Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથીને પત્ર 2:5 - કોલી નવો કરાર

5 કેમ કે, ખાલી એક જ પરમેશ્વર છે, અને પરમેશ્વર વધારે લોકોને મેળવનારો એક જ મધ્યસ્થી છે અને ઈ ઈસુ મસીહ છે, જે પોતે માણસોની મધ્યમાં પેદા થયો.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથીને પત્ર 2:5
28 Iomraidhean Croise  

ઈસુ મસીહના વડવાઓની પેઢીની યાદી જે ઈબ્રાહિમ અને દાઉદ રાજાની પેઢીનો હતો.


“જોવ, એક કુવારી ગર્ભવતી થાહે અને ઈ દીકરાને જનમ દેહે, અને એનુ નામ ઈમ્માનુએલ રાખવામાં આયશે” જેનો અરથ ઈ છે કે, પરમેશ્વર આપડી હારે છે.


ઈ પછી ચાકરે એને કીધું કે, “માલિકે મને જેમ કરવાનું કીધું, એમ જ કરયુ; છતાં હજી માણસો હાટુ જગ્યાઓ છે.”


અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.


અને આ અનંતકાળનું જીવન છે કે, તેઓ તને ઓળખી હકે, ખાલી હાસા પરમેશ્વર અને ઈસુ મસીહ જેને તમે મોકલ્યો છે.


ઈસુને મુકીને બીજાની દ્વારા તારણ નથી, કેમ કે આભ અને જગતમાં બીજુ કોય નામ નથી; જેની દ્વારા આપડે તારણ પામી હકી.


આ હારા હમાસાર એના દીકરા પરભુ ઈસુ મસીહના વિષે છે ઈસુ દેહિક રીતે રાજા દાઉદના વંશમાં જનમો હતો,


આયા યહુદીઓ અને બિનયહુદીઓમાં કાય ભેદ નથી, કેમ કે, બધાયના પરભુ એક જ છે, અને જે એને વિનવણી કરે છે તેઓ બધાય પ્રત્યે ઈ બોવ જ ઉદાર છે.


તો પછી, હું નીવેદ ખાવાના વિષે સવાલનો જવાબ દેવા માગું છું અમે જાણી છયી કે, મૂર્તિઓ જગતમાં કાય નથી પણ ખાલી એક જ હાસા પરમેશ્વર સિવાય બીજો કોય પરમેશ્વર નથી.


તો પણ આપડા તો એક જ પરમેશ્વર એટલે બાપ છે, જેનાથી બધુય સર્જન કરવામાં આવ્યું છે; અને આપડે એના અરથે છયી; એક જ પરભુ એટલે ઈસુ મસીહ છે, જેની આશરે બધાય છે અને આપડે પણ એની આશરે છયી.


પરમેશ્વરે પોતે ઈબ્રાહિમની હારે એક વાયદો કરયો હતો. ઈ હાટુ, કોય મધ્યસ્થની જરૂર નથી.


અને એક જ પરમેશ્વર છે જે આપડા બધાય લોકોનો બાપ છે, ઈ બધાય ઉપર અને બધાયમાં પરભુ છે અને ઈ આપડા બધાયમાં છે.


બધાય લોકોને જીવન આપનાર પરમેશ્વરની હામે, અને ઈસુ મસીહની હામે, જેણે પોંતિયસ પિલાત રાજ્યપાલની હામે હાસુ કબુલ કરયુ હતું, હું તને આ આજ્ઞા આપું છું,


તમે પરમેશ્વર અને લોકોની વસમાં નવા કરારના મધ્યસ્થી કરનારા ઈસુની પાહે આવ્યા છો, અને એના લોહીની પાહે આવ્યા હોય જે વહેડાવામાં આવ્યું છે અને જે હાબેલના લોહીથી ક્યાય વધારે મહત્વનું છે.


ઈ હાટુ જેઓ ઈસુ દ્વારા પરમેશ્વરની પાહે આવે છે, તેઓનું પુરે પુરૂ તારણ કરવા હાટુ ઈ શક્તિશાળી છે કેમ કે, ઈ હરેકની હાટુ વિનવણી કરવા સદાય જીવતા રેય છે.


પણ હવે જેમ મસીહ વધારે હારા વચનોથી ઠેરાયેલો અને વધારે હારા કરારનો મધ્યસ્થી છે એમ તેઓને વધારે હારું સેવાનું કામ હોપવામાં આવ્યું છે.


હાટુ જુના કરારના વખતે જે ભૂલો કરવામાં આવ્યા હતા, એના છુટકારા હાટુ પોતે બલિદાન આપે મોત આપે અને જેઓને ગમાડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસનું વચન મળે ઈ હાટુ ઈ નવા કરારના મધ્યસ્થી છે.


મારા વાલા બાળકો હું તમને ઈ હાટુ આ વાતો લખું છું, જેથી તમે પાપ નય કરો. પણ જે કોય પાપ કરે, તો પરમેશ્વર બાપથી આપડી વિનવણી કરવા હાટુ એક મદદગાર છે એટલે કે, ઈસુ મસીહ જે ન્યાયી છે.


અને ઈ દીવીઓની વસમાં “જે એક માણસના દીકરાની જેમ દેખાતો હતો” એણે લાંબા લુગડા પેરેલા હતાં જે એના પગ હુધી પૂગતા હતાં, એણે પોતાની છાતીની સ્યારેય બાજુ એક હોનાનો પટો પેરેલો હતો.


Lean sinn:

Sanasan


Sanasan