Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 તિમોથીને પત્ર 1:3 - કોલી નવો કરાર

3 હું રાત-દિવસ મારી પ્રાર્થનાઓમાં વારંવાર તમને યાદ કરતાં પરમેશ્વરનો આભાર માનું છું; જેની સેવા હું હાસા મનથી કરું છું, જેમ મારા વડવાઓ કરતાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




2 તિમોથીને પત્ર 1:3
21 Iomraidhean Croise  

ઈ સોર્યાસી વરહથી રંડાએલી હતી; ઈ મંદિરમાંથી જાતી નોતી અને રાત દિવસ ઉપવાસ અને પ્રાર્થના સહીત પરમેશ્વરનું ભજન કરયા કરતી.


હું તો યહુદી છું, મારો જનમ કિલીકિયા પરદેશના, તાર્સસ શહેરમાં થયો, પણ આ નગરમાં ગમાલીએલની પાહે બેહાડીને ભણાવવામાં આવ્યો, અને બાપ દાદાના નિયમોને હારી રીતે શિખવાડવામાં આવ્યા, અને પરમેશ્વર હાટુ એવું મન લગાડુ હતુ, જેવા કે તમે આજે છો.


પાઉલે મોટી સભાની હામે ધ્યાન દઈને અને કીધું કે, “ભાઈઓ, મે આજ હુધી પરમેશ્વરની હારે હાસા મનથી જીવન જીવ્યું છે.”


પણ હું તારી હામે અપનાવું છું કે, આ યહુદી આગેવાનોને લાગે છે, કે હું મસીહના મારગનુ પાલન કરું છું, જેને ઈ ખોટો મારગ કેય છે, પણ હું તારી હામે આ માની લવ છું કે, હું ઈ જ મારગ પરમાણે પોતાના બાપા દાદાના પરમેશ્વરનુ ભજન કરું છું, અને જે વાતો નિયમમાં અને આગમભાખીયાની સોપડીમા લખી છે, ઈ બધાય ઉપર વિશ્વાસ કરું છું


એનાથી હું પોતે કોશિશ કરું છું કે, પરમેશ્વર અને માણસની નજરમાં મારૂ મન સદાય નિરદોષ રેય.


હું નાનપણથી પોતાની જાતિના લોકોની વસમાં અને યરુશાલેમ શહેરમાં મોટો થયો છું, ઈ હાટુ બધાય યહુદી લોકો જાણે છે કે, મારી સાલ સાલગત શરુવાતથી જ કેવી છે.


કેમ કે, પરમેશ્વર જેનુ હું ભજન કરું છું, અને જેની હું સેવા કરું છું, એના સ્વર્ગદુતે ગય રાતે મારી પાહે આવીને કીધું કે,


હું મસીહમાં હાસુ બોલું છું, હું ખોટુ બોલતો નથી, મારૂ મન હોતન પવિત્ર આત્મામાં મારૂ સાક્ષી છે કે,


કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


અને મારા વડવાઓના ધરમ વિષે હું બોવ જ ઝનૂની બનીને મારી જાતિના ભાઈઓમાંના ઘણાય સાથીઓ કરતાં યહુદી ધરમમાં વધારે પ્રગતિથી વધતો ગયો.


હું સદાય તમારી હાટુ પરમેશ્વરનો આભાર માનું છું અને પોતાની પ્રાર્થનાઓમાં તમને યાદ કરું છું


અમે તમને ફરીથી મળવા હાટુ રાત-દિવસ ઘણીય પ્રાર્થના કરી છયી, અને તમારા વિશ્વાસમા ખામી હોય તો ઈ દુર કરીને પુરેપુરા કરી હકી.


અને તારે મસીહ ઉપર વિશ્વાસમા બનેલું રેવું જોયી અને સોખુ મન હોવું જોયી, કેમ કે કેટલાક લોકોએ પોતાના સોખા મનનો ત્યાગ કરી દીધો છે અને એનુ પરિણામ ઈ થયુ કે, તેઓ હવે મસીહ ઈસુમાં વિશ્વાસ નથી કરતા. જેવી રીતે એક વહાણ ભટકાયને નાશ થય જાય છે.


તમને આજ્ઞા આપવાનો હેતુ આ છે કે, તમે એકબીજાની હારે સોખા મન, હારા વિસાર અને કપટ વગરના વિશ્વાસથી પ્રેમ કરો.


આ રંડાયેલ બાયુ જેની પાહે પોતાની જરૂરિયાતો, દેખરેખ અને મદદ કરવા હાટુ કોય નથી, ઈ પરમેશ્વર ઉપર જ આશા રાખે છે, અને રાત દિવસ વિનવણી અને પ્રાર્થનામાં પરમેશ્વર પાહેથી પોતાની હાટુ મદદ માગે છે.


હું તારા ઈ હાસા વિશ્વાસને યાદ કરું છું, જે તારી આય લોઈસ અને તારી માં યુનીકામા હતો, અને મને તારી ઉપર ભરોસો પણ છે કે, ઈ જ વિશ્વાસ તારામાં પણ છે.


તને યાદ હશે કે, તુ બાળક હતો ન્યાથી જ તને જુના કરારના પવિત્ર શાસ્ત્રોની વાતુની ખબર છે; તેઓ તને મસીહ ઈસુમાં વિશ્વાસ દ્વારા તારણ મેળવવા હાટુ જ્ઞાન આપી હકે છે.


ઈસુ મસીહ ગયકાલે આજે અને સદાય હાટુ એવોને આવો જ છે.


Lean sinn:

Sanasan


Sanasan