Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથીને પત્ર 4:6 - કોલી નવો કરાર

6 જો તુ વિશ્વાસી ભાઈઓ અને બહેનોને વારંવાર યાદ કરાવતો રેય, તો તું ઈસુ મસીહનો હારો સેવક બનય, અને તઈ તું સંદેશ અને હારા શિક્ષણથી મજબુત કરવામાં આવય, જે વચનનું તે હાસી રીતે પાલન કરયુ છે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથીને પત્ર 4:6
39 Iomraidhean Croise  

ફરી ઈસુએ તેઓને કીધુ કે, “ઈ હાટુ દરેક યહુદી નિયમના શિક્ષકો જેઓ સ્વર્ગના રાજ્યનો ચેલો બન્યો છે, ઈ એક ઘરનો માલીક કે, જે પોતાના ભંડારમાંથી નવી અને જુની વસ્તુઓ કાઢે છે એની જેવો છે.”


ઈ હાટુ નેકનામદાર થિયોફિલ, શરુઆતથી મે પોતે આની કાળજી રાખીને અભ્યાસ કરયો છે, જેથી મે તમારી હાટુ સોપડીમા આ બનાવોને નંબર પરમાણે લખવાનું વિસારુ.


એક દિવસ એકસો વીસ વિશ્વાસી લોકો ભેગા થયા, તઈ પિતર એની વસમાં ઉભો રયને કેવા મંડયો.


ઈ હાટુ જાગતા રયો, અને સ્મરણ કરો કે હું ત્રણ વરહ હુધી રાત દિવસ આહુડા પાડી પાડીને, બધાયને સેતવણી દેતો રયો.


મે તમને બધુય કરીને તમને બતાવ્યું કે, આપડે કેવી રીતે મેનત કરતાં નબળાઓને મદદ કરવી જોયી, અને પરભુ ઈસુના વચનો નો સ્મરણ રાખવો જોયી, જે એણે પોતે કીધું છે કે, “લેવાથી દેવું ધન્ય છે.”


તો પણ મે કોક-કોક વાતો યાદ અપાવવા હાટુ તમને જે ઘણુય સાહસ કરીને લખ્યું, આ ઈ કારણે થયુ, પરમેશ્વરે દ્વારા જે કૃપા મને આપવામાં આવી છે.


ઈ હાટુ મેં તિમોથીને જે પરભુમાં મારો વાલો અને વિશ્વાસુ દીકરો છે, તમારી પાહે મોકલ્યો છે, અને ઈ તમને ઈસુ મસીહમાં જીવન જીવવા હાટુ હું શું કરું છું? હું કેમ વ્યવહાર કરું છું? જેમ કે, હું દરેક જગ્યાએ દરેક મંડળીમાં શિક્ષણ આપું છું ઈ બધાય તમને યાદ દેવરાવતા રેહે.


ખાલી તેઓ જ મસીહના સેવક નથી, હું એનાથી પણ વધીને છું, મે એનાથી ક્યાય વધારે દુખ ભોગવ્યું છે, એનાથી ક્યાય વધારે કેદી બનાવવામાં આવ્યો છું, બોવ બધીવાર કોયડાથી માર ખાધી છે, સદાય મારો જીવ મોતના જોખમમાં પડયો છે.


જેણે આપણને નવા કરારના ચાકર થાવા લાયક બનાવ્યા છે, આ કરારમાં લખેલુ મુસાના નિયમ પરમાણે નથી, પણ પવિત્ર આત્મા પરમાણે છે, કેમ કે, લખેલુ છે કે, મુસાના નિયમનું પાલન નય કરવાનું પરિણામ મરણ છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.


એના કરતાં આપણે જે કાય કરી છયી એમા પરમેશ્વરનાં હાસા સેવકો છે જે આવું દેખાડે છે કે, ધીરજમાં, મુશ્કેલીમાં, તંગીમાં, પીડામાં,


પરભુની સંગતીમાં મારા વાલા ભાઈ અને વિશ્વાસુ ચાકર તુખિકસ તમને લોકોને ઈ બધુય બતાવી દેહે, જેથી તમે પણ જાણી લ્યો કે, હું કેમ છું અને શું કરી રયો છું અને ઈ તમારા મનોને શાંતિ આપે.


કેમ કે, મારી પાહે એવો બીજો કોય પણ નથી, જે તિમોથીની જેમ સોખા મનથી તમારા ઉપકારના લીધે હરખી રીતે કાળજી રાખે.


પણ તિમોથીને તો તમે જાણો છો કે, એનો સ્વભાવ હારો છે; જેમ દીકરો બાપની હારે રેય છે, એમ જ એણે હારા હમાસારનો પરચાર કરવામા મારો સાથ દીધો છે.


ગમે એમ હોય, તોય પણ આપડે હજી હુધી જેમ અનુસરણ કરયુ છે ઈ જ રીતે હજીય આગળ વધી.


આ માણસ મસીહ ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધુ છે જે દેહનું માથું છે અને જે પરકારે માથું દેહની આગેવાની કરે છે, એવી જ રીતે મસીહ પણ પોતાના બધાય લોકોની આગેવાની કરે છે જેથી ઈ એક હારે રેય, જેમ દેહના હાધા અને શ્વાસ લેનારા અંગો દેહને એક હારે રાખે છે અને વધે છે જેમ પરમેશ્વર ઈચ્છે છે.


મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.


વાલા ભાઈ અને વિશ્વાસી ચાકર, તુખિકસ જે મારી હારે પરભુની સેવા કરે છે, મારી બધીય વાતો તમને બતાવી દેહે.


અને અમે તિમોથીને તમારી પાહે મોકલ્યો જે મસીહના હારા હમાસારમાં અમારો વિશ્વાસી ભાઈ છે, અને પરમેશ્વરનો સેવક છે. ઈ તમને મજબુત કરે, અને તમારા વિશ્વાસને વધારવામાં મદદ કરે.


છીનાળવાઓ, પુરુષ પુરુષની હારે જાતીય સબંધ બાંધનારાઓ, માણસોનો વેપાર કરનારાઓ, ખોટુ બોલનારાઓ, ખોટા સાક્ષીઓ, ઈ બધાય હાટુ છે.


તુ પોતાના વ્યવહાર અને લોકોને શું શીખવાડે છે; એમા સાવધાન રે, અને આજ વાતો કરયા કર કેમ કે, એવુ કરવાથી પરમેશ્વર તને અને તારા હાંભળનારાને પણ સજાથી બસાવશે.


જે કોય જુદી પરકારનું શિક્ષણ શીખવે છે અને આપડા પરભુ ઈસુ મસીહના હાસા વચનો અને ન્યાયી શિક્ષણ હારે સહમત થાતો નથી,


આ કારણથી હું તને યાદ દેવડાવું છું કે, જઈ મે તારી ઉપર હાથ રાખ્યો હતો, તઈ પરમેશ્વરે જે વરદાન તને આપ્યો હતો, એને જાગૃત કર.


પણ હે તિમોથી, મારું શીખવવુ, મારી સાલ-સાલગત, મારા મનની ઈચ્છાઓ, મારો વિશ્વાસ, મારું સહન કરવું, મારો પ્રેમ, મારી ધીરજ, મારી સતાવણી, અને મારું દુખ ભોગવવાની વિષે તું હારી રીતે જાણ છો.


કેમ કે, એવો વખત આયશે, જઈ લોકો હાસુ શિક્ષણ હાંભળવા માગશે નય, પણ પોતાની મરજી પરમાણે હાલશે, અને તેઓ ઘણાય બધાય શિક્ષકને ગોતશે, જે ઈ જ વાતોનો પરચાર કરે; જે તેઓ હાંભળવા માગે છે.


પણ તિતસ તારે વિશ્વાસીઓને ખાલી ઈ જ શીખવાડવું જોયી; જે ઈસુ મસીહની વિષે હાસા શિક્ષણ પરમાણે હોય.


જેમ નવું જનમેલુ બાળક પોતાની હાટુ માનું શુદ્ધ દૂધ પીવે છે, એમ જ તમારે પરમેશ્વરથી હાસી વાતુ શીખવા હાટુ ઈચ્છા રાખવી જોયી, જેથી એને શીખીને તમે એની ઉપર ભરોસો કરનારા હમજણા બની હકો છો, તમારે આવું ઈ વખત હુધી કરવુ જોહે જ્યાં હુધી પરમેશ્વર તમને જગતની બધીય ભુંડાયથી પુરી રીતે બસાવ કરતાં નથી.


ઈ લોકો જેઓ હાસા શિક્ષણથી ભટકી જાય છે, અને મસીહના શિક્ષણનુ પાલન નથી કરતાં, ઈ પરમેશ્વરની હારે સંગતીમાં નથી. પણ જે કોય મસીહના શિક્ષણનું વારંવાર પાલન કરયુ છે. ઈ પરમેશ્વર બાપની હારે અને એનો દીકરો, ઈસુ મસીહની હારે સંગતીમાં છે.


જો તમે બધાય આ વાતોને એક વખત જાણી ગયા છો, તો પણ હું તમને આ વાતોને યાદ કરાવવા માગું છું કે, પરભુએ ઈઝરાયલનાં લોકોને ગુલામ બનવાથી બસાવ્યા, અને મિસર દેશમાંથી બારે લાવ્યો. પણ પછી એણે ઈ બધાયને મારી નાખ્યા, જેઓએ રણપરદેશમા એની ઉપર ભરોસો કરયો નય.


Lean sinn:

Sanasan


Sanasan