નય તો જો તું આત્માથી સ્તુતિ કરય તો ન્યા જે ઓછુ હમજદાર માણસ બેઠો છે; ઈ તારી સ્તુતિ હાંભળીને “આમીન” કેવી રીતે કેહે? કેમ કે, તું શું બોલે છે, ઈ આવું હમજતો નથી.
જઈ તાકાતવર સ્વર્ગદૂતે બોલવાનું પુરું કરયુ; તઈ મે જે હાંભળુ ઈ આવી રીતે હતું, જેમ સ્વર્ગમા બોવ બધાય લોકો ગાતા હોય કે, હાલેલુયા તારણ અને મહિમા અને સામર્થ્ય આપડા પરમેશ્વરની હોય.
પછી મે જે હાંભળુ ઈ બોવ મોટા ટોળાનાં લોકોની રાડ નાખવાનો અવાજ લાગતો હતો, ઈ દરિયાની વિળોના અવાજ જેવો જોરદાર હતો અને વાદળાની ગડગડાહટ જેવો હતો એણે કીધું, “આવો આપડે પરમેશ્વરની મહિમા કરી, જે આપડા સર્વશક્તિશાળી પરમેશ્વર રાજા છે.”