તઈ પાઉલે ઈ જાણીને થોડાક સદુકી ટોળાના લોકો અને થોડાક ફરોશી ટોળાના લોકોને, મોટી સભામાં રાડ નાખીને કીધું કે, “હે ભાઈઓ, હું ફરોશી ટોળાનો માણસ છું અને મારા બાપદાદા પણ ફરોશી ટોળાના છે, અને મારો ન્યાય ઈ હાટુ થાય છે. કેમ કે મારી આશા છે કે પરમેશ્વર લોકોને મરેલામાંથી જીવતા કરશે.”
આ વાયદાને પુરો કરવાની આશા રાખીને, આપડા બાર કુળના લોકો પોતાના હાસા મનથી રાત-દિવસ પરમેશ્વરનુ ભજન કરતાં આવ્યા છે, હે રાજા, આ જ આશાનાં કારણે યહુદી લોકો મારા ઉપર આરોપ લગાડે છે.
શુભ લંગર બારી નામનું બંદર શિયાળો કાઢવા હાટુ લાયક નથી, ઈ હાટુ ઘણાયને સલાહ આપી કે, આપડે આયથી નીકળી જાયી ગમે ઈ રીતે ફેનીકસ બંદરે પુગી, ઈ હાટુ કે, આ ખરાબ વાતાવરણથી બોવ જ સુરક્ષિત છે. ન્યા શિયાળો કાઢી; ન્યા ક્રીતનું બંદર છે, નૈઋત્ય અને વાયવ્યની હામે એનુ મોઢું છે.
જઈ હું ઈ લોકોની હારે હોવ છું જેનો વિશ્વાસ નબળો છે, તો હું એની હામે એક હરખો વ્યવહાર કરું છું, જેથી તેઓને મસીહની વાહે હાલવામાં મદદ કરી હકુ. હવે હું દરેક પરકારના માણસો હાટુ એની જેમ બની ગયો કે, કોયને કોય રીતેથી મારા દરેક પ્રયત્ન દ્વારા કેટલાક લોકોને બસાવી હકુ.
હું પોતાના દેહને કાબુમાં રાખુ છું જેથી હું એની ખરાબ ઈચ્છાઓ પરમાણે નો હાલું ક્યાક એવું નો થાય કે, હું જે બીજાના હારા હમાસાર પરચાર કરું છું, અને હું પોતે જ ઈનામ નો મેળવું.
પણ મને બીક લાગે છે કે, જેમ શેતાન એરુના રૂપમાં પોતાની સાલાકીથી ઓલી બાય હવાને છેતરી, ઈ જ તમારા મનને પણ તે પ્રમાણિકતા અને પવિત્રતાથી જે તમે મસીહમાં સેવા કરો છો ક્યાક એને છોડી નો દયો.
આ કારણથી જઈ હું આ જાણયા વિના રય નો હકયો કે, તમે કેમ છો, તો તમારા વિશ્વાસની વિષે જાણવા હાટુ મે તિમોથીને તમારી પાહે મોકલ્યો, કેમ કે મને બીક હતી કે, પરીક્ષણ કરનારો શેતાને તમારી પરીક્ષા કરી હોય, અને અમારી મેનત નકામી ગય હોય.
હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.
કેટલીક બાયુએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી જ પોતાના મરેલાઓને ફરીથી જીવતા જોયા, ઘણાય તો માર ખાતા-ખાતા મરી ગયા, તેઓ એનાથી છુટવા નથી માગતા ઈ હાટુ કે જઈ તેઓ મરેલામાંથી જીવતા થાહે તઈ ઉતમ જીવન પ્રાપ્ત કરે.
આ ઈ જ હતાં જે ફરીને મરેલામાંથી જીવતા થયા જઈ પરમેશ્વરે પેલીવાર મરેલા લોકોને ફરીથી જીવાડા. બાકીના વિશ્વાસી જે મરી ગયા હતાં ઈ ફરીથી જીવતા નો થયા, જ્યાં હુધી એક હાજર વરહ પુરા નો થયા.