Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 3:1 - કોલી નવો કરાર

1 હું આ સંદેશો સાર્દિસ શહેરની મંડળીના સ્વર્ગદુતને લખું છું, આ સંદેશો એની તરફથી છે જે હાત તારાઓને પોતાના હાથમાં રાખે છે, અને જે પરમેશ્વરનાં હાત આત્માઓને મોકલે છે કે હું તારા કામોને જાણું છું, તુ જીવતો કેવા છો, પણ છો મરેલો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 3:1
30 Iomraidhean Croise  

કેમ કે, મારો દીકરો મરી ગયો હોય એવુ લાગતું હતું, હવે ઈ ફરીથી જીવતો થયો છે; આયા ખોવાય ગયો હતો, ઈ હવે પાછો જડયો છે, જેથી તેઓ આનંદ કરવા લાગ્યા.


પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”


કેમ કે, એની કૃપાથી એની ભરપુરી આપડે બધાયે પ્રાપ્ત કરી, અને આશીર્વાદ ઉપર આશીર્વાદ આપ્યો.


મે એને ઓળખ્યા નોતા; પણ જેઓએ મને પાણીથી જળદીક્ષા આપવા મોકલ્યો, એણે જ મને કીધું હતું કે, જેની ઉપર તુ આત્માને ઉતરતા અને રેતા જોહે, ઈ જ પવિત્ર આત્માથી જળદીક્ષા આપનાર છે.


ઈ ક્યને એણે તેઓની ઉપર શ્વાસ ફૂકીને કીધું કે, “તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.


કેમ કે, જેને પરમેશ્વરે મોકલો છે, ઈ પરમેશ્વરનાં વચન બોલે છે, કેમ કે, પવિત્ર આત્મામાંથી પુરી રીતે આપે છે.


હવે ઈ સ્વર્ગમા પરમેશ્વરનાં જમણા હાથે માનની જગ્યાએ બેઠેલો છે. અને બાપે જેવો ઈસુને વાયદો કરયો હતો, એને પવિત્ર આત્મા દીધો અને એણે પવિત્ર આત્મા આપણને દીધો છે, જેમ કે, આજે તમે જોવો અને હાંભળો છો.


વળી તમે અપરાધોમાં અને પાપોમાં મરણ પામેલા હતા, તઈ એણે તમને પાછા જીવતા કરયા;


જઈ અમે અપરાધોના કારણે મરેલા હતા, એણે આપણને જીવન આપ્યુ, જઈ એણે મસીહને મરેલામાંથી જીવાડયો, તો પરમેશ્વરની કૃપાથી જ તમને બસાવવામાં આવ્યા છે.


અને જઈ તમે આપડા પાપો અને સુન્‍નતની જેમ તમારો ખરાબ સ્વભાવ નય કાપવાના કારણે મરેલા હતાં, તઈ પરમેશ્વરે તમને મસીહની હારે જીવતા કરયા અને આપડા બધાય અપરાધોને માફ કરયા.


જે રંડાયેલ બાયુ પોતાના જીવનનો પુરો વખત મોજ-મજામાં વેડફે છે, ઈ એક મરી ગયેલા માણસની જેમ છે, જે દેહિક રીતે જીવે છે ખરી, પણ આત્મિક રીતે મરી ગય છે.


જેમ દેહ જીવ વગર મરેલો છે, એમ જ વિશ્વાસ પણ ભલા કામો વગરનો મરેલો છે.


મસીહનો આત્મા જે એનામા હતો, એણે મસીહનાં દુખ અને ઈ પછીના મહિમા વિષે સાક્ષી આપી, તઈ એણે ક્યો કા કેવો વખત બતાવ્યો એની તપાસ તેઓ કરતાં હતાં.


જઈ આ લોકો પરભુના પ્રેમને યાદ કરતાં તમારી હારે પ્રીતિ ભોજનમાં ખાય-પીવે છે, તો ઈ ભયાનક ભેખડોની જેવા હોય છે, જે દરિયાની નીસે હતાયેલી હોય છે, ઈ એવા શરમ વગરના ભરવાડોની જેમ છે, જે પોતાની જ સીંતા કરે છે. ઈ એવા વાદળાઓની જેવા છે. જે જમીન ઉપર વરહા વગર ગાજે છે, ઈ એવા શિયાળાની મોસમના ઝાડની જેવા છે, જે બેય રીતે મરેલા હોય છે કેમ કે, ઈ કોય ફળ નથી આપતા અને મુળીયેથી ઉખડી જાય છે.


એણે મને કીધું કે, “જે કાય તુ ભાળશો, એને સોપડીમા લખીને ઈ હાત મંડળીઓને મોકલ જે આ શહેરોમાં છે. એફેસસ, સ્મર્ના, પર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયા.”


એના પોતાના જમણા હાથમાં હાત તારા હતાં, અને એના મોઢામાથી તેજ બેધારી સામર્થી તલવાર નીકળતી હતી અને એનુ મોઢુ ભર-બપોરે તપતા સુરજની જેમ સમકતુ હતુ.


