Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 11:8 - કોલી નવો કરાર

8 એના મરેલા દેહ ઈ મોટા શહેરની શેરીઓમા છોડી દેવામાં આયશે જ્યાં એના પરભુને ખીલા મારીને વધસ્થંભ ઉપર સડાવવામા આવ્યો હતો. ઈ શહેરને પ્રતિકરૂપે સદોમ કે મિસર દેશ કેવામા આવે છે કેમ કે, ન્યાના લોકો બોવજ ખરાબ છે, ઈ લોકોની જેમ જે સદોમ અને મિસરમા રેય છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 11:8
40 Iomraidhean Croise  

હું તમને હાસુ કવ છું કે, ન્યાયના દિવસે ઈ શહેરની દશા સદોમ અને ગમોરા શહેરથી વધારે ભુંડી હશે.


અને શાઉલ જમીન ઉપર પડીયો, અને એણે પભુરનો અવાજ હાંભળ્યો, “હે શાઉલ, હે શાઉલ, તુ મને કેમ સતાવ છો?”


આ કારણે, ઈસુએ પણ લોકોને પોતાના લોહી દ્વારા પવિત્ર કરવા હાટુ યરુશાલેમ શહેરની બારે દુખ સહન કરીને મરી ગયા.


અને જો તેઓ વિશ્વાસ કરવાનું છોડી દેય છે, અને તેઓને પસ્તાવો કરવા હાટુ કોય મારગ નથી, કેમ કે ઈ એવું જ થાહે; જેમ પરમેશ્વરનાં દીકરાને બીજીવાર વધસ્થંભ ઉપર સડાવી રયા છે અને જાહેરમાં ખુલ્લી રીતે એની ઠેકડી ઉડાડે છે.


પરમેશ્વરે સદોમ અને ગમોરા શહેરને દંડિત કરયા, અને એણે એવા ભસ્મ કરી દીધા કે ઈ હળગીને રાખ થય ગયા, એમણે એને એક દાખલો બનાવી દીધો કે, જે લોકો પરમેશ્વરનો અનાદર કરે એની હારે શું થાહે?


સદોમ અને ગમોરા અને એની આજુ-બાજુના શહેરોને યાદ કરો, જે ઈ જ રીતે છીનાળવા અને ભુંડા કામોમાં ગરક થયને અનંતકાળની આગમાં સજા સહન કરીને સેતવણી હાટુ નમુનારૂપે જાહેર થયા છે.


ઈ વખતે યરુશાલેમ શહેરમાં એક મોટો ધરતીકંપ થ્યો અને શહેરના મહેલોનો દસમો ભાગ નાશ થય ગયો અને ઈ ધરતીકંપથી 7,000 લોકો મરી ગયા અને જે લોકો બસી ગયા હતાં તેઓ ગભરાયને રોવા લાગ્યા અને ઈ પરમેશ્વરની મહાનતાની મહિમા કરવા લાગ્યા જે સ્વર્ગમા છે.


અને દરેક પ્રજા, જાતી, ભાષા અને રાજ્યના લોકો એના મરેલા દેહને હાડી ત્રણ દિ હુધી જોતા રેહે, પણ એને દાટવા દેહે નય.


પરમેશ્વરે દ્રાક્ષોને શહેરની બારે દ્રાક્ષારસના કુંડમાં નીસવી અને લોહી બાર આવ્યું! લોય એક ધારરૂપે વહેવડાણુ એટલું ઉસુ કે, ઈ ઘોડાની લાગામો હુધી પુગી ગ્યુ અને ત્રણસો કિલોમીટર હુધીના વિસ્તારમા ફેલાય ગ્યુ.


એકબીજા સ્વર્ગદુતે એની પછી આવીને કીધું કે, “બોવ જ ખરાબ શહેર બાબિલોનનો હવે પુરી રીતે નાશ થય ગયો છે! બાબિલોને બધીય જાતિના લોકોને એની હારે છીનાળવાની વાસનામાં રસા-પસા રાખ્યા. બેબીલોન એની જેવું છે જે બીજાઓને પીવા હાટુ ખુબ જ દ્રાક્ષારસ આપે છે!”


પરિણામ સ્વરૂપે મહાન શહેર બાબિલોન ત્રણ ટુકડામા વેસાય ગયું અને આખા જગતના બધાય શહેર નાશ થય ગયા કેમ કે, પરમેશ્વરે આ પુરું કરૂ જેવુ એણે બેબિલોનના લોકોને દંડના વિષે વાયદો કરયો હતો. આથી પરમેશ્વર તરફથી કડક દંડ દેવામા આયશે, આ એવુ જ થાહે; જેમ તેઓએ પાણી નાખ્યા વગરનો દ્રાક્ષારસ પીય લીધો હોય. જેને પરમેશ્વરે પોતે ઈ પ્યાલાને રેડયો છે, જે એના ગુસ્સાને બતાવે છે.


જે હાત સ્વર્ગદુતોની પાહે ઈ હાત પ્યાલા હતાં, એમાથી એકે આવીને મને આ કીધું કે, “આયા આવ, હું તને દેખાડય કે, પરમેશ્વર કેમ ઈ મોટી વેશ્યાને દંડ આપશે, જે એક એવી જગ્યાએ બેહે છે, જ્યાં ઘણીય નદીયું છે.


હવે તમે જે બાય જોય છે ઈ ભુંડા શહેરની આગેવાની કરે છે, જે પૃથ્વીના લોકો ઉપર રાજ્ય કરે છે.”


એના માથા ઉપર એક નામ લખેલુ હતું જેનો એક ગુપ્ત અરથ હતો જે આ રીતે હતો “હું મહાન શહેર બાબિલોન છું હું બધીય વેશ્યાઓની મા છું” જે જગતની બધીય ખરાબ વસ્તુઓની મુળ જગ્યા છું


અને એની પીડાની બીકના મારા તેઓ બોવ છેટા ઉભા રેયને કેહે કે, “હે મોટા શહેર બાબિલોન! હે દ્રઢ નગર, હાય! હાય! પરમેશ્વરનો ન્યાય તારી ઉપર અસાનક આવી ગયો છે.”


અને જઈ તેઓ ઈ આગથી નિકળનારા ધુવાડાને જોહે, જે શહેરને હળગાવતી હતી, તઈ તેઓને રાડ નાખીને, કેહે કે, “આ મહાન શહેરના જેવું કોય બીજુ શહેર નથી.”


એણે હાંક મારીને કીધું હવે હારી ગયુ છે પ્રખ્યાત બાબિલોન શહેર હવે હારી ગયુ છે. આજે દરેક પરકારની મેલી આત્માઓ ન્યા રેવા હાટુ વય જાહે અને ઈ અશુદ્ધ અને ધિક્કારેલ પક્ષીઓના માળાઓ બનાવવાની જગ્યા હશે.


પછી એક શક્તિશાળી સ્વર્ગદુતે મોટી ઘંટીના પડની જેમ એક પાણો ઉપાડયો, અને એવુ કયને દરીયામાં નાખી દીધો, “મોટા શહેર બાબિલોનને બોવ જ હિંસાથી નાશ કરી નાખવામાં આયશે, ઈ શહેર પછી બીજીવાર પાછો જોવામાં નય આવે.


પરમેશ્વર બાબીલોન શહેરને ઈ હાટુ દંડ દેહે, કેમ કે એણે આગમભાખીયાઓને, અને બીજા બધાય લોકોને જે પરમેશ્વરનાં છે અને બધાય જગતના લોકોને મારી નાખવામા ગુનેગાર હતા.


Lean sinn:

Sanasan


Sanasan