6 જઈ પશુએ એનુ મોઢુ ખોલ્યુ તઈ એણે પરમેશ્વરની વિરુધ અનાદરની વાતુ કરી. જ્યાં પરમેશ્વર રેય છે ઈ હાટુ કે, સ્વર્ગમા અને ઈ બધાય લોકોની વિરુધ જે સ્વર્ગમા રેય છે.
તેઓનું મોઢુ ઉઘાડેલી ખરાબ વાસવાળી કબરોની જેમ છે કેમ કે, જે વાતો ઈ બોલે છે ઈ ખરાબ છે. ઈ પોતાના શબ્દોનો ઉપયોગ લોકોને દગો દેવા હાટુ કરે છે અને જે કાય પણ ઈ કેય છે ઈ લોકોના હોઠોમાં એરુનું ઝેર છે.
આ ભેગા કરવાવાળા મંડપો અને ઈ મંડપની વસમાં, તેઓએ એક પડદો બાધી દીધો અને બે ઓરડાઓ બનાવી દીધા. પેલા ઓરડામાં એક ધુપદાન હતું જેમાં હાત શાખાઓ હતી. ન્યા એક બાજોઠ હતું, જેની ઉપર પરમેશ્વરને સડાવાની રોટલી મુકવામાં આવતી હતી, અને આ ઓરડાને પવિત્રસ્થાન કેવામાં આવતું હતું.
કેમ કે મસીહ હાથે બનાવેલા પવિત્ર જગ્યા કે, જે હાસાયનો નમૂનો છે એમા ગ્યા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, ઈ હાટુ કે ઈ હમણાં આપણી હાટુ પરમેશ્વરની હામે હાજર થાય.
તમે બધાય જે સ્વર્ગમા રયો છો, તમારે રાજી થાવુ જોયી, પણ તમે જે પૃથ્વી ઉપર અને દરીયામા રયો છો, ભયાનક રીતેથી પીડાહો કેમ કે, શેતાન તમારી પાહે નીસે આવી ગયો છે અને ઈ બોવ જ ગુસ્સામા છે કેમ કે, ઈ જાણે છે કે એની પાહે કામ કરવાનો જાજો વખત નથી.
પછી કોકે સ્વર્ગથી કીધુ કે, “હે સ્વર્ગમા રેનારા, બાબિલ શહેરની હારે જે થયુ છે એની ઉપર રાજી થા! તમે જે પરમેશ્વરનાં લોકો છો, જેમા ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓ હારે છે, રાજી થાવ. તમારે રાજી થાવુ જોયી; પરમેશ્વરે ઈ લોકોને વ્યાજબી સજા આપી છે કેમ કે, તેઓએ તમારી વિરુધ બોવ જ ખરાબ કામ કરયુ છે.”
પછી મે એક અવાજ હાંભળ્યો જે પરમેશ્વરની રાજગાદીથી જોરથી બોલવાનો હતો, એણે કીધું કે, જોવો હવેથી પરમેશ્વર માણસજાતની હારે રેહે અને તેઓ એના લોકો હશે, અને પરમેશ્વર પોતે પવિત્રજગ્યામાં એની હારે રેહે અને તેઓને પોતાના લોકોની જેમ અપનાયશે અને તેઓ એને પોતાના પરમેશ્વરનાં રૂપમાં અપનાવશે.
મારી આ બધીય વાતોને જોયા પછી, મે યોહાને સ્વર્ગમા એક ખોલેલો કમાડ જોયો, પછી મે ઈજ પેલો અવાજ બીજીવાર હાંભળ્યો જો કે એક રણશિંગડાના અવાજ જેવો હતો. એણે મને કીધું, “મારી પાહે આયા ઉપર આવ, અને હું ઈ વાતો તને બતાવય, જેને આ વાતો પુરી થાવી જરૂરી છે.”
અને મે દરેક પ્રાણીને જે સ્વર્ગમા છે અને પૃથ્વી ઉપર છે અને પૃથ્વીની નીસે છે અને દરીયામાં છે એને કેતા હાંભળ્યું, “આપડે સદાય હાટુ એની જે રાજગાદી ઉપર બેહે છે અને ઘેટાના બસ્સાની સ્તુતિ, માન, અને મહિમા કરવી જોયી, ઈ પુરી તાકાતથી સદાય હાટુ રાજ્ય કરે.”
ઈ હાટુજ તેઓ પરમેશ્વરની રાજગાદીની હામે ઉભા છે, અને તેઓ દરેક વખતે રાત-દિવસ પરમેશ્વરનાં મંદિરમાં એનુ ભજન કરે છે, અને જે રાજગાદી ઉપર બેહે છે, એની વસે રેહે અને એની દેખરેખ કરશે.
એની પછી મે જોયુ કે, લોકોનુ એક એટલુ મોટુ ટોળુ હતુ કે, કોય તેઓને ગણી હકતો નોતો, તેઓ જગતની દરેક પ્રજા, કુળ, દેશ અને ભાષામાંથી હતાં, તેઓ રાજગાદી અને ઘેટાના બસ્સાની હામે ઉભા હતાં, તેઓએ ધોળા લુગડા પેરેલા હતાં અને દરેક માણસે પોતપોતાના હાથમાં ખજુરીની ડાળખ્યું પકડી રાખી હતી. જે એક તેવારની નિશાની હતી.