Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 થેસ્સાલોનિકીઓને પત્ર 1:10 - કોલી નવો કરાર

10 આ બધીય વાતો તઈ થાહે, જઈ પરભુ ઈસુ મસીહ પોતાના પવિત્ર લોકોમા માન અને મહિમા પામવા હાટુ પાછા આયશે, ઈ વખતે તમે પણ એમા ભેગા રેહો કેમ કે, જે અમે કીધું હતું એની ઉપર તમે વિશ્વાસ કરયો છે.

Faic an caibideil Dèan lethbhreac




2 થેસ્સાલોનિકીઓને પત્ર 1:10
40 Iomraidhean Croise  

કેમ કે, માણસનો દીકરો પોતાના બાપની મહિમામાં પોતાના સ્વર્ગદુતોની હારે આયશે, તઈ તે પ્રત્યેકને એના કામ પરમાણે બદલો આપશે.


પછી ઈસુએ લોકોને અને એના ચેલાઓને કીધું કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.”


પણ ઈ દિવસ અને ઈ વખત બાપ વગર કોય જ જાણતું નથી, આભમાંના સ્વર્ગદુતો નય, એમ જ માણસનો દીકરો હોતન જાણતો નથી.


જઈ હું, માણસનો દીકરો ફરીથી આવય, તો પોતાના મહિમાના બધાય, મારા સ્વર્ગદુતો હારે લયને આવય. તઈ હું બધાય લોકોનો ન્યાય કરવા હાટુ મારા મહિમાના રાજ્યાસન ઉપર બેહય.


ન્યાયને દિવસે ઘણાય બધાય લોકો મને કેહે, હે પરભુ! હે પરભુ! અમે તારા નામથી આગમવાણી કરી હતી, તારા નામથી મેલી આત્માઓને કાઢી છે તારા નામથી ઘણાય બધા સમત્કાર કરયા હતા.


હું તમને કવ છું કે, જઈ પરમેશ્વર બધાયનો ન્યાય કરશે, તઈ ઘણાય વખત પેલા ભુંડા લોકો જેઓ તુર અને સદોમ શહેરમાં રેતા હતાં, તેઓની કરતાં ઈ શહેરના લોકોને વધારે સજા થાહે.


પણ જઈ ઈસુએ ઈ હાંભળ્યું તો એણે કીધું કે, “ઈ મંદવાડ મરવા હાટુ નય પણ પરમેશ્વરની મહિમા હાટુ છે જેથી પરમેશ્વરનો દીકરો મહિમા મેળવે.”


અને જે કાય મારું છે, ઈ બધુય તારું છે, અને જે કાય તારું છે, ઈ મારું છે, અને એનાથી મને મહિમાવાન કરયો છે.


તે વિશેષ લાયકાતની વિષે જે તેઓએ તમને આપી જે તમને પ્રમાણિત કરે છે કે, મસીહના વિષે સંદેશો હાસો છે.


પણ જઈ મસીહ ફરીથી પાછા આયશે, તો આગ દરેક માણસના કામોની પરીક્ષા કરશે. પણ કોય માણસના કામોનો કોય મુલ્ય છે તો ઈ આગ દેખાડશે.


મારી લીધે તેઓએ પરમેશ્વરની મહિમા કરી છે.


આપડે યહુદીઓ પેલા લોકો છયી જેઓએ મસીહ ઉપર આશા રાખી, અને આપણને ઈ હાટુ ગમાડવામાં આવ્યા જેથી આપડે પરમેશ્વરને સ્તુતિ અને મહિમા કરી.


પરમેશ્વરની આત્મામાં પોતાના ધનરૂપી લોકોના છોડાવવાના સબંધમાં પરભુની મહિમાને અરથે આપણા વારસાની ખાતરી આપી છે.


હું ઈ પણ પ્રાર્થના કરું છું કે, ઈ હાસને હમજવામાં તમારી સહાયતા કરશે કે, તમે જાણી લ્યો કે ઈ આશા જેની હાટુ એણે તમને બોલાવ્યા છે. જેથી તમે જાણી હકો કે, ઈ આશીર્વાદ કેટલો મહાન અને મહિમાવંત છે જેનો વાયદો પરમેશ્વરે પોતાના પવિત્ર લોકોથી કરયો છે.


એણે આપણને પોતાના વાલા દીકરા દ્વારા આશીર્વાદ મોફત આપ્યા છે. પરમેશ્વરે ઈ મહિમાવંત કૃપાની હાટુ આપણે એનુ ભજન કરી.


પરમેશ્વરે આવું ઈ હાટુ કરયુ જેથી આવનારા દિવસોમાં ઈ જગતના લોકોને દાખલા તરીકે દેખાડી હકે કે, એની કૃપા કેટલી મહાન છે, જે કાય એણે આપડી હાટુ કરયુ છે આપડે ઈ કૃપા દેખાડવામાં આવી છે જે મસીહ ઈસુની હારે એકતામાં જોડાયેલી છે.


જેથી હાલના વખતમાં સ્વર્ગીય જગ્યાના અધિકારીઓ અને સતા હકાવનારા મંડળી દ્વારા તેઓ પરમેશ્વરનું જ્ઞાન જાણી હકશે.


હું પ્રાર્થના કરું છું કે, એની મહિમાની મિલકતમાંથી તમને ઈ દાન આપે કે, એની આત્મા દ્વારા તમને સામર્થ્ય મળે; જેથી તમે પોતાની આત્મામાં મજબુત થાવ.


કેમ કે, આપડા પરભુ ઈસુ વિષે હારા હમાસાર તમારી પાહે નો ખાલી બોલવાથી પણ સામર્થ્યથી, અને પવિત્ર આત્માથી અને પુરા વિશ્વાસની હારે તમારી પાહે પુગી છે, અને તમે જાણો છો કે, જઈ અમે તમારી હારે હતાં તઈ અમે તમારી ભલાય હાટુ કેમ રયા.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતે પણ જાણો છો કે, અમારે તમારી ન્યા આવવાનું લાભદાયક રયુ.


કે, તમે પોતાના જીવનને એવી રીતે જીવો જેને પરમેશ્વર માન આપે, જે તમને પોતાના રાજ્યમા અને મહિમામાં ભાગીદાર થાવા હાટુ બોલાવે છે.


ઈ હાટુ અમે પણ દરોજ પરમેશ્વરનો આભાર માની છયી કે, જઈ તમે પરમેશ્વરનાં હારા હમાસાર હાંભળી જે અમે તમારી વસે પરચાર કરયો, તો તમે એને માણસોને નય પણ હાસીન આ પરમેશ્વરનો સંદેશો હમજીને અપનાવ્યો, અને હવે પરમેશ્વરનો આ સંદેશો તમારામા કામ કરે છે, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.


આપડે આ પ્રાર્થના કરી છયી, જેથી આપડા પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહની કૃપા પરમાણે આપડા પરભુ ઈસુનું નામ તમારામા મહિમાવાન થાય, અને તમે એનામા મહિમા પામો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારે સદાય તમારા હાટુ પરમેશ્વરનો આભાર માનવો જોયી કેમ કે, પરમેશ્વરે જગત બનાવ્યા પેલા જ તમને ગમાડી લીધા હતા, જેથી તમે હાસાય ઉપર વિશ્વાસ કરીને પવિત્ર આત્મા દ્વારા પવિત્ર બનીને તારણ મેળવો.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


આ કારણથી હું આયા જેલખાનામાં પણ દુખ સહન કરું છું, પણ હું શરમાતો નથી કેમ કે, હું મસીહને ઓળખું છું જેની ઉપર મે વિશ્વાસ કરયો છે, અને મને પાકી ખાતરી છે કે, એના પાછા આવવાના વખત હુધી ઈ એની રખેવાળી કરશે જે એણે મને આપ્યુ છે.


પરભુ ન્યાયના દિવસે ઓનેસિફરસના ઉપર પોતાની મહાન દયા દેખાડે, અને એફેસસ શહેરમાં જેઓએ મારી હાટુ જે જે સેવા કરી છે, એને પણ તુ હારી રીતેથી ઓળખ છો.


હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.


તમે પરમેશ્વરનાં ગમાડેલા લોકો છો, તમે પરમેશ્વરનાં યાજક છો, જે રાજા છે, તમે પરમેશ્વરની પ્રત્યે સમર્પિત લોકો છો, અને એવા લોકો જે પરમેશ્વરનાં ખાસ છે, એણે તમને અંધારામાંથી બારે પોતાના અદભુત અંજવાળામાં ગમાડીયા છે, જેથી તમે પરમેશ્વરનાં અદભુત કામોને જાહેર કરી હકો.


Lean sinn:

Sanasan


Sanasan