હવે હું બતાવય કે મારા જમણા હાથના હાત તારાઓનો શું અરથ છે અને હોનાની હાત દીવીઓનો શું અરથ છે જેમ કે પેલા ખબર નોતી કે એનો અરથ આમ છે. હાત તારા જે સ્વર્ગદુતોને દર્શાવે છે ઈ હાત મંડળીઓની રખેવાળી કરે છે અને હાત દીવીઓ હાત મંડળીઓને દર્શાવે છે.


હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.


હું જાણું છું કે, તારું શહેર શેતાનના કબજામાં છે, છતાય તે મારી ઉપરનાં વિશ્વાસને મજબુતીથી પકડી રાખ્યો છે અને તે મારા શિક્ષણને છોડયું નથી, ન્યા હુધી કે તોય પણ નય જઈ બોવ વખત પેલા આંતિપાસની હત્યા કરવામા આવી હતી. ઈ મારા વચનનો પરચાર કરવામા વિશ્વાસ લાયક હતો, ઈ હાટુ એને તારા શહેરમાં મારી નાખવામા આવ્યો જે શેતાનના કબજામા છે.


હું જાણું છું કે તમે એક-બીજાને પ્રેમ કરો છો, અને તમે મારી ઉપર મજબુતીથી વિશ્વાસ કરો છો, હું જાણું છું કે, તમે કેવી રીતે એકબીજાની મદદ કરી છે, અને તમારી સહન કરવાની શક્તિને પણ જાણું છું, હું જાણું છું કે, તમે મને અને બીજાઓને કેવી રીતે પ્રેમ કરયો છે. મારી ઉપર ભરોસો કરયો, મારી અને બીજાની સેવા કરી અને ધીરજથી મુશીબતોને સહન કરી.


હું જાણું છું કે, તુ શું કરશો, તુ પુરા મનથી મારું કામ કરશો, મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે જઈ તને હેરાન કરવામા આવે છે તો પણ તુ સહન કરશો અને હું જાણું છું કે, તુ ખરાબ લોકોના ખોટા શિક્ષણને સહન નથી કરતો, તુ એવા લોકોને પારખે છે જે કેય છે કે, તેઓ ગમાડેલા ચેલાઓ છે પણ ખરેખર નથી, અને તે એને ખોટા જાણયા છે.


હું જાણું છું કે, તને હેરાન કરવામા આવ્યો છે અને તુ ગરીબ છો. પણ આત્મિક બાબતોમાં તુ બોવ ધનવાન છો, હું ઈ લોકોની વિષે જાણું છું જે દાવો કરે છે કે, તેઓ યહુદી લોકો છે, પણ ઈ છે નય. તેઓ તારા વિષે ભુંડી વાતો બોલે છે, પણ ખરેખર તેઓ ઈ ટોળાના સભ્ય છે જે શેતાનનો છે.


મને ઈ બધીય ખબર છે જે તમે કરયુ છે તમે ઈ વાતનો નકાર નથી કરી હકતા કે, તમે મારા ઉપર ભરોસો કરો છો તમે પાણીની જેમ છો જે નથી ઠંડુ અને નથી ગરમ. કદાસ કે તમે ઠંડા હોત કે ગરમ.


તુ જાગૃત થા, અને મારા ઉપરનાં તારા ભરોશાને મજબુત કર જ્યાં હુધી કે તારામાં થોડોક ભરોસો બાકી રયો છે કેમ કે, ઈ પુરેપુરો નાશ થાય નય, હું જાણું છું કે તારી ખોટ બોવ મોટી છે કેમ કે, તુ જે કરી રયો છો પરમેશ્વર એનાથી રાજી નથી.


હું તારા કામોને જાણું છું, જોવો, મે તારી હામે એક કમાડ ખોલી રાખ્યો છે, જેને કોય બંધ નથી કરી હકતો, તારું સામર્થ્ય થોડુક તો છે, તોય પણ તે મારા વચનનું પાલન કરયુ છે અને મારા નામનો નકાર નથી કરયો.


ઈ રાજગાદીમાંથી વીજળીઓ અને ગર્જનાઓ નીકળતી હતી, અને રાજગાદીની હામે હાત દીવાઓ હળગી રયાતા, તેઓ પરમેશ્વરની હાત આત્માઓ છે,


તઈ મે એક ઘેટાના બસ્સાને જોયો જે રાજગાદી અને સ્યાર જીવતા પ્રાણીઓ અને સોવીસ વડીલોની વસે ઉભોતો, ઘેટાના બસ્સાના દેહ ઉપર એવી નિશાનીઓ હતી કે, એને પેલા મારવામાં આવ્યો હતો, એને હાત શીંગડા અને હાત આખું હતી, આ પરમેશ્વરની હાતેય આત્માઓ છે, જે આખી પૃથ્વી ઉપર મોકલમાં આવી છે.


Lean sinn:

Sanasan


Sanasan