પછી સોથા સ્વર્ગદુતે રણશિંગડું વગાડુ, તઈ સુરજનો ત્રીજો ભાગ, અને સાંદાનો ત્રીજો ભાગ અને તારાઓના ત્રીજા ભાગ હારે કાક ભટકાણુ, જેથી એનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો. દિવસનો ત્રીજો ભાગ અને રાતનો ત્રીજો ભાગ અંજવાળા વગરનો થય ગયો.
ઈ હાટુ તઈ ઈ સ્યારેય દુતોને ખોલી નાખવામાં આવ્યા ઈ પેલાથી જ તૈયાર હતાં અને એને કેવામાં આવું હતું કે, આ વખતે, આ દિવસે, આ મયને, અને આ વરહ હાટુ રાહ જોવે અને હવે ઈ આવી ગયો હતો એને જગતના ત્રીજા ભાગના લોકોને મારવાના હતા.