Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓને પત્ર 2:2 - કોલી નવો કરાર

2 ઈ વખતે તમે આ જગતના ઈ લોકોની રીત પરમાણે કરતાં હતા, જે પરમેશ્વરને નથી જાણતા અને તમે દુષ્ટ આત્માઓનો સરદાર જે આભમાં છે, એની પરમાણે કરતાં હતા, જે હવે ઈ લોકોને કાબુમાં કરવાની કોશિશ કરી રયો છે જે પરમેશ્વરની આજ્ઞા પાલન નથી કરતાં.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓને પત્ર 2:2
64 Iomraidhean Croise  

પણ જઈ હું, માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ, વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર! પણ માણસના કામોથી સાબિત થાય છે કે, જ્ઞાની કોણ છે.


જે કાંટાવાળી જાળાઓમાં જે બી પડયું ઈ જ ઈ છે કે, જે વચન હાંભળે છે પણ આ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા વચનને દબાવી દેય છે, આવી વાતોને લીધે માણસ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.


ખેતર જગતના લોકો છે, હારા બી પરમેશ્વરનાં રાજ્યના લોકો છે, પણ લુણીના બી શેતાનના લોકો છે.


પણ તેઓ રૂપીયાવાળા થાવા માગે છે અને તેઓ ઈચ્છે છે કે, તેઓની પાહે ઘણીય બધીય વસ્તુઓ હોય. ઈ હાટુ તેઓ ખાલી જે તેઓની પાહે છે ઈ વિષે સીન્તા કરે છે અને તેઓ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે અને તેઓ હારું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે.


એના માલિકે ઈ અન્યાયી કારભારીના વખાણ કરયા, કારણ કે, એણે હોશિયારીથી કામ કરયુ હતું. કેમ કે, આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.


સિમોન! સિમોન! હાંભળ! જેમ કોક દ્વારા ઘઉંને સાળવામાં આવે છે, એમ તારું પરીક્ષણ કરવા હાટુ શેતાને માગણી કરી છે. અને પરમેશ્વર એને ઈ કરવાની રજા આપી છે.


હવે આ જગતના લોકોનો ન્યાય કરવાનો વખત આવી ગયો છે, અને હવે આ જગતના અધિકારને બારે કાઢી નાખવામાં આયશે.


જઈ ઈસુ અને એના ચેલાઓ રાતે વાળુ કરતાં હતાં, તઈ શેતાને પેલા જ ઈસુને દગાથી પકડાવવા હાટુ સિમોનના દીકરા યહુદા ઈશ્કારિયોતના મનમા ઈ વિસાર નાખી દીધો હતો.


અને જેવું યહુદા ઈશ્કારિયોતને રોટલીનો કોળીયો ખાધો, તરત શેતાન એનામા ઘરી એણે કાબુમાં કરયો, તઈ ઈસુએ એને કીધું કે, “જે તુ કરવણો છો, ઈ ઘાયેઘા કરય.”


મારી પાહે હવે તમારી હારે વાત કરવા હાટુ વધારે વખત નથી રયો, કેમ કે આ જગતનો અધિકારી શેતાન આવી રયો છે, એનો મારી ઉપર કોય અધિકાર નથી.


જો તમે જગતના લોકોની જેમ રયો છો તો આ જગતના લોકો પોતાના હમજી પ્રેમ કરશે, પણ ઈ કારણે કે, તુ આ જગતનો માણસ નથી, પણ મે તને જગતના લોકોમાંથી ગમાડી લીધો છે, ઈ હાટુ જગતના લોકો તારાથી નફરત કરે છે.


ન્યાયના વિષે ઈ બતાયશે કેમ કે, આ જગતના અધિકારીનો ન્યાય કરવામા આવ્યો છે.


જગતના લોકો તમારી ઉપર ધિક્કાર નય કરી હકે, પણ તેઓ મારી ઉપર ધિક્કાર કરે છે, કેમ કે એના વિષે હું આવી સાક્ષી દવ છું કે, તેઓના કામો ખરાબ છે.


ઈસુએ તેઓને કેતો રયો કે, “તમે આ ધરતી ઉપર જનમ લીધો છે, પણ હું સ્વર્ગથી આવ્યો છું, તમે આ જગતના છો, પણ હું આ જગતનો નથી.


તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.


તઈ એફેસી શહેરમાં નગરશેઠના લોકોને શાંત કરીને કીધું કે, “હે એફેસસ શહેરમાં રેનારા લોકો, કોણ નથી જાણતો કે એફેસસ શહેરના લોકોનું મહાન દેવી આર્તેમિસ મંદિરમાંથી દેખરેખ કરે છે, અને એની મૂર્તિ આભમાંથી પડી હતી.


તઈ પિતરે કીધું કે, હે અનાન્યા જો શેતાને તારા મનમા પવિત્ર આત્માથી ખોટુ બોલવાનો વિસાર નાખ્યો છે અને ઈ વેસેલી જમીનના રૂપીયામાંથી થોડાક રૂપીયા તે તારી હાટુ રાખી લીધા.


આ જગતના રીતી-રિવાજોનું અનુસરણ નો કરો, પણ પોતાના મનને પુરેપુરા પરિવર્તન દ્વારા તમારો વ્યવહાર પણ બદલતો જાય, જેથી તમે પરમેશ્વરની હારી અને ગમતી, અને પુરેપુરી ઈચ્છા જાણી હકો.


મારો કેવાનો અરથ આ હરાહર નથી કે, તમે જગતના તે બધાય છીનાળવાઓથી, જે ખરાબ કામો કરવાવાળા, લોભીઓ, છેતરપીંડીઓ, મૂર્તિપૂજકો છે, કોય સબંધ નો રાખતા, બીજાઓ તમને તો જગતથી જ જાવું પડશે.


પેલા તમારામાંથી કેટલાક એવા હતા, પણ હવે તમે પરભુ ઈસુ મસીહના નામે અને આપડા પરમેશ્વરનાં આત્માથી શુદ્ધ થયા, અને ન્યયીપણું પામ્યા છો.


આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.


આપડા પરમેશ્વર અને બાપની ઈચ્છા પરમાણે ઈસુ મસીહે પોતાની જાતને આપડા પાપોના લીધે બલિદાન કરી દીધું જેથી આપડે આ અત્યારના જગતના લોકોના ખરાબ પરભાવથી બસેલા રેયી.


ન્યા બધીય પરકારની રાજ્યસતા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને દરેક નામ જે આ યુગનું જ નય પણ જે આવનાર યુગનું દરેક નામ હોય, ઈ બધાય કરતાં ઉસુ કરયુ,


ઈ હાટુ યાદ રાખો કે, તમે જનમથી બિનયહુદી છો. યહુદીઓ તમને સુન્‍નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્‍નત કરાવેલ તરીકે ઓળખાવે છે. આ તો દેહિક સુન્‍નતનો નિર્દેશ છે. જેથી વીતેલા વખતમાં તમે કેવા હતા ઈ યાદ કરો!


પણ એક વખત હતો જઈ તમે છેટા હતા, પણ હવે મસીહ ઈસુમાં એના લોહી દ્વારા તમને પાહે લીયાવવામાં આવ્યા છે.


અમે પણ તેઓની જેમ જ જીવતા હતા, અમારા પાપી સ્વભાવની ઈચ્છાઓને પુરી કરતાં હતા. જે પણ અમારી ભુંડી ઈચ્છાઓ અને વિસાર આપડીથી કરાવવા માંગતા હતા અમે એની પરમાણે કરતાં હતા, બાકી બીજાઓની જેમ, અમે પણ સામાન્ય રૂપે ભુંડા હતા અને પરમેશ્વરની સજાને આધીન હતા.


ઈ હાટુ હું કવ છું અને પરભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા બિનયહુદી પોતાના મનની ભ્રમમાં હાલે છે, એમ હવેથી તમે નો હાલો;


તમારા શિક્ષકોએ તમને ઈ રીતેથી છોડી દેવાનું શિક્ષણ આપ્યુ, જેના પરમાણે તમે વ્યવહાર કરતાં હતા. તમારી ભુંડી ઈચ્છાઓએ તમને દગો દીધો અને તમારા જીવનને બરબાદ કરી દીધુ.


તે લોકોના દ્વારા મુરખ નો બનો જેઓ આ પાપોની હાટુ બાના બનાવવાની કોશિશ કરે છે, કેમ કે આજ કામોને કારણે પરમેશ્વરનો ગુસ્સો આજ્ઞા નો માનવાવાળા ઉપર ભડકે છે.


કેમ કે, તમે પેલા અંધારામાં રેનાર લોકોની જેમ હતા, પણ હવે તમે પરભુમાં છો; અજવાળાના બાળકોની જેમ છો.


કેમ કે, આપડે માણસોની હામા બાધણું બાધી રયા નથી. પણ આપડે પ્રધાનો અને અધિકારીઓની હામા અને અંધારાના અધિકારીઓથી અને ખરાબ આત્મિક જગતના સામર્થ્યની હામાં બાધી રયા છયી. ઈ હાટુ સ્વર્ગીય જગ્યાઓમાં ખરાબ આત્મિક લશ્કરોની હામે છે


એનાથી પેલા તમે પરમેશ્વરથી બોવ સેટા હતાં, અને તમે પરમેશ્વરનાં વેરીઓ હતાં કેમ કે, તમારા વિસારો અને કામો ભુંડા હતા.


કેમ કે, દેમાસે જગતની વસ્તુથી પ્રેમ કરીને મને છોડી દીધો છે, અને થેસ્સાલોનિકા શહેરમાં વયો ગયો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા પરદેશ અને તિતસ દલ્માતી વયો ગયો છે.


પરમેશ્વર આપડા બાપની પાહે શુદ્ધ અને નિર્મળ ભગતી આ છે કે, અનાથો અને રંડાયેલીની મુશ્કેલીમાં એની હારે રેય છે, અને પોતાની જાતને આ જગતના ખરાબ વેવારને આધીન નો થાવા દયો.


આવો માણસ આ નો હમજે કે, એને પરભુથી કાક મળશે,


હે વિશ્વાસઘાતી લોકો, તમારે આ જાણવું જોયી કે, જો તમે જગતની ભુંડી ઈચ્છાઓ હારે પ્રેમ રાખો છો તો તમે પરમેશ્વરની વિરુધમાં છો. ઈ હાટુ જો તમે જગતની ભુંડી ઈચ્છાઓથી પ્રેમ કરવા ઈચ્છો છો, ઈ પોતાની જાતને પરમેશ્વરનો દુશ્મન બનાવે છે.


અને કેમ કે, તમારે તમારા સ્વર્ગમાંના બાપની વાત માનવી જોયી, જેમ, બાળકોને આયા પૃથ્વી ઉપર પોતાના બાપની વાત માનવી જોયી, પેલા જેવા ખરાબ કામ નો કરો જે તમે પેલા કરવા ઈચ્છા હતાં, જઈ તમે પરમેશ્વરની વિષે હાસાયને જાણતા નોતા.


કેમ કે, જેમ બિનયહુદીઓ જેમાં ખુશી મનાવે છે, ઈ પરમાણે કામ કરવામા તમે તમારા જીવનનો ભૂતકાળનો વખત વિતાવ્યો છે, ઈ ઘણુય છે, ઈ વખત તમે છીનાળવામાં, દેહિક ઈચ્છાઓમા, દારૂ પીવામાં, મોજ-શોખમાં અને ધિક્કારાયેલી મૂર્તિપૂજામા ગરક હતા.


તેઓની આખું છીનાળવીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરવાથી બંધ થાતી નથી; તેઓ નબળા વિશ્વાસીઓને લલસાવે છે; તેઓના હૃદય લોભી છે, તેઓ હરાપીત છે.


એનાથી જ પરમેશ્વરનાં સંતાનો અને શેતાનના સંતાનો ઓળકહી હકાય છે, જે લોકો ન્યાયી કામો કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, અને તેઓ જે પોતાના વાલા વિશ્વાસી ભાઈ અને બહેનની ઉપર પ્રેમ રાખે છે ઈ પરમેશ્વર તરફથી છે.


જે કોય પાપ કરવાનું ચાલુ રાખે છે, ઈ શેતાન તરફથી છે કેમ કે, શેતાન પેલાથી જ પાપ કરતો આવ્યો છે. પરમેશ્વરનો દીકરો ઈ હાટુ આવ્યો કે, શેતાનના કામોનો નાશ કરે.


હે મારા વાલા બાળકો, તમે પરમેશ્વરનાં લોકો છો અને ખોટા આગમભાખીયાઓ ઉપર જય મેળવી છે, કેમ કે, પવિત્ર આત્મા જે તમારામા છે, ઈ શેતાનથી મોટી છે, જે જગતમાં છે.


આપડે જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી, અને આખુ જગત શેતાનના કબજામાં છે.


કેમ કે, પરમેશ્વરનો સંતાન જગત ઉપર વિજય મેળવે છે. ઈ વિજય, જે જગતને હરાવે છે, ઈ આપડો વિશ્વાસ છે.


તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.


એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો.


પૃથ્વી ઉપર રેનારા બધાય લોકો હિંસક પશુનુ ભજન કરવા લાગ્યા, ખાલી ઈ જ લોકોએ એની પૂજા નથી કરી જેઓનુ નામ જગતની રસના કરયા પેલા જ જીવનની સોપડીમા લખવામા આવ્યું હતુ, આ જીવનની સોપડી ઈ ઘેટાના બસ્સાની સોપડી છે જેને બલિદાનરૂપે મારી નાખવામા આવ્યો હતો.


હાતમા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુ હવા ઉપર રેડી દીધી, અને મંદિરની રાજગાદીમાંથી આ મોટો અવાજ થ્યો, “પુરું થય ગયુ”


એણે ઈ અજગરને પકડી લીધો, જે ઘણાય વખત પેલા એક એરુના રૂપે પરગટ થયો હતો, જેને શેતાન પણ કેવાય છે એને એણે હાકળથી બાંધ્યો અને ઊંડાણના જેલખાનામા ફેકી દીધો, એની પછી એણે એને બંધ કરી દીધો અને કમાડ ઉપર મુદ્રા લગાડી દીધી, જેથી ઈ એક હજાર વરહ પુરા થયા પછી દેશ-દેશના લોકોને ભરમાવાની કોય પણ રીત રેહે નય, જઈ ઈ પુરું થાહે તઈ એને ફરીથી સ્વતંત્ર કરવામા આયશે, પણ થોડીકવાર હુધી.


Lean sinn:

Sanasan


Sanasan