4 હું આ ઈ હાટુ કરી રયો છું કે, જેથી તમને દરેક એવી વાતુની હાસી ખબર પડે જે લોકો દ્વારા તમને શીખવાડવામાં આવી છે.
પણ આ ઈ હાટુ લખેલુ છે કે, જેથી તમે વિશ્વાસ કરો કે, ઈસુ મસીહ જ પરમેશ્વરનો દીકરો છે અને એની ઉપર વિશ્વાસ કરીને એના નામથી તમને જીવન મળે.
એણે પરભુના મારગની શિક્ષણ મેળવેલી હતી, અને મન લગાડીને ઈસુના વિષયમાં ઠીક-ઠીક હંભળાવતો અને શિખવાડતો હતો. પણ ઈ ખાલી યોહાનની જળદીક્ષાની વાતને જાણતો હતો.
તમે જાણો છો કે, પરમેશ્વર તમારાથી શું કરાવવા માગે છે અને તમે જાણો છો કે, શું હાસુ છે કેમ કે, તમને મૂસાના નિયમશાસ્ત્રમાંથી શીખવાડયુ છે.
પણ એના સિવાય, જો હું વિશ્વાસીઓની એક મંડળીમાં છું, હું એનો ઉપયોગ નય કરી હકુ કેમ કે, ઈ મારી હાટુ હારું છે અને પાસ શબ્દ કવ જે એવા કે, હંમજાય અને શીખવુ કા બીજાને માર્ગદર્શન આપું, એના બદલે મારી ભાષાના બોલ હજારો હોય પણ હંમજી નથી હકાતા.
મસીહ સંદેશાનું શિક્ષણ લેતા માણસે પોતાના શિક્ષકને બધીય હારી બાબતોમાંથી હિસ્સો આપવો જોયી.