Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓને પત્ર 2:11 - કોલી નવો કરાર

11 ઈ હાટુ યાદ રાખો કે, તમે જનમથી બિનયહુદી છો. યહુદીઓ તમને સુન્‍નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્‍નત કરાવેલ તરીકે ઓળખાવે છે. આ તો દેહિક સુન્‍નતનો નિર્દેશ છે. જેથી વીતેલા વખતમાં તમે કેવા હતા ઈ યાદ કરો!

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓને પત્ર 2:11
29 Iomraidhean Croise  

એણે તેઓને કીધુ કે, “તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાવ, અને કામ કરો.”


પણ જો ઉજેરવામાં આવેલા જૈતુન ઝાડની કેટલીક ડાળ્યું તોડી નાખવામાં આવી છે, અને જંગલી જૈતુન ઝાડની ડાળ્યુંની એમા કલમ કરવામા આવી છે. તમે બિનયહુદીઓ પેલા જંગલી જૈતુન ઝાડની ડાળ્યું જેવા હતા. હવે યહુદીઓનું મુળ જે તાકાત અને રસથી ભરેલું છે એના જીવનમાં તમે ભાગીદાર થયા છો.


તો, ઈ હાટુ જો, સુન્‍નત વગરનો માણસ શાસ્ત્રની આજ્ઞાઓ પાળે છે, તો શું ઈ સુન્‍નત વગરનો સુન્‍નત વાળો નય ગણાય?


દેહથી જે સુન્‍નત વગરના છે તેઓ શાસ્ત્રનું પાલન કરીને, તમને એટલે કે જેની પાહે શાસ્ત્ર અને સુન્‍નત હોવા છતાય શાસ્ત્રનો નકાર કરનારને, શું ગુનેગાર નય ઠરાવે?


તમે જાણો છો કે, જઈ તમે વિશ્વાસ કરયો એની પેલા કેવું જીવન જીવતા હતા, તઈ કોય તમારી દોરવણી કરતાં હતા જેથી તમે મૂંગી મૂર્તિઓની પૂજા કરો.


પેલા તમારામાંથી કેટલાક એવા હતા, પણ હવે તમે પરભુ ઈસુ મસીહના નામે અને આપડા પરમેશ્વરનાં આત્માથી શુદ્ધ થયા, અને ન્યયીપણું પામ્યા છો.


આપડે જેઓ જનમથી યહુદી છયી અને પાપી બિનયહુદીઓ નથી જેઓ પરમેશ્વરનાં નિયમો વિષે કાય નથી જાણતા.


યહુદીઓને રાજી કરવા હાટુ તેઓ તમને સુન્‍નત કરાવવા હાટુ કેય છે, તેઓ એવું ખાલી ઈ હાટુ કરે છે, જેથી લોકો એને ઈ પરચાર કરવાના કારણે નો સતાવે કે, પરમેશ્વર લોકોને ખાલી ઈ હાટુ બસાવે છે કેમ કે, તેઓ વિશ્વાસ કરે છે કે, મસીહ ઈસુ વધસ્થંભ ઉપર મરયો.


ઈ વખતે તમે આ જગતના ઈ લોકોની રીત પરમાણે કરતાં હતા, જે પરમેશ્વરને નથી જાણતા અને તમે દુષ્ટ આત્માઓનો સરદાર જે આભમાં છે, એની પરમાણે કરતાં હતા, જે હવે ઈ લોકોને કાબુમાં કરવાની કોશિશ કરી રયો છે જે પરમેશ્વરની આજ્ઞા પાલન નથી કરતાં.


કેમ કે, તમે પેલા અંધારામાં રેનાર લોકોની જેમ હતા, પણ હવે તમે પરભુમાં છો; અજવાળાના બાળકોની જેમ છો.


કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્‍નતી છયી.


એનાથી પેલા તમે પરમેશ્વરથી બોવ સેટા હતાં, અને તમે પરમેશ્વરનાં વેરીઓ હતાં કેમ કે, તમારા વિસારો અને કામો ભુંડા હતા.


જઈ તમે મસીહ ઉપર વિશ્વાસ કરયો, તો તમારી સુન્‍નત માણસો દ્વારા કરવામા આવી નથી, પણ ઈ સુન્‍નત મસીહના કારણે થય છે જેનાથી તમારો પાપી સ્વભાવ આઘો કરયો.


અને જઈ તમે આપડા પાપો અને સુન્‍નતની જેમ તમારો ખરાબ સ્વભાવ નય કાપવાના કારણે મરેલા હતાં, તઈ પરમેશ્વરે તમને મસીહની હારે જીવતા કરયા અને આપડા બધાય અપરાધોને માફ કરયા.


ઈ કારણે તેઓમાં એક પણ નથી, નય કોય યહુદી, નય કોય બિનયહુદી, નય કોય સુન્‍નતી, નય કોય બેસુન્‍નતી, નય કોય વિદેશી, નય કોય સ્વદેશી, નય કોય ગુલામ અને નય કોય સ્વતંત્ર, ઈ બધાયની વસે કોય ભેદભાવ નથી, મસીહ દરેકમાં સમાન રીતે રેય છે.


Lean sinn:

Sanasan


Sanasan