10 અને પરમેશ્વરે જે આપણને આપ્યુ છે, એના વિષે આપડે કચ કચ કરવી જોયી નય; જેવી રીતે આપડા વડવાઓમાંથી કેટલાકે કરી અને એક દુત જેને પરમેશ્વરે મોકલ્યો, એણે તેઓને મારી નાખ્યા.
વિશ્વાસ દ્વારા જ એણે પાસ્ખાના તેવારની સ્થાપના કરી, અને ઈઝરાયલીઓના પેલા જન્મેલા દીકરાઓને મોતનો દૂત મારી નો નાખે ઈ હાટુ એણે દરવાજા ઉપર લોહીનો છટકાવ કરવાની આજ્ઞા કરી.
આ લોકો સદાય પરમેશ્વરની વિરુધ બોલે છે, અને બીજા લોકોમા વાક ગોતે છે. તેઓ પોતે વારંવાર ખરાબ કામો કરે છે, જે એનુ હૃદય કરવાનું ઈચ્છે છે, ઈ પોતાના વિષે અભિમાનથી દાવો કરે છે અને પોતાનો લાભ મેળવવા હાટુ બીજા લોકોની ખુશામત કરે છે.
એની પછી મે દર્શનમાં મંદિરમાંથી એક તેજ અવાજને હાત સ્વર્ગદુતોથી આવું કેતા હાંભળ્યું કે, “જાવો જગતના લોકો ઉપર પરમેશ્વર તરફથી દંડને રેડી નાખો જે હાત પ્યાલામાં છે.”