Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 1:3 - કોલી નવો કરાર

3 આ હારા હમાસાર એના દીકરા પરભુ ઈસુ મસીહના વિષે છે ઈસુ દેહિક રીતે રાજા દાઉદના વંશમાં જનમો હતો,

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 1:3
66 Iomraidhean Croise  

ઈસુ મસીહના વડવાઓની પેઢીની યાદી જે ઈબ્રાહિમ અને દાઉદ રાજાની પેઢીનો હતો.


અને યાકુબનો દીકરો યુસફ જે મરિયમનો ધણી હતો, મરિયમથી ઈસુ પેદા થયો અને ઈ મસીહ કેવાણો.


યિશાઈનો દીકરો ઈ દાઉદ રાજા અગાવ ઉરિયાની જે બાયડી હતી એનાથી દાઉદનો દીકરો થયેલો ઈ સુલેમાન,


તઈ બધાય લોકો સોકી ગયા અને કીધુ કે, “શું ઈ દાઉદ રાજાના કુળનો નથી?”


અને જોવો, ઈ પરદેશથી એક કનાની બાય નીકળીને સીમમાંથી આવીને રાડ પાડીને એને કેવા લાગી કે, “ઓ પરભુ! દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર, મારી દીકરીને મેલી આત્મા બોવ હેરાન કરે છે.”


પણ ઈસુ મૂંગો રયો, તઈ પ્રમુખ યાજકે એને ફરી કીધુ કે, “હું એને જીવતા પરમેશ્વરનાં હમ દવ છું કે, પરમેશ્વરનો દીકરો જે મસીહ છે, ઈ તુ જ છે કે નય? ઈ અમને કય દે.”


એણે પરમેશ્વરનો વિશ્વાસ રાખ્યો છે, જો ઈ એને ગમાડતો હોય, તો હમણા જ એને છોડાવે કેમ કે, એણે કીધુ હતું કે, “હું પરમેશ્વરનો દીકરો છું”


અને સ્વર્ગમાંથી એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, જેનાથી હું બોવ રાજી છું.”


જઈ ઈસુ ત્યાંથી જાતો હતો, તઈ બે આંધળા એની વાહે જયને રાડો પાડવા લાગ્યા, “ઓ રાજા દાઉદના કુળના દીકરા, અમારી ઉપર દયા કર.”


સ્વર્ગદુતે એણે જવાબ આપ્યો કે, “પવિત્ર આત્મા તારા ઉપર આયશે, અને પરાત્પરનું પરાક્રમ તારી ઉપર છાયો કરશે, એટલે જે બાળક તારાથી જનમશે, ઈ પવિત્ર છે, અને ઈ પરમેશ્વરનો દીકરો કેવાહે.


અને એણે પોતાના દાસ દાઉદ રાજાના પેઢીના લોકોમાંથી આપડી હાટુ એક સામર્થી તારણ કરનાર મોકલો છે.


અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.


“મે જોયો છે અને મે તમને સાક્ષી આપી છે કે, આજ પરમેશ્વરનો દીકરો છે.”


નથાનિએલે એને જવાબ આપ્યો કે, “રાબ્બી એટલે ગુરુ તુ પરમેશ્વરનો દીકરો છે; તુ ઈઝરાયલ દેશનો રાજા છે.”


મારો બાપ અને હું એક છયી.”


તો શું તમે એને આમ કયો છો જેને બાપે પવિત્ર ઠેરાવીને જગતમાં મોકલ્યો છે, તમે નિંદા કરો છો; કેમ કે, મે કીધું કે, હું પરમેશ્વરનો દીકરો છું;


આ હાંભળીને થોમાએ જવાબ દીધો કે, “મારા પરભુ, મારા પરમેશ્વર!”


પણ આ ઈ હાટુ લખેલુ છે કે, જેથી તમે વિશ્વાસ કરો કે, ઈસુ મસીહ જ પરમેશ્વરનો દીકરો છે અને એની ઉપર વિશ્વાસ કરીને એના નામથી તમને જીવન મળે.


હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ વખત આવી ગયો છે, અને અત્યારે જ આવી ગયો છે, જઈ મરેલા લોકો પરમેશ્વરનાં દીકરાનો અવાજ હાંભળશે, અને જે કોય હાંભળે છે ઈ સદાય જીવતો રેહે.


શું શાસ્ત્રમા નથી લખ્યું કે, મસીહ દાઉદ રાજાની પેઢીનો અને બેથલેહેમ ગામમાંથી આયશે, જ્યાં દાઉદ રાજા હતો.”


ઈ આગમભાખીયો હતો, અને ઈ જાણતો હતો કે પરમેશ્વરે એને હમ ખાયને વાયદો કરયો, હું તારી પેઢીમાંથી એક માણસને તારી રાજગાદી ઉપર બેહાડય.


આપડા વડવાઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકુબના પરમેશ્વરે પોતાના સેવક ઈસુની મહિમા કરી, જેને તમે મારી નાખવા હાટુ પકડાવી દીધો, અને પિલાતે એને મુકી દેવાનો ફેસલો કરયો, તઈ તમે એની હામે ઈસુનો નકાર કરયો.


એને મારગમાં હાલતા-હાલતા એક તળાવ મળુ, તઈ ખોજાએ ફિલિપને કીધું કે, “જો, આ તળાવ પણ છે, તો મને જળદીક્ષા લેવામાં શું વાંધો છે?”


અને ઈ તરત દમસ્કસ શહેરની યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં પરસાર કરવા મંડો કે, ઈસુ પરમેશ્વરનો દીકરો છે.


પરમેશ્વર, જેની સેવા હું પોતાના પુરા હૃદયથી એના દીકરાના વિષે માણસોને હારા હમાસારનો પરચાર કરું છું, ઈજ મારી સાક્ષી છે કે, હું પોતાની પ્રાર્થનાઓમાં તમને લોકોને સદાય યાદ કરું છું


તો માણસદેહે આપડા વડવા ઈબ્રાહિમને જે મળ્યુ, એની વિષે આપડે શું કેયી?


કેમ કે, મારા ભાઈઓને બડલે, એટલે દેહના સબંધમાં મારા હગા સબંધીને બડલે હું પોતે જ હરાપિત થયને મસીહથી તરછોડાય જાવ, જાણે કે, એવી મને ઈચ્છા થાય છે.


વડવાઓ તેઓના છે, અને મસીહ દેહ પરમાણે તેઓમાનો છે; બધાય ઉપર રાજ કરનાર પરમેશ્વરનો સદાય મહિમા થાય, આમીન.


જે પરમેશ્વરે તમને એના દીકરા આપડા પરભુ ઈસુ મસીહની સંગતમાં તેડેલા છે, ઈ વિશ્વાસ કરવાને લાયક છે.


ઈઝરાયલ દેશના લોકોના રીવાજોને જોવો, જઈ બધાય લોકો પરમેશ્વરને સડાવેલું નીવેદ ખાય છે તો પરમેશ્વરની પૂજામાં ભાગ લેય છે. આ રીતે જે લોકો મૂર્તિઓને બલિદાન સડાવાવમાં આવેલ નીવેદ ખાય છે, તેઓ પણ ઈ મૂર્તિઓની પૂજામાં ભાગ લેય છે.


પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.


અને તમે કેવી રીતે પરમેશ્વરનાં દીકરાને સ્વર્ગથી પાછા આવવાની રાહ જોય રયા છો, જેને પરમેશ્વરે મરેલામાંથી પાછો જીવતો કરયો કા ઈસુને, જે પરમેશ્વરનાં આવનાર ગુસ્સાથી આપણને બસાવે છે.


કેમ કે, ખાલી એક જ પરમેશ્વર છે, અને પરમેશ્વર વધારે લોકોને મેળવનારો એક જ મધ્યસ્થી છે અને ઈ ઈસુ મસીહ છે, જે પોતે માણસોની મધ્યમાં પેદા થયો.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


ઈસુ મસીહ વિષે સદાય યાદ રાખ કે ઈ કોણ છે, ઈ તો રાજા દાઉદનો વંશ છે, જેણે પરમેશ્વરે મરણમાંથી જીવાડયો, અને ઈ જ હારા હમાસાર છે, જે હું લોકોમા પરચાર કરું છું


જે કાય આપડે ઈસુ મસીહ વિષે જોયું અને હાંભળ્યું છે ઈ જ સંદેશો અમે તમને હોતન બતાવી છયી, કેમ કે, અમારી હારે તમારી પણ સંગતી છે, અને અમારી આ ભાગીદારી પરમેશ્વર બાપની હારે, અને એનો દીકરો ઈસુ મસીહની હારે છે.


અને એની આજ્ઞા આ છે કે, આપણને એના દીકરા ઈસુ મસીહના નામ ઉપર વિશ્વાસ કરી અને જેમ એણે આપણને આજ્ઞા દીધી છે ઈ જ રીતે એક-બીજા ઉપર પ્રેમ રાખી.


જે કોય પાપ કરવાનું ચાલુ રાખે છે, ઈ શેતાન તરફથી છે કેમ કે, શેતાન પેલાથી જ પાપ કરતો આવ્યો છે. પરમેશ્વરનો દીકરો ઈ હાટુ આવ્યો કે, શેતાનના કામોનો નાશ કરે.


જે કોય આ સ્વીકાર કરે છે કે, ઈસુ પરમેશ્વરનો દીકરો છે, તો પરમેશ્વર એનામા અને ઈ પરમેશ્વરમાં વાસ કરે છે.


ઈસુ ઈ જ મસીહ છે જે કોય આ વિશ્વાસ કરે છે, તેઓ પરમેશ્વરનાં સંતાન છે, અને જે કોય બાપ ઉપર પ્રેમ રાખે છે, ઈ એના સંતાનોથી પણ પ્રેમ કરે છે.


અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.


જગત ઉપર વિજય મેળવનારા કોણ છે? ખાલી ઈ જ માણસ છે જે વિશ્વાસ કરે છે કે, ઈસુ જ પરમેશ્વરનો દીકરો છે.


હું ઈ હાટુ કય રયો છું કે, બોવ બધાય લોકો ખોટુ શિક્ષણ દયને બીજાઓને દગો આપે છે, તેઓ જુદી-જુદી જગ્યા ઉપર ગયા, તેઓ કેય છે કે, ઈસુ મસીહ એક માણસ બનીને આ સંસારમાં નથી આવ્યા; જો કોય માણસ એવુ કેય છે તો ઈ માણસ મસીહ વિરોધી છે, જે દરવખતે લોકોને દગો આપે છે.


થુઆતૈરા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “હું, પરમેશ્વરનો દીકરો જેની આખું આગની જ્વાળાની જેમ છે, અને જેના પગ પીતળની જેમ સમકે છે જેમ તેજ ગરમ આગમાં સમકે છે.” ઈ આ કેય છે,


Lean sinn:

Sanasan


Sanasan