4 અને જઈ મારે તને છોડીને જાવું પડયું હતું, તઈ તુ કેવી રીતે રોતો હતો ઈ યાદ કરીને, ફરીથી તને મળવાની ઈચ્છા થાય છે કે, તને મળીને હું હરખથી ઉભરાય જાવ.
આવી રીતે તમને પણ આઘડી તો દુખ થાહે, પણ હું તમને પાછો મળય, તઈ તમે રાજી થય જાહો, અને તમારી પાહેથી તમારી ખુશી કોય આસકી નય હકશે.
અત્યાર લગી તમે મારા નામે બાપથી કાય નથી માંગ્યું, માગશો તો તમને મળશે, જેનાથી તમારો આનંદ વધારે થાહે!
અને મોટી નમ્રતાથી, અને આહુડા પાડીને, અને ઈ પરીક્ષાઓ માં જે યહુદી લોકોના કાવતરાના કારણે મારા ઉપર સંકટ આવી પડીયા, પછી પણ હું પરભુની સેવા કરતો રયો.
ઈ હાટુ જાગતા રયો, અને સ્મરણ કરો કે હું ત્રણ વરહ હુધી રાત દિવસ આહુડા પાડી પાડીને, બધાયને સેતવણી દેતો રયો.
કેમ કે, હું તમને મળવાની આશા રાખુ છું કે, હું તમને કાક આત્મિક કૃપા આપીને તમને વિશ્વાસમા મજબુત બનાવુ.
ઈ હાટુ પરમેશ્વર મારી સાક્ષી છે કે, હું મસીહ ઈસુની જેમ પ્રેમ કરીને તમને બધાયને મળવાની ઈચ્છા રાખું છું.
એનુ મન તમારા બધાયમાં હતું, અને ઈ ઉદાસ રેતો હતો કેમ કે, તમે એની બીમારી વિષેના હમાસાર હાંભળા હતા.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ અમે થોડા વખત હાટુ મનમા નય પણ દેહિક રીતેથી તમારી હારે નોતા, તઈ અમે બોવ આશાથી તમને જોવા હાટુ હજી વધારે કોશિશ કરી.
શિયાળો આવ્યા પેલા તુ આયા મારી પાહે આવવાની કોશિશ કરજે, યુબુલસ, અને પુદેન્સ, લીનસ, કલાદિયા, અને બીજા બધાય વિશ્વાસી ભાઈઓ તમને સલામ કેય છે.
હે તિમોથી, મારી પાહે જલ્દીથી આવવાની કોશિશ કરજે.
અને આ બાબત અમે તમને ઈ હાટુ લખી રયા છયી જેથી તમારો આનંદ પુરો થય જાહે.
ઈ એની આંખુના બધાય આહુડા લુહી નાખશે, અને ન્યા મોત, હોગ, રોવાનું, કે દુખાવો થાહે નય. ઈ હવે નય રેય કેમ કે, જુની વાતુ વય ગય છે.
કેમ કે, ઘેટાનું બસુ જે રાજગાદીની વસે છે, ઈ તેઓની હંભાળ કરશે, એવી જ રીતે જેમ એક ભરવાડ પોતાના ઘેટાઓની હંભાળ કરે છે અને એને પીવા હાટુ તાજા જીવંત પાણીના ઝરણા પાહે લય જાહે, જે લોકોને જીવન આપે છે, અને પરમેશ્વર એની આખુંથી બધાય આહુડા લુહી નાખશે.”