંત્ર છે.
અને પરમેશ્વર દ્વારા માણસ બનાવો એનું ઈ કારણ નથી કે, બાયની પાહે એક સાથી હોય પણ એણે બાયને બનાવી જેથી માણસ પાહે એક સાથી હોય.
તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.