Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથીને પત્ર 4:3 - કોલી નવો કરાર

3 તેઓ એવુ ખોટુ શિક્ષણ આપશે કે, લગન નો કરવા જોયી, અને કોય ખાવાની વસ્તુઓને ખાવા હાટુ ના પાડશે. જે વસ્તુઓને પરમેશ્વરે ઈ હાટુ બનાવી કે, વિશ્વાસ કરનારા અને હાસાયને જાણનારા એને આભાર માનીને ખાય.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથીને પત્ર 4:3
30 Iomraidhean Croise  

પછી ઈસુએ લોકોને લીલા ખડમાં બેહવાનું કીધુ, અને ઈ પાંસ રોટલી અને બે માછલીઓ લયને સ્વર્ગ બાજુ જોયને પરમેશ્વરનો આભાર માનીને, રોટલી તોડી તોડીને પોતાના ચેલાઓને આપી, અને ચેલાઓએ લોકોને પીરસ્યું.


જે મોઢામાં જાય છે, તે માણસને અશુદ્ધ નથી બનાવતું, પણ જે માણસમાંથી બારે નીકળે છે, ઈ માણસને અશુદ્ધ બનાવે છે.”


અને પછી ઈ હાત રોટલીઓ અને માછલીયોને લયને ઈસુએ પરમેશ્વરનો આભાર માનીને રોટલીઓને ભાંગીને પોતાના ચેલાઓને આપી, અને ચેલાઓએ પછી તે લોકોને પીરસી.


જઈ ઈસુ એની હારે નીસે જમવા બેઠો, અને રોટલીઓ લયને પ્રાર્થના કરી, અને તેઓને તોડીને આપવા લાગ્યો.


તો પણ જ્યાં પરભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, ઈ જગ્યાની પાહે તિબેરિયસથી બીજી હોડીઓ આવી.


આ કયને એણે રોટલી લયને બધાયની હામે પરમેશ્વરનો આભાર માન્યો અને તોડીને ખાવા મંડા.


પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.


અને જે કોય બધીય વસ્તુ ખાય એને તુચ્છ નો ગણો, અને જે કોય બધીય વસ્તુ નથી ખાતો એનો ન્યાય કરવો નય; કેમ કે, જે બધુય ખાય છે અને જે બધુય નથી ખાતો, પરમેશ્વર બેયને અપનાવે છે.


જે અમુક દિવસને જ ખાસ ગણે છે, ઈ પરભુની હાટુ ગણે છે, જે બધીય વસ્તુ ખાય છે, ઈ પરભુની હાટુ ખાય છે કેમ કે, ખોરાકની હાટુ ઈ પરમેશ્વરનો આભાર માંને છે, જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે, ઈ પરભુની હાટુ એમ કરે છે, અને ઈ પરમેશ્વરનો આભાર માંને છે.


તમે કય હકો છો, ખાવાનું આપડા પેટ હાટુ છે, અને આપણુ પેટ ખાવા હાટુ છે. ઈ હાસુ છે પણ પરમેશ્વર આપડા દેહ અને ખાવાનું બેયને નાશ કરી નાખશે. આપડુ દેહ પરભુનું છે. ઈ હાટુ આપડે પોતાના દેહનો ઉપયોગ ઈ કામોની હાટુ કરવો જોયી જે પરભુ ઈચ્છે છે.


પણ જો તું લગન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી છોકરી લગન કરે તો ઈ પાપ કરતી નથી; જો કે લગન કરવાથી જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડશે પણ હું તમારી ઉપર દયા રાખીને તમારો બસાવ કરવા માગું છું.


પણ નીવેદથી આપડે પરમેશ્વર માન્ય થતા નથી. જો નો ખાયી તો આપડે વધારે હારા થાતા નથી; અને જો ખાયી તો વધારે ભુંડા થાતા નથી.


ઈ હાટુ કોયને પણ ખાવા પીવાનું કા તેવાર કા નવો ચાંદો કે, વિશ્રામવારના દિવસના વિષે તમને દગો અને ન્યાય કરવા નો દયો.


જે કાય પણ તમે કયો છો કા કામોથી જે કાય કરો બધુય પરભુ ઈસુને નામે કરો, અને એની દ્વારા પરમેશ્વર બાપના આભારી રયો.


ઈ ઈચ્છે છે કે, બધાય લોકોનું તારણ થાય, અને ઈ હારી રીતે હાસાયને જાણી લેય.


કેમ કે, પરમેશ્વરે બનાવેલી બધીય વસ્તુઓ હારી છે, અને દરેક ખાવાની વસ્તુઓ ખાય હકી છયી, પણ એટલું છે કે, પરમેશ્વરનો આભાર માનીને ખાવું જોયી.


ઈ હાટુ હું આ સલાહ આપું છું કે, જુવાન રંડાયેલ બાયુઓ લગન કરે અને દીકરા પેદા કરે અને પોતાનુ ઘરબાર હંભાળે અને કોય વેરીને બદનામ કરવા હાટુ મોકો નો આપે.


લગનને માન આપો અને પથારી પવિત્ર રાખો, કેમ કે પરમેશ્વર લંપટો અને છીનાળવા કરનારાઓનો ન્યાય કરશે.


અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan