Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથીને પત્ર 2:13 - કોલી નવો કરાર

13 જો આપડે મસીહની હારે વિશ્વાસુ નો હોયી તો પણ ઈ આપડી હાટુ વિશ્વાસુ રેય છે કેમ કે, ઈ પોતાના સ્વભાવની વિરુધ નથી જય હકતો.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથીને પત્ર 2:13
11 Iomraidhean Croise  

આભ અને પૃથ્વીનો સદાય હાટુ નાશ થય જાહે, પણ મારા વચનો સદાય હાટુ રેહે.


જો કેટલાક યહુદી પરમેશ્વરની પ્રત્યે વિશ્વાસ લાયક નોતા તો શું થયુ? તો શું એનો અરથ આ છે કે, પરમેશ્વર એની હારે કરેલા પોતાના વાયદાને પુરા કરવામા અવિશ્વાસ થાહે?


મારું કેવું એમ નથી કે પરમેશ્વરનું વચન નિષ્ફળ ગયુ છે. કેમ કે, બધીય ઈઝરાયલ દેશની પેઢી પરમેશ્વરનાં ગમાડેલા લોકો નથી.


જે પરમેશ્વરે તમને એના દીકરા આપડા પરભુ ઈસુ મસીહની સંગતમાં તેડેલા છે, ઈ વિશ્વાસ કરવાને લાયક છે.


તમને બોલાવનારો વિશ્વાસ લાયક છે ઈ હાટુ ઈ તમને પવિત્ર થાવામાં હોતન લાયક બનાયશે કેમ કે, ઈ તમને પવિત્ર થાવાની હાટુ બોલાવે છે.


પણ તમે પરભુ ઉપર પુરી રીતે ભરોસો રાખી હકો છો, ઈ તમને આત્મિક રીતેથી મજબુત કરશે, અને શેતાનથી બસાવી રાખશે.


તઈ તેઓ પરમેશ્વરની હારે સદાય હાટુ રેવાની આશા રાખે છે, કેમ કે, પરમેશ્વર કોયદી ખોટુ બોલતા નથી, એણે જગતને બનાવા પેલાથી જ અનંતકાળના જીવનનો વાયદો કરયો હતો કે, એના લોકો સદાય હાટુ જીવતા રેહે.


એથી વાયદો અને હમ ઈ બે બાબતો એવી છે જે કોયદી બદલી હકાતા નથી. એમ જ એની વિષે પરમેશ્વર ખોટુ બોલી હક્તા નથી. જેથી એની હારે સલામતી મેળવનાર આપડી હામે રાખવામાં આવેલી આશાને મજબુતીથી વળગી રેવા હાટુ બોવ વધારે પ્રોત્સાહન મળે.


Lean sinn:

Sanasan


Sanasan