Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથીને પત્ર 5:18 - કોલી નવો કરાર

18 કેમ કે, શાસ્ત્રમા લખેલુ છે કે, “જઈ એક ઢાંઢો અનાજ છુટું પાડતો હોય, તો તમારે એનું મોઢું બાધવું નય, જેથી ઈ અનાજ નો ખાય હકે.” અને આ પણ લખ્યું છે કે, “મજુર એની મજુરીનો હકદાર છે.”

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથીને પત્ર 5:18
13 Iomraidhean Croise  

મારગ હારું જોળી, બબ્બે ઝભ્ભા, જોડા કે, લાકડી પણ લેતા નય, કેમ કે, મજુરને પોતાનું ખાવાનું મળવું જોયી.


ઈ જ ઘરમાં મેમાન બનીને રયો, અને એની પાહેથી જે કાય મળે, ઈ ખાતા-પીતા રયો કેમ કે, મજુર એની મજુરીને લાયક છે; તમે એક ઘરેથી બીજા ઘરે જાતા નય.


કેમ કે, શાસ્ત્રવચન એમ કેય છે કે, મસીહ ઉપર જે કોય વિશ્વાસ કરશે, ઈ શરમાહે નય.


પરમેશ્વરે પોતાના ઈ લોકોને નથી નકારા, જેને એણે પેલાથી ગમાડી લીધા, તમે જાણો છો કે, એલિયા આગમભાખીયાની વિષે શાસ્ત્ર શું કેતા હતાં કે, ઈ ઈઝરાયલ દેશના લોકો પરમેશ્વરની વિરુધ ફરિયાદ કરે છે.


શાસ્ત્ર શું કેય છે? આ કે, પરમેશ્વરે જે વાયદો કરયો હતો એની ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, અને એના હાટુ પરમેશ્વરે પોતાની હારે ન્યાયી ઠરાવ્યો.


વળી, શાસ્ત્રમા ફારુનને કીધું કે, “તારી મારફતે હું મારૂ સામર્થ્ય દેખાડુ, અને મારો સંદેશો આખીય પૃથ્વીમાં જાહેર થાય, ઈ હાટુ મે તને રાજા બનાવ્યો છે.”


આવી રીતે પરભુની આજ્ઞા છે કે, તેઓ જે પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરે છે, એના દ્વારા પોતાનું ભરણ-પોષણ ઈ લોકોમાંથી મળવું જોયી જે હારા હમાસાર હાંભળે છે.


શાસ્ત્રવચનમાં ઘણાય વખત પેલા આમ લખવામાં આવ્યું હતું કે, પરમેશ્વર બિનયહુદીઓને વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાયશે, ઈ થાવાને બોવ પેલાથી પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ હાટુ હારા હમાસાર બતાવી દીધા હતા કે, તારી દ્વારા, આ જગતના બધીય જ જાતિના લોકો આશીર્વાદિત થાહે.


આપડે શાસ્ત્રમા વાસી છયી કે, “જે આત્માને પરમેશ્વરે આપડી અંદર વસાવ્યો છે ઈ આત્માને ઈર્ષાપુર્વક આશા રાખે છે.” આ હાસુ છે અને તમને એમા શંકા નો હોવી જોયી.


Lean sinn:

Sanasan


Sanasan