Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને પત્ર 1:5 - કોલી નવો કરાર

5 કેમ કે, ઈસુ મસીહની હારેના સબંધને લીધે તમે જ્ઞાન અને સ્વભાવથી બધાય પરકારની હમજણમાં આશીર્વાદ મેળવ્યા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને પત્ર 1:5
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈ બધાય પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને જે વરદાન પવિત્ર આત્માએ દીધા, એની પરમાણે અલગ અલગ ભાષામાં બોલવા મંડયા.


હવે જો પાપથી તેઓનું ઠેય ખાવુ માણસ જગતને મિલકતરૂપ થયુ છે અને તેઓનું નુકશાન બિનયહુદીઓને મિલકતરૂપ થયુ છે, તો તેઓની સંપૂર્ણતા ઘણીય વધારે સંપતિરૂપ થાહે!


પણ મારા ભાઈઓ અને બહેનો, હું પોતે પણ તમારા વિષે પાકુ જાણું છું કે, તમે પણ પોતે જ ભલાયથી ભરેલા અને તમે પુરી રીતે જાણો છો કે, તમારે શું કરવુ જોયી અને એક-બીજાને પ્રોત્સાહિત પણ કરી હકો છો.


જેટલી વાતો પેલાથી શાસ્ત્રમા લખેલી છે, ઈ આપડા જ શિક્ષણ હાટુ લખેલુ છે કે, જેથી શાસ્ત્રમાંથી મળતા ધીરજ અને પ્રોત્સાહનથી આપડામાં આશા ઉત્પન થાય.


કોયને સમત્કારી કામો કરવાનું; અને કોયને સંદેશો આપવાનું; કોયને આત્માઓને પારખવાનું, અને કોયને જુદી-જુદી ભાષા બોલવાનું અને કોયને ભાષાંતર કરવાનું કૃપાદાન આપવામાં આવેલું છે.


એક વિશ્વાસીને પરમેશ્વરની આત્માથી જ્ઞાનની વાત અપાય છે; તો કોય બીજાને જ્ઞાનનો સંદેશો અપાય છે.


જો મને ઉપદેશ કરવાનું વરદાન હોય, અને હું બધાય મરમો અને બધીય વિદ્યા જાણતો હોવ, અને હું ડુંઘરાઓને ખહેડી હકુ છું, એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નય, તો હું કાય પણ નથી.


પ્રેમ કોયદી ઓછો થાતો નથી, પણ આગમવાણી કરવાનું દાન હોય તો ઈ નાશ થાહે; ભાષાઓ ભુલાય જાહે; બુદ્ધિ હોય તો ઈ વીસરી જાહે.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે ભેગા થાવ છો તઈ તમારામાંથી કોય ગીત ગાય છે, તો કોય આગમવાણી કેય છે, કોય સંદેશો આપે છે, કોય બીજી ભાષા બોલે છે, કોય એનો અરથ હંમજાવે છે. આ બધુય મંડળીની ઉન્નતી હાટુ થાવુ જોયી.


જેમ તમે જાણો છો જે વિશ્વાસીનો વિશ્વાસ નબળો છે, તે ભાઈનો નાશ થાય, જેના હાટુ મસીહ મરયો.


ઈ હાટુ પરમેશ્વરે કીધું કે, “અંધારામાંથી અજવાળુ સમકે,” અને અજવાળાની જેમ પરમેશ્વરે આપડા હૃદયમાં હમજણ આપી, જેથી આપણે તેઓની મહિમાને જોય હકી જે ઈસુ મસીહના મોઢા ઉપર દેખાય છે.


આપણને દુખી કરવામાં આવ્યા, પછી પણ આપણે સદાય રાજી થાયી છયી, આપડે પોતે તો કંગાળ છયી પણ બીજા ઘણાયને આત્મિક રીતેથી રૂપીયાવાળા બનાવી દેય છે, માનો આપડી પાહે કાય પણ નથી તોય આપડી પાહે બધીય વસ્તુ છે.


પણ જેમ તમે બધીય બાબતોમાં, જેમ કે, વિશ્વાસમાં, બોલવામાં, જ્ઞાનમાં, તાલાવેલીમાં અને અમારી ઉપરનાં તમારા પ્રેમમાં વધ્યા, એવી જ રીતે આ ઉદારતાની સેવામાં હોતેન વધતા જાવ.


તમે દરેક વાતોમાં બધાય પરકારથી આશીર્વાદિત થાહો જેથી તમે સદાય ઉદારતાથી આપી હકો, અને જઈ અમે તમારા દાનને જરૂરીયાતવાળા લોકોને આપશો, તઈ ઈ અમારા દ્વારા પરમેશ્વરનો આભાર માનશે.


હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર, આપણા પરભુ ઈસુ મસીહના મહિમામય બાપ, તમને આત્મા દેય, જે તમને હમજદાર બનાવી દેહે અને પરમેશ્વરને તમારી ઉપર પરગટ કરશે, જેથી તમે એને ઓળખી હકો.


પરમેશ્વરે આવું ઈ હાટુ કરયુ જેથી આવનારા દિવસોમાં ઈ જગતના લોકોને દાખલા તરીકે દેખાડી હકે કે, એની કૃપા કેટલી મહાન છે, જે કાય એણે આપડી હાટુ કરયુ છે આપડે ઈ કૃપા દેખાડવામાં આવી છે જે મસીહ ઈસુની હારે એકતામાં જોડાયેલી છે.


હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.


અને મારી હાટુ પણ પ્રાર્થના કરીને પરમેશ્વરને કેજો કે, ઈ મને બોલવા હાટુ હાસો શબ્દ આપે જેથી હું હિંમતથી હારા હમાસાર વિષે જે બધાય લોકોની હાટુ છે, એના ભેદની વાત હમજાવી હકુ.


અને હું ઈ પ્રાર્થના કરું છું કે, એકબીજાની પ્રત્યે તમારો પ્રેમ, અને બધાય પરકારનું જ્ઞાન અને હમજણ હારે ખુબ આગળ વધતો જાય,


કેમ કે, ઈ પરમેશ્વરની બુદ્ધિ અને જ્ઞાનની ઓળખાણ કરાવે છે, જે હંતાડેલ ખજાના જેવું છે.


અને હવે તમે એક નવા માણસ બની ગયા છો. પરમેશ્વરે તમને એક નવો માણસ બનાવ્યો છે. ઈ તમે વધારેને વધારે પોતાની જેવો બનાવી રયો છે એટલે એને વાસ્તવમાં જાણશો.


તમારામા જ્ઞાની અને હમજદાર કોણ છે? એવુ હોય તો એને એક હારું જીવન જીવીને દેખાડવું જોયી. અને આ નમ્રતાથી હારા કામો કરીને દેખાડો જે તમારા જ્ઞાન દ્વારા આવે છે.


એની બદલે એવી રીતે જીવો કે, તમે આપડા પરભુ અને તારનાર ઈસુ મસીહની તમારા પ્રત્યે કૃપાના કામોને વધારેમાં વધારે અનુભવ કરતાં રયો, અને તમે એને વધારે હારી રીતે જાણો. હું પ્રાર્થના કરું છું કે, દરેક ઈસુ મસીહનુ સન્માન હવે અને સદાય હાટુ કરે! આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