પણ જો ઉજેરવામાં આવેલા જૈતુન ઝાડની કેટલીક ડાળ્યું તોડી નાખવામાં આવી છે, અને જંગલી જૈતુન ઝાડની ડાળ્યુંની એમા કલમ કરવામા આવી છે. તમે બિનયહુદીઓ પેલા જંગલી જૈતુન ઝાડની ડાળ્યું જેવા હતા. હવે યહુદીઓનું મુળ જે તાકાત અને રસથી ભરેલું છે એના જીવનમાં તમે ભાગીદાર થયા છો.
હવે હું બતાવય કે મારા જમણા હાથના હાત તારાઓનો શું અરથ છે અને હોનાની હાત દીવીઓનો શું અરથ છે જેમ કે પેલા ખબર નોતી કે એનો અરથ આમ છે. હાત તારા જે સ્વર્ગદુતોને દર્શાવે છે ઈ હાત મંડળીઓની રખેવાળી કરે છે અને હાત દીવીઓ હાત મંડળીઓને દર્શાવે છે.