Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથીને પત્ર 2:8 - કોલી નવો કરાર

8 ઈસુ મસીહ વિષે સદાય યાદ રાખ કે ઈ કોણ છે, ઈ તો રાજા દાઉદનો વંશ છે, જેણે પરમેશ્વરે મરણમાંથી જીવાડયો, અને ઈ જ હારા હમાસાર છે, જે હું લોકોમા પરચાર કરું છું

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથીને પત્ર 2:8
18 Iomraidhean Croise  

ઈસુ મસીહના વડવાઓની પેઢીની યાદી જે ઈબ્રાહિમ અને દાઉદ રાજાની પેઢીનો હતો.


અને ઈસુએ પાહે આવીને તેઓને કીધું કે, “શાસ્ત્રોમાં આ લખેલુ છે કે, મસીહને દુખ સહન કરવુ, અને ત્રીજા દિવસે મરણમાંથી પાછુ જીવતું થાવું,


ઈ જ પેઢીમાંથી પરમેશ્વરે પોતાના વાયદા પરમાણે ઈઝરાયલ દેશના લોકોની પાહે એક તારનાર એટલે ઈસુને મોકલ્યો.


તોય પરમેશ્વરે એને મોત પછી પાછો જીવતો કરી દીધો. એને એણે મોતની તાકાતથી છુટ્ટો કરયો, કેમ કે, તેઓ ઈસુને મોતની હાટુ પોતાના કાબુમાં રાખી હકતા નથી.


ઈ આગમભાખીયો હતો, અને ઈ જાણતો હતો કે પરમેશ્વરે એને હમ ખાયને વાયદો કરયો, હું તારી પેઢીમાંથી એક માણસને તારી રાજગાદી ઉપર બેહાડય.


હવે જે સંદેશાને પેલાથી જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ ઈ આ મસીહના વખતમાં જાહેર થયો છે અને બધીય જાતિઓ વિશ્વાસની આધીન થાય, ઈ હાટુ સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓમાં તેઓને જણાવવામાં આવ્યો છે.


આ ઈ દિવસે થાહે જઈ પરમેશ્વર ન્યાય કરશે, ઈ હારા હમાસાર જેનો હું પરચાર કરું છું એની પરમાણે ઈસુ મસીહ દ્વારા માણસોની ખાનગી વાતોનો ન્યાય કરશે.


હવે ભાઈઓ અને બહેનો જે હારા હમાસાર મેં તમને પરગટ કરા છે જેને તમે પણ અપનાવા છે, અને એમા તમે મજબૂત પણ રયા છો,


અને એને દાટી દીધો અને શાસ્ત્રના વચનો પરમાણે ત્રીજા દિવસે પરમેશ્વરે એને મરેલામાંથી જીવતો કરી દીધો.


અમારા બતાવેલા હારા હમાસાર દ્વારા પરમેશ્વરે તમને બસાવવા હાટુ બોલાવા કે, તમે અમારા પરભુ ઈસુ મસીહની મહિમામાં સહભાગી થય હકો.


આ હાસુ શિક્ષણ અદભુત પરમેશ્વરની મહિમા વિષે હારા હમાસારથી સહમત થાય છે, જેણે મને પરચાર કરવાની જવાબદારી આપી છે.


અને આ કારણથી પરમેશ્વરે મને હારા હમાસારનો પરચાર કરવા, અને એક ગમાડેલો ચેલો અને બિનયહુદી લોકોને વિશ્વાસ અને હાસાયને વિષે શીખવાડવા હાટુ ગમાડયો છે, હું હાસુ જ કવ છું કાય ખોટુ બોલતો નથી.


ઈ હાટુ તુ પોતાના પરભુ ઈસુ મસીહના વિષે બતાવાથી કે, મારા વિષે જે હું એની હાટુ જેલખાનામાં છું, શરમાવાનું નથી, પણ પરમેશ્વર દ્વારા દીધેલું સામર્થને પરમાણે હારા હમાસાર હાટુ મારી હારે તુ હોતન દુખ ભોગવ.


જે હું કવ છું, એની ઉપર ધ્યાન આપ, અને પરભુ તને બધીય વાતોને હમજવા હાટુ મદદ કરશે.


આની ઉપર વડીલોમાંથી એકે મને કીધું કે, “રો માં, જોવો, ઈ જે યહુદા કુળનો સિંહ કેવાય છે, જે રાજા દાઉદનુ મુળ અને વારસદાર છે, ઈ સોપડીને ખોલવા અને એની હાતેય મુદ્રાઓ તોડવા હાટુ ઈ શેતાન ઉપર વિજય પામે છે.”


Lean sinn:

Sanasan


Sanasan